1 તમે કોઇને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.
2 કેમકે જેમ તમે બજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને દોષિત ઠરાવશે; ને જે માપથી તમે માપી આપો છો, તેથીજ તમને માપી આપશે.
3 અને તું તારી આંખમાંનો ભારોટીઓ ધ્યાનમાં ન લાવતાં, તારા ભીની આંખમાંનું તણખલું કેમ જુએ છે?
4 અથવા તું તારા ભાઇને કેમ કહેશે કે તારા આંખમાથી તણખલું મને કાઢવા દે, પણ જો, તારી પોતાની આંખમાં ભારોટીઓ છે?
5 ઓ ઢોંગી, પહેલાં તું પોતાની આંખમાંથી ભારોટીઓ કાઢ, અને ત્યાર પછી તારી ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સુઝશે.
6 જે પવિત્ર તે કુતરાઓને ન નાખો, તમારાં મોતી ભુંડોની આગળ ન ફેંકો; રખે કદાપિ તે પોતાના પગતળે છુંદે, ને ફરીને તમને ફાડી નાખે.
7 માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડાશે.
8 કેમકે જજે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારૂ ઉઘાડવામાં આવશે.
9 તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પત્થર આપશે?
10 અથવા જો માછલું માગે, તો તે તેને સાપ આપશે?
11 તે માટે તમે ભુંડા છતાં, જો પોતાના છોકરાઓને સારા વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંની બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષે કરીને સારા વાનાં આપશે?
12 માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો; કેમકે નિયમશાસ્ત્ર તથા ભવિષ્યવાદીઓ [ની વાતોનો સાર] એજ છે.
13 તમે સાંકડે બારણે માંહે પેસો, કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેથી પેસે છે.
14 કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે, ને જેઓને તે જડે છે તેઓ થોડા છે.
15 જુઠા ઉપદેશકો જેઓ ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.
16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષ, અથવા ઉંટકટારી પરથી અંજીર તોડે છે?
17 તેમજ હરેક સારૂ ઝાડ ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે.
18 સારૂ ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી.
19 હરેક ઝાડ જે સારૂ ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
20 તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો.
21 જે મને પ્રભુ, પ્રભુ, કહે છે, તે સર્વ આકાશના રાજ્યમાં પેસશે એવું નહિ, પણ જે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે [તે પેસશે].
22 તે દહાડે ઘણા અને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે ભવિષ્યવાદ કહ્યા નથી? અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી? અને તારે નામે ઘણા પરાક્રમી કામો કીધા નથી?
23 ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભુંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.
24 એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા અપાશે, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું;
25 ને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાઝોડા થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહિ.
26 અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા અપાશે, કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું;
27 ને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાઝોડાં થયા, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.
28 અને ઇસુએ એ વાતો પુરી કરી, ત્યારે એમ થયું કે, લોકો તેના ઉપદેશથી અચરત થયા;
29 કેમકે શાસ્ત્રીઓની પેઠે નહિ, પણ જેને અધિકાર હોય છે તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો.