1 માણસો જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાનાં તમારા બાપથી તમને ફળ મળવાનું નથી.
2 એ માટે જયારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ; હું તમે ખચિત કહું છું કે તેઓ પોતાનું ફળ પામે છે.
3 પણ તું જયારે દાનધર્મ કરે છે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે;
4 એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; ને ગુપ્તમાં જોનાર બાપ પોતે પ્રગટમાં તને તેનો બદલો આપશે.
5 અને જયારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમકે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઉભા રહેતાં પ્રાર્થના કરવા ચાહે છે; હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનું ફળ પામ્યા છે.
6 પણ જયારે તું પ્રાર્થના કરે છે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને પ્રગટમાં બદલો આપશે.
7 અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમકે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ; કેમકે જેની તમને અગત્ય છે, તે તેની પાસે તમારા માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે.
9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો; ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાઓ;
10 તારું રાજ્ય આવો; જમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પુરી થાઓ.
11 દિવસની અમારી રોટલી આજ અમને આપ;
12 અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તું અમારા ઋણો અમને માફ કર;
13 અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભુંડોથી અમારો છુટકો કર. [[ કેમકે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારાં છે. આમેન]]
14 કેમકે જો તમે માણસોના અપરાધ તેઓને માફ કરો, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે.
15 પણ જો તમે માણસોના અપરાધ તેઓને માફ નહિ કરો, તો તમારો બાપ તમારા અપરાધ પણ માફ નહિ કરશે.
16 વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની પેઠે લેવાઇ ગએલા મ્હોના ન થાઓ, કેમકે લોકોને ઉપવાસી દેખાવા સારૂ તેઓ પોતાનાં મ્હો કસાણાં કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનું ફળ પામ્યા છે.
17 પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ, ને તારું મ્હો ધો;
18 એ માટે કે તું માણસોને નહિ, પણ તારો બાપ જે ગુપ્તમાં છે તેને ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તમને બદલો આપશે.
19 પૃથ્વી પર પોતાને સારૂ દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરે છે.
20 પણ તમે પોતાને સારૂ આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતાં, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરતા નથી.
21 કેમકે જ્યાં તમારી દ્રવ્ય છે, ત્યાંજ તમારું ચિત્ત પણ રહેશે.
22 શરીરનો દીવો અંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય, તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
23 પણ જો તારી આંખ ભુંડી હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે; માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
24 કોઇથી બે ઘણીની ચાકરી કરાય નહિ, કેમકે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા એકના પક્ષનો તે થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; દવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.
25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારૂ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું? અને તમારા શરીરને સારૂ ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું, જીવ ખોરાક કરતાં, ને શરીર લૂગડાં કરતાં, અધિક નથી?
26 આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી, ને કાપતા નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાળણ કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?
27 અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?
28 અને લૂગડાં સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવા વધે છે, તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતા પણ નથી;
29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલોન હતો.
30 એ માટે ખેતરનું ઘાસ જે આજ છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને દેવ જો એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું વિશેષ નહિ પહેરાવશે?
31 માટે મે શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ના કરો.
32 કારણ કે એ સઘળાં વાનાં વિદેશીઓ શોધે છે; કેમકે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે.
33 પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, ને એ બધાં વાના પણ તમને અપાશે.
34 તે માટે આવતી કાલને સારૂ ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતા [ની વાતો]ની ચિંતા કરશે; દહાડાને સારૂ તે દહાડાનું દુઃખ બસ છે.