2 ને તેણે તેને કહ્યું, એ તારાથી દૂર થાઓ; તું માર્યો નહિજ જશે; મારો બાપ મોટું કે નાણું કંઈ પણ મને જણાવ્યા વગર કરતો નથી; ને આ વાત મારો બાપ મારાથી કેમ છુપાવે? એમ તો ન હોય.
3 અને દાઉદ વળી સોગલ ખાઈને કહ્યું કે, તારો બાપ સારી પેઠે જાણે છે કે, હું તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દિલગીરી ઉત્પન્ન થાય; પણ હું જીવતા યહોવાહના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, ખેરેખર મારી તથા મોતની વચ્ચે ફક્ત એક ડગલુંજ રહ્યું છે.
4 ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે, જે કંઈ તારા જીવની ઇચ્છા હોય, તે હું તારે વાસ્તે કરૂં.
5 અને દાઉદે યોનાથાનને કહ્યું કે, જો કાલે અમાસ છે, ને મારે રાજાની સાથે ખાણા પર બેઠા વગર ચાલે એમ નથી; પણ મને જવા દે કે પરમ દહાડાની સાંજ સુધી હું સીમમાં સંતાઈ રહું.
6 જો મારી ગેરહાજરી તારી બાપની નજરમાં આવેજ, તો તું કહેજે કે, દાઉદ પોતાના નગર બેથલેહેમમાં દોડતો જઈને આવવાને સારૂ હઠેઠથી મારી પાસે રજા માગી; કેમકે ત્યાં આખા કુટુંબને સારૂ વાર્ષિક યજ્ઞ છે.
7 જો તે એમ કહે કે, ઠીક છે; તો તારા દાસને શાંતિ થશે; પણ જો તે ગુસ્સે થાય તો જાણજે કે તેણે ઉપદ્રવનો નિશ્ચય કીધો છે.
8 માટે તારા સેવક ઉપર કૃપા કર, કેમકે તેં તારા સેવકને તારી સાથે યહોવાહના કરારમાં લીધો છે; પણ મારામાં દુષ્ટાઈ હોય, તો તું મને પંડે મારી નાખ;કેમકે તું મને તારા બાપ પાસે શા સારૂ લઇ જય?
9 ને યોનાથાને કહ્યું કે, એ તારાથી દૂર થાઓ; કેમકે જો એવું મારા જાણવામાં આવે, કે મારા બાપે તારા પર જોખમ આણવાનો નિશ્ચય કીધો છે, તો શું તે હું તને ન કહું?
10 ત્યારે દાઉદે યોનાથાનને કહ્યું કે, જો કદાપિ તારો બાપ તન કઠોર વચનોથી ઉત્તર આપશે તો મને તે કોણ કહેશે?
11 અને યોનાથાને દાઉદને કહ્યું કે, ચાલ, આપણે બહાર સીમમાં જઈએ. અને તે બન્ને બહાર સીમમાં ગયા.
12 અને યોનાથાને ઇસ્રાએલના દેવ યહોવાહને શાહેદી રાખીને દાઉદને કહ્યું કે, કાલે સુમારે આ વેળાએ કે પરમ દિવસે મારા બાપના મનને તપાસી જોઇને, જો દાઉદના હકમાં ઠીક હશે, તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહિ કહાવીશ?
13 જો મારા બાપની મરજી તને હાનિ પહોંચાડવાની હશે તો, જો હું તને ખબર ના આપું, ને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને વિદાય ના કરૂં, તો યહોવાહ યોનાથાન ઉપર એવું, તથા એથી પણ વધારે વિતાડો; ને જેમ યહોવાહ મારા બાપની સાથે હતો તેમ તે તારી સાથે હો.
14 અને ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાહની કૃપા રાખીને મારૂં મોત તું ન આણીશ, એટલુંજ નહિ,
15 પરંતુ મારા ઘરપરથી પણ કોઇ કાલે તારી કૃપા ઉઠાવી લઇશ નહિ; બલકે, યહોવાહ દાઉદના પ્રત્યેક શત્રુને પૃથ્વીની પીઠપરથી નષ્ટ કરી નાખે ત્યારે પણ નહિ.
16 એ પ્રમાણે યોનાથાને દાઉદના ઘરની સાથે કરાર કર્યો, ને કહ્યું કે, યહોવાહ દાઉદના શત્રુઓની પાસેથી જવાબ લેશે.
17 અને તેની ઉપરના પોતાના પ્યારની ખાતર, યોનાથાને દાઉદને ફરીથી સમ ખવડાવ્યા; કેમકે તે પોતાના જીવની પેઠે તેના ઉપર પ્રીતિ કરતો હતો.
18 પછી યોનાથાને તેને કહ્યું કે, કાલે અમાસ છે; ને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમકે તારી બેઠક ખાલી હશે.
19 અને ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી જલદીથી નીચે ઉતરીને, જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને, એઝેલ પત્થર પાસે તું રહેજે.
20 અને નિશાન મારતો હોઉં એવું ડોળ દેખાડીને હું ત્રણ બાણ તે તરફ મારીશ.
21 અને, જો, હું છોકરાને એમ કહીને મોકલીશ કે, જા, બાણ શોધી કાઢ. જો હું છોકરાને કહું કે, જો, બાણ તારી આણીગમ છે; તો તેમને લઈને આવજે; કેમકે જીવતા યહોવાહના સમ કે, ત્યારે તું સહીસલામત તથા નિર્વિઘ્ન છે.
22 પણ જો હું તે છોકરાને કહું કે, જો, બાણો તારી પેલી તરફ છે, તો તારે રસ્તે ચાલ્યો જજે; કેમકે યહોવાહે તને વિદાય કીધો છે.
23 અને જે બાબત વિષે તેં ને મેં વાત કરી છે તેમાં તો, જો, યહોવાહ સદાકાળ સુધી તારી ને મારી વચમાં છે.
24 એમ દાઉદ સીમમાં સંતાઈ રહ્યો; ને અમાસ આવી ત્યારે રાજા જમવાને બેઠો.
25 અને રાજા આગળના રિવાજ પ્રમાણે પોતાના આસન પર, એટલે ભીંત પાસેના આસન પર બેઠો; ને યોનાથાન ઉભો રહ્યો હતો, ને આબ્નેર શાઉલની બાજુએ બેઠો હતો; પણ દાઉદની જગ્યા ખાલી હતી.
26 પરંતુ શાઉલ તે દિવસે કંઈ બોલ્યો નહિ; કેમકે તેણે ધાર્યું કે તેને કંઈ થયું હશે; તે અશુદ્ધ થયેલો હશે; બેશેક તે અશુદ્ધ થએલો છે.
27 અને અમાસને બીજે દિવસે,એટલે માસને બીજે દિવસે, એમ બન્યું કે, દાઉદની જગ્યા ખાલી હતી; ને શાઉલે પોતાના દીકરા યોનાથાનને કહ્યું કે, યિશાઈનો દીકરો જમવા કેમ નથી આવતો, કાલે તેમ આજ પણ નહિ?
28 અને યોનાથાને શાઉલે ઉત્તર આપ્યો કે, દાઉદે બેથલેહેમ જવા સારૂ આગ્રહથી મારી પાસે રજા માગી;
29 ને તેણે કહ્યું કે, કૃપા કરીને મને જવા દે; કેમકે અમારા કુટુંબને નગરમાં યજ્ઞ કરવાનો છે; ને મારા ભાઈએ મને ત્યાં જવાનો હુકમ કીધો છે; ને હવે જો તારી દૃષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરી મને અહીંથી જઈને મારા ભાઈઓને મળવા દે. એ માટે તે રાજાના ખાણા પર આવ્યો નથી.
30 ત્યારે શાઉલે યોનાથાન ઉપર ક્રોધાયમાન થઈને તેને કહ્યું કે, અરે વિપરીત તથા ફિતૂરી સ્ત્રીના છોકરાં, તારા પોતા પર લાજ લાવવા સારૂ તથા તારી માંની ફજેતી કરવા સારૂ તે યિશાઈના દિકરાને પસંદ કર્યો છે, એ શું હું નથી જાણતો?
31 કેમકે જ્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારૂં રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસ મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ, કેમકે તેને મરવું એ તો અવશ્ય છે.
32 અને યોનાથાને પોતાના બાપ શાઉલને ઉત્તર આપતાં કહ્યું કે, તેને શા વાસ્તે મારી નાખવો જોઈએ? તેણે શું કીધું છે?
33 અને શાઉલે તેને મારવા સારૂ પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો; તે ઉપરથી યોનાથાને જાણ્યું કે, મારા બાપે દાઉદને મારી નાખવાનો નિશ્ચય કીધો છે.
34 તેથી યોનાથાન ઘણો ક્રોધાયમાન થઈને ખાણા ઉપરથી ઉઠી ગયો, ને માસને બીજે દિવસે તે કંઈ પણ જમ્યો નહિ. કેમકે દાઉદ વિષે તેને દુઃખ લાગ્યું, કેમકે તેના બાપે એનું અપમાન કીધું હતું.
35 અને સવારમાં એમ થયું કે, યોનાથાન એક નાના છોકરાને સાથે લઈને દાઉદની સાથે ઠરાવેલે વખતે ખેતરમાં ગયો.
36 અને તેણે પોતાની સાથેના છોકરાને કહ્યું, દોડ, ને જે બાણો હું મારૂં તે શોધી કાઢ. ને છોકરો દોડતો હતો તે દરમિયાન તેણે એક બાણ તેનાતી આગળ માર્યું.
37 અને યોનાથાને બાણ માર્યું હતું તે ઠેકાણે તે છોકરો પહોંચ્યો, ત્યારે યોનાથાને છોકરાની પાછળ હાંક મારીને કહ્યું કે, બાણ હજી તારાથી આગળ નથી શું?
38 ને યોનાથાને છોકરાપાછળ હાંક મારી કે, જડપ કર, જલદી આવ, વિલંબ ન કર. અને યોનાથાનનો છોકરો બાણો એકઠા કરીને પોતાના ઘણી પાસે આવ્યો.
39 પણ ચોરