1 અને પ્રાથનાની વેળાએ, ત્રીજો પહોરે, પીતર તથા યોહાન મંદિરમાં જતાં હતાં.

2 હવે એક જન્મથી લંગડા માસને [લોક] ઉંચકી જતાં હતા, ને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારૂ મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય મુક્ત હતા;

3 તેણે પીતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઇને ભીખ માગી.

4 ત્યારે પીતરે યોહાન સુદ્ધાં તેની સામું એકી નજરે જોઇને કહ્યું કે, અમારી તરફ જો.

5 અને તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાએ તેણે તેઓ પર ધ્યાન લગાડ્યું.

6 પણ પીતરે કહ્યું કે, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઇસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.

7 અને તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, ને તરત તેના પગમાં તથા ઘુંટીઓમાં જોર આવ્યું.

8 અને કુદીને તે ઉભો થયો, ને ચાલવા લાગ્યો; ને ચાલતો, કુદતો, તથા દેવનો સ્તુતિ કરતો તેઓની સાથે મંદિરમાં ગયો.

9 અને સર્વ લોકે તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો દીઠો;

10 અને તેને ઓળખ્યો કે મંદિરના સુંદર [નામના] દરવાજા આગળ જે ભીખ માંગવાને બેસતો હતો તે એજ છે, ને તેને જે થયું હતું તેથી તેઓ પુરા અજાયબ તથા વિસ્મિત થયા.

11 અને તે [માણસ] પીતર અને યોહાનને પકડી રહ્યો હતો, ત્યારે બધા લોકો બહુ વિસ્મિત થઈને સુલેમાનની કહેવાએલી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.

12 તે જોઇને પીતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇસ્રાએલી માણસો, આને જોઇને તમે કેમ અજાયબ થાઓ છો? ને જાણે અમે પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કીધો હોય તેમ શા માટે અમને ધારીને જોઈ રહ્યા છો?

13 ઈબ્રાહીમના તથા ઇસ્હાકના તથા યાકૂબના દેવે, એટલે આપણા પૂર્વજોના દેવે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કીધો, જેને તમે પકડાવ્યો, ને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું ત્યારે તેની આગળ તમે તેનો નકાર કીધો.

14 પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કીધો; ને એવું માગ્યું કે આમરે સારૂ એક ખૂની છોડવામાં આવે,

15 અને જીવનના અધિકારીને મારી નાખ્યો; તેને દેવે મુએલાંઓમાંથી ઉઠાડ્યો; ને તેના સાક્ષી અમે છીએ.

16 અને તેના નામના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો ને ઓળખો છો, તેને તેના નામે બળવાન કીધો; હા, તે પરના વિશ્વાસે તેને આ પુરું સજાપણું તમ સર્વની આગળ આપ્યું છે.

17 હવે ભાઈઓ, તમે તેમજ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાએ તે કીધું એ હું જાણું છું.

18 પણ દેવે બધા ભવિષ્યવાદીઓના મ્હોથી જે આગળથી કહ્યું હતું કે, તેનો ખ્રિસ્ત દુઃખ સહેશે, તે એ રીતે તેણે પૂરું કીધું.

19 માટે તમે પસ્તાવો કરો, ને ફરો, એ સારૂ કે, તમારા પાપ ભુસી નખાય; ને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે છે;

20 અને ખ્રિસ્ત જે તમારે સારૂ ઠરાવવામાં આવ્યો છે, તેને એટલે ઇસુને, તે મોકલે.

21 અને દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર ભવિષ્યવાદીઓના મ્હોથી જે વિષે કહ્યું છે તે સઘળું પુનઃસ્થાપિત કરવાના સમયો સુધી આકાશમાં તેણે રહેવું જોઈએ.

22 મુસાએ તો કહ્યું હતું કે, પ્રભુ દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવા એક ભવિષ્યવાદીને તમારે સારૂ ઉભો કરશે, તે જે કંઈ તમને કહે તે સઘળા વિષે તમારે તેનું સાંભળવું.

23 અને એમ થશે કે જે કોઈ માણસ તે ભવિષ્યવાદીનું નહિ સાંભળશે, તેનો લોકમાંથી પુરો નાશ થશે.

24 વળી શમૂએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા ભવિષ્યવાદીઓ બોલ્યા છે, તે સર્વએ આ દિવસો વિષે પણ ખબર આપી છે.

25 તમે ભવિષ્યવાદીઓના સંતાન છો; ને તારા વંશથી પૃથ્વી પરના સર્વ કુળો અશીર્વાદિત થશે, એવું ઈબ્રાહીમને કહીને દેવે તમારા પૂર્વજો સાથે કરાર કીધો, તેના [સંતાન] તમે છો.

26 દેવે પોતાના સેવકને ઉઠાડીને તેને પહેલાં તમારી પાસે મોકલ્યો, એ માટે કે તમે હરેકને તમારાં ભૂંડા કામથી ફેરવીને તે તમને આશીર્વાદ દે.