1 અને પચાસમાનો દિવસ આવ્યો, ત્યારે તેઓ સર્વ એક જગ્યામાં એકઠા થયલા હતા.

2 ત્યારે એકએક ભારે આંધીના ઘુઘવાટ જવો આકાશમાંથી આવાજ આવ્યો, ને તેઓ બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું.

3 અને અગ્નિના જેવા જૂદી પડતી જીભો તેઓને દેખાઈ, ને તેઓમાંના પ્રત્યેક ઉપર બેઠી.

4 અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપપુર થયા, ને આત્માએ જેમ તેઓની બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યાં.

5 હવે આકાશની તળેના પ્રત્યેક દેશમાંથી ધાર્મિક યહૂદી માણસો યરૂશાલેમમાં રહેતા હતા.

6 અને તે અવાજ સંભળાયો ત્યારે ઘણા લોકો એકઠા થયા, ને તેઓ દંગ થઇ ગયા, કેમકે તેઓમાંના પ્રત્યેક પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા.

7 અને તેઓ સઘળા વિસ્મિત થયા, ને અચરત થઈને એક બીજાને કહેવા લાગ્યાં કે, જુઓ, આ સઘળા બોલનારા ગાલીલના નથી શું?

8 તો આપણે પ્રત્યેક પોતપોતાની જન્મભાષામાં [તેઓને બોલતાં] કેમ સાંભળીએ છોએ?

9 પારથીઓ તથા માદીઓ તથા એલામીઓ, ને મેસોપટામ્યાના તથા યહુદાહના તથા કાપાદોકિયાના, પંતસના તથા આશિયાના,

10 ક્રુગિયાના તથા પાંફુલ્યાના, મિસરના તથા કુરેના પાસેના લીબયાના પ્રાન્તોમાંના રહેવાસીઓ તથા રૂમી પ્રવાસીઓ, યહુદીઓ તથા થયલા યહુદીઓ પણ,

11 ક્રેતીઓ તથા અરબો, તેઓને આપણી ભાષાઓમાં દેવનાં મોટા કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.

12 અને તેઓ સર્વ વિસ્મિત થયા, ને ગૂંચવણમાં પડીને તેઓ એક બીજાને કહેવા લાગ્યા કે, આ શું હશે?

13 પણ બીજાઓએ ઠઠ્ઠા કરતાં કહ્યું કે, એ માણસોએ નવો દ્રાક્ષરસ પીધો છે.

14 ત્યારે પીતરે અગીઆરો સુદ્ધાં ઉભા થઇ ઘાટો પાડીને તેઓને કહ્યું કે, યહુદાહના માણસો, તથા યારુશાલેમના સર્વ રહેવાસીઓ, તમે આ જાણી લો, ને મારી વાતોને કાન ધરો;

15 આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમકે [હજી તો] દિવસનો પહેલોજ પહોર છે;

16 પણ એ તો યોએલ ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે છે કે,

17 દેવ કહે છે કે, છેલ્લો દિવસોમાં એમ થશે કે, હું મારો આત્મા સર્વ માણસો પર રેડીશ, ને તમારા દીકરાઓ તથા તમારી દીકરીઓ ભવિષ્યવાદ કહેશે, ને તમારા જુવાનોને સંદર્શનો થશે, ને તમારા વૃદ્ધાને સવપ્ન આવશે;

18 વળી તે દિવસોમાં હું મારા દાસો પર તથા માર દાસીઓ પર મારો આત્મા રેડીશ, ને તેઓ ભવિષ્યવાદ કહેશે;

19 ને ઉપર આકાશમાં અદભૂત કામ, તથા નીચે પૃથ્વીમાં ચમત્કારો હું દેખાડીશ, લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા;

20 પ્રભુનો તે મોટો તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂરજ અંધકારરૂપ, ને ચંદ્ર લોહીરૂપ થઇ જશે;

21 ને એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે.

