2 (તેણ ઇઝરાયલ ની પેઢીઓ, એટલે બધા લોક નહિ તો જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી:)
3 પલિસ્તીઓના પાંચ સરદારો, તથા સર્વ કનાનીઓ, તથા સિદોનીઓ, લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ,બઆલ-હેર્મોનના પહાડ થી હમાથ સુધી.
4 આ દેશો ઈશ્વર તેઓ એ માટે બચી રહ્યા કે ઈશ્વરે જે આજ્ઞા મુસાની હસ્તક તેઓના પૂર્વજોને આપી હતી, તેને ઇસ્રાએલ માનશે કે નહિ, એ જણાય, ને તેઓથી તેમની પરીક્ષા કરાય.
5 અને ઇસ્રાએલપુત્રો કનાનીઓની તથા હિત્તીઓની તથા અમોરીઓની તથા પરીઝઝીઓની તથા હિવ્વીઓની તથા યબૂસીઓની વચમાં રહેતા;
6 તેઓની દીકરીઓ સાથે તેઓ પરણતા, ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા, ને તેઓના દેવોની સેવા કરતા.
7 અને ઇઝરાયલના લોકો ઈશ્વરની નજરમાં જે દુષ્ટહતું તે કર્યું, ને પોતાના ઈશ્વરને વિસરી જઈને બઆલીમ તથા અશેરોથની ઉપાસના કરીકરી.
8 તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગ્યો, ને તેણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશઆથાઈમના હાથ માં વેચી દીધા .
9 જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે બચાવ કરવા સારૂ ઓથ્નીએલને(કનાઝનોદીકરો) કાલેબ નો નાનો ભાઈ તેણે તેઓનો બચાવ કર્યો .
10 ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો, ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો ને તે લડાઇ કરવા ગયો. ને ઈશ્વરે આરામના રાજા કૂશાન-રિશઆથાઈમને તેના પર વિજય આપ્યો. ઓથ્નીયેલ ના સામર્થ્યથી કૂશાન-રિશઆથાઈમનો પરાજય થયો.
11 અને ચાળીસ વર્ષ લગી દેશમાં શાંતિ હતી, પછી ઓથ્નીએલ(કનાઝનોદીકરો) મરી ગયો.
12 ઇઝરાયલ ના લોકોએ દુષ્ટ બાબતો દ્વારા, ઈશ્વર ની આજ્ઞા નું પાલન કર્યું નહિ ; ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કેમકે ઇઝરાયલએ દુષ્ટ કામો કર્યા અને ઈશ્વરે તે જોયું.
13 એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓ ને એકઠા કરીને ઇઝરાયેલીઓ ને હરાવ્યા અને ખજુરીઓના નગરનીસંપતિ લઈ લીધી.
14 ઇઝરાયલ ના લોકોએ અઢાર વર્ષ લગી મોઆબના રાજા એગ્લોનની તાબેદ્દારી કરી.
15 પણ જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોડિયો માણસ હતો. તેને તેઓને મદદ કરવા સારૂ ઉભો કર્યો; ઇઝરાયલ ના લોકોતેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
16 અને એહૂદે પોતાને સારૂ એક હાથ લાંબી એવી એક તલવાર બનાવી જેની બે ધાર હતી. તેણે વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે લટકાવી.
17 તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. (હવે એગ્લોન તો ઘણો જાડો માણસ હતો.)
18 જયારે એહૂદે નજરાણું પ્રસ્તુત કર્યું, અંદર ઊંચકી લાવનાર લોકોને તેણે મોકલી દીધા.
19 તે પોતે, પણ, જયારે ગિલ્ગાલની નજીક કોતરેલી જગ્યાએ પહોંચ્યો, ત્યાં તે વળ્યો અને પાછો ગયો, તેણે કહ્યું, "મારા રાજા, તારા માટે મારી પાસે એક અંગત સંદેશ છે." એગ્લોને કહ્યું, "ચૂપ રહે!" અને જેઓ તેની સેવા કરતા હતા તેઓ સર્વ ઓરડો છોડીને ચાલ્યા ગયા.
20 એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે કહ્યું, "હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું," તે રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
21 એહૂદ પોતાના ડાબા હાથમાંથી, પોતાના જમણી જાંઘમાંથી તરવાર કાઢી અને તેણે રાજાના શરીરમાં ભોંકી દીધી.
22 અને તે તરવારની સાથે હાથો પણ સંપૂર્ણપણે અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી આવી ગઈ, કેમ કે એહૂદે તે તરવાર તેના શરીરમાંથી બહાર ખેંચી કાઢી નહોતી.
23 ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને ઓરડીમાંના બારણાંમાં તેને પાછળથી બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
24 એહૂદના ગયા પછી, રાજાના નોકરો આવ્યા; તેઓએ જોયું કે ઉપરના ઓરડાના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું, "ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાનો રીતે આરામ મેળવતો હશે."
25 જયારે રાજાએ બારણું ના ઉઘાડ્યું ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ પોતાના કામોને તુચ્છ ગણવા લાગ્યા. જેથી તેઓએ ચાવી લીધી અને તેના બારણા ઉઘાડ્યા અને તેઓએ તેમના માલિકને ભૂમિ પર મરણ પામેલો જોયો.
26 જયારે નોકરો રાહ જોતા હતા કે, તેઓએ શું કરવું જોઈએ, એટલામાં એહૂદ નાસીને જ્યાં મૂર્તિઓની કોતરણી કરેલી હતી ત્યાં પહોંચી ગયો અને સેઈરાહ સુધી નાસી ગયો.
27 જયારે તે પહોંચ્યો, તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઉતર્યા અને તેઓને તે આગેવાની આપતો હતો.
28 તેણે તેઓને કહ્યું, "મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મનો મોઆબીઓને તમારા હાથમાં આપ્યાં છે." તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહી.
29 તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાંખ્યા, સર્વ મજબુત અને શૂરવીર પુરુષો હતા. એકપણ બચ્યો નહિ.
30 તેથી તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશ શાંતિમાં રહ્યો.
31 ત્યાર પછી અનાથનો દીકરો શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, જેણે બળદ હાંકવાની પરોણીથી પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલને સંકટથી છોડાવ્યા.