1 અને કેટલાએક દિવસ પછી, તે ફરી કાપરનાહુમમાં ગયો, ત્યારે એવી ચરચા ફેલાઇ કે તે ઘરમાં છે.
2 અને એટલા બધા એકઠાં થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ને તે તેઓને વાત સંભળાવતો હતો.
3 અને તેઓ ચાર માણસોએ ઉંચકેલા એક પક્ષઘાતીને તેની પાસે લાવ્યા.
4 અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતો ત્યાનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતીને સુતો હતો તેને ઉતાર્યો.
5 અને ઇસુ તેઓનો વિશ્વાસ જોઇને પક્ષઘાતીને કહે છે કે, દીકરા, તારાં પાપ માફ થયાં છે.
6 પણ કેટલાએક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠાં હતા, તેઓ પોતાના હ્રદયોમાં વિચારતા હતા કે,
7 આ માણસ આવી રેતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે દેવ, તે વિના કોણ પાપની માફી કરી શકે?
8 અને તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઇસુએ પોતાના આત્મામાં એમ જાણીને તેઓને કહ્યું કે, તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
9 એ બેમાનું વધારે સહેલું કયું છે, પક્ષઘાતીને એ કહેવું, કે તારા પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઉઠ ને તારો ખાટલો ઉંચકીને ચાલ?
10 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, {પક્ષઘાતીને તે કહે છે)
11 હું તને કહું છું કે ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા.
12 અને તે ઉઠ્યો, ને તરત ખાટલો ઉંચકીને સહુના દેખતાં ચાલ્યો ગયો; આથી સહુએ અચરતી પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે, અમે કદી આવું જોયું નથી.
13 અને ફરી તે સમુદ્રને કાંઠે ગયો; ને બધા લોક તેની પાસે આવ્યા; ને તેણે તેઓને બોધ કર્યો.
14 અને રસ્તે જતાં તેણે આલ્ફીના દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો; ને તેને કહે છે કે, મારી પાછળ ચાલ; ને તે ઉઠીને તેની પાછળ ચાલ્યો.
15 અને એમ થયું કે તે એના ઘરમાં જમવા બેઠો, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા, કેમકે તેઓ ઘણા હતા, ને તેની પાછળ ચાલતાં હતા.
16 અને શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઇને તેના શિષ્યોને કહ્યું કે, તે તો દાણીઓની તથા પાપીઓની જોડે ખાય પીએ છે.
17 અને ઇસુ એ સાંભળીને તેઓને કહે છે કે, જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી; પણ જેઓ માંદા તેઓને છે. હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા આવ્યો છું.
18 અને યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; ને તેઓ આવીને તેને કહે છે કે, યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું શું કારણ? ને ઇસુએ તેઓને કહ્યું કે,
19 વાર જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વાર તેઓની સાથે છે તેટલા વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.
20 પણ એવા દિવસ આવશે કે જયારે વાર તેઓની પાસેથી લઇ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.
21 અને કોરા લુગડાનું થિગડું જુની વસ્ત્રને કોઈ દેતું નથી; જો દે તો નવું જોડેલું જુનાને સાંઘવાને બદલે ખેંચી કાઢે છે, ને ફાટ વધતી પડે છે.
22 અને નવો દ્રાક્ષરસ જુની મસકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષરસ મસકોને ફાડી નાખે છે, ને દ્રાક્ષરસ તથા મસકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષરસ નવી મસકોમાં [ભરે છે].
23 અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાનાં ખેતરોમાં થઈને જતો હતો; ને તેના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.
24 અને ફરોશીઓએ તેને કહ્યું કે, જો, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?
25 ને તેણે તેઓને કહ્યું કે, દાઉદને અગત્ય હતી, ને તે તથા તેના સાથીઓ ભુખ્યા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી નથી વાંચ્યું?
26 એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો, ત્યારે દેવના ઘરમાં પેસીને, અર્પેલી રોટલીઓ જે યાજકો શિવાય કોઈને ખાવાને ઉચિત નથી તે તેણે ખાધી, ને તેના સાથીઓને પણ આપી.
27 અને તેણે તેઓને કહ્યું કે, વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.