22 ઇસ્રાએલી માણસો, તમે આ વાતો સાંભળો. ઇસુ નાઝારી, જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમી કામો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યા, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે દેવને પસંદ પડેલો માણસ તમારી આગળ [સાબિત થયો] તે છતાં,

23 દેવના ઠરાવેલા મનસુબા તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તે પરસ્વાધીન કરાયેલો, તેને તમે પકડીને ભૂંડાઓની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યો.

24 તેને દેવે મરણની વેદનાથી છોડીને ઉઠાડ્યો, કેમકે તે તેથી બંધાઈ રહે તે અશક્ય હતું.

25 કેમકે દાઉદ તેના વિષે કહે છે કે, મેં પોતાની સન્મુખ પ્રભુને સદા જોયો, કેમકે તે મારે જમણે હાથ છે, એ માટે કે હું ખસેડાઉં નહિ.

26 તે સારૂ મારું અંતઃકારણ મગ્ન થયું, ને મારી જીભ હરખાઈ, વળી મારો દેહ પણ આશામાં રહેશે.

27 કેમકે તું મારા આત્માને હાડેસમાં રહેવા નહિ દઈશ, વળી તું તારા પવિત્રને કહોવાણ પણ જોવા નહિ દઈશ;

28 તે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તું તારા મુખ[ના દર્શન]થી મને આંનદે ભરપૂર કરીશ.

29 ભાઈઓ, [આપણા] પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છ, ને દટાયો પણ છે, ને તેની કબર આજ લગી આપણે અહીં છે.

30 તે ભવિષ્યવાદી હતો, ને જાણતો હતો કે દેવે સમ ખાઈને મને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રજ્યાસન પર બેસાડીશ;

31 એવું આગળથી જાણીને તેણે ખ્રીસ્તના પુનરૂત્થાન વિષે કહ્યું કે, તે હાડેસમાં મુકી દેવાયો નહિ, ને તેના દેહે કહોવાણ પણ જોયું નહિ.

32 એ ઈસુને દેવે ઉઠાડ્યો છે, ને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.

33 માટે દેને જમણે હાથે ઉંચો કરાઈને, તથા બાપ પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો, ને સાંભળો છો, તે તેણે રેડ્યું છે.

34 કેમકે દાઉદ તો આકાશમાં ચઢ્યો ન હતો; પણ તે પોતે કહે છે,

35 પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.

36 એ માટે ઇસ્રાએલના આખા વંશે નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત ભણાવ્યો છે.

37 હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પીતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ?

38 ત્યારે પીતરે તેઓને [કહ્યું કે], પસ્તાવો કરો, ને ઇસુ ખ્રીસ્તને નામે તમારામાંનો પ્રત્યેક બાપ્તિસમાં પામો, કે તમારાં પાપનું નિવારણ થાય; ને તમને પવિત્ર આતામનું દાન મળશે.

39 કેમકે તે વચન તમારે સારૂ તથા તમારાં છોકરાને તથા બધાં વેગળાઓને. એટલે આપણો દેવ પ્રભુ જેટલાને પોતાની પાસે તેડશે તેઓને સારૂ છે.

40 અને બીજી ઘણી વાતો કહીને તેણે શાહેદી આપી, તથા બોધ કીધો કે, તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.

41 ત્યારે જેઓએ તેની વાત અંગીકારી તેઓ બાપ્તિસમાં પામ્યા, ને તેજ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં.

42 અને તેઓ પ્રેરીતોના બોધમાં તથા સંગતમાં તથા રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.

43 અને બધાં ભયભિત થયાં; ને પ્રેરિતોથી ઘણાં અદભૂત કામ તથા ચમત્કારો થયાં.

44 અને સઘળા વિશ્વાસીઓ એકઠા રહેતા હતા, ને તેઓની બધી [મિલકત] સામાન્ય હતી.

45 અને તેઓ પોતાની મિલકત તથા સામાન વેચી નાખતા, ને પ્રત્યેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

46 અને તેઓ નિત્ય મંદિરમાં એક ચિતે [હાજર] રહેતા તથા ઘેર રોટલી ભાંજીને, હરખે તથા ભોળા મને ભોજન કરતા રહેતા,

47 અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા, ને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. ને પ્રભુ રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો.