2 એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, રાજાએ મને એ કામ ફરમાવીને કહ્યું છે કે, જે કામ વિષે હું તને મોકલું છું, તથા જે કામ મેં તને ફરમાવ્યું છે, તે વિષે કોઇ માણસને કિન્ન ખબર ન પડે; ને ફલાણી ફલાણી જગ્યા પર મેં યુવાનોની નિમણુક કરી છે.
3 તો હવે તારા હવાલામાં શું છે? પાંચ રોટલી, અથવા જે કંઈ હાજર હોય તે, મારા હાથમાં આપ.
4 અને યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું કે, મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી, પણ પવિત્ર રોટલી છે; પણ જો યુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તોજ તે અપાય.
5 અને દાદુએ યાજકને ઉત્તર આપીને તેને કહ્યું કે, આસરે ગયા ત્રણ દિવસોમાં તો સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાઈ છે; જયારે હું ચાલી નિકળ્યો ત્યારે, જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી તો પણ યુવાન પુરુષોનાં પાત્રો પવિત્ર હતા; તો આજ તેમનાં પાત્રો કેટલાં વિશેષ પવિત્ર હશે!
6 તો ઉપરથી યાજકે તેને પવિત્ર રોટલી આપી. કેમકે બીજી ગરમ રોટલી યહોવાહની આગળ મુકવા સારૂ તે દિવસે તેની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી શિવાય બીજી કંઈ રોટલી હતી નહિ.
7 હવે તે દિવસે શાઉલના ચાકરોમાંના એક અમુક માણસ ત્યાં યહોવાહની આગળ રોકલો હતો, ને તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીઓમાં મુખ્ય હતો.
8 અને દાઉદે અહીમેલેખને કહ્યું કે, શું તારા હવાલામાં અહીં ભાલો કે તરવાર નથી.
9 અને યાજકે કહ્યું કે, જો, પલિસ્તી ગોલ્યાથ જેણે તે એલાહની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં લુગડે વિંટાળીને એફોદની પાછળ મુકેલી છે; જો તે તારે લેવાની ઈચ્છા હોય, તો લે; કેમકે તે શિવાય બીજી એકે અહીં નથી. અને દાઉદે કહ્યું કે, એના જેવી એકે નથી, એ મને આપ.
10 અને દાઉદ ત દિવસે ઉઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
11 અને આખીશના ચાકરોએ તેને કહ્યું કે, શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં સામાસામી આ પ્રમાણે ગાયું નથી? કે, શાઉંલ પોતાના સહસ્ત્રોને માર્યા છે, ને દાઉદે તો પોતાના દસ સહસ્ત્રોને માર્યા છે.
12 અને દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા, ને ગાથમાં રાજા આખીશથી તે ઘણો બીતો હતો.
13 અને તેણે તેઓની આગળ પોતાની વર્તણુક બદલી, ને તેઓના હાથમાં હતો ત્યારે ઘેલાઈનું ઢોંગ ધારણ કીધું, ને દરવાજાનાં કમાડો ઉપર લીટા પાડ્યા, ને પોતાનું થુંક દાઢી ઉપર પડવા દીધું.
14 ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું કે, જુઓ, તમે જુઓ છો કે એ માણસ ગાંડો છે, તો શા વાસ્તે તમે તેને મારી પાસે લાવ્યા છો?
15 શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજુરમાં ઘેલાઈ કરવાને આણ્યો છે? શું આ માણસને મારા ઘરમાં દાખલ કરાય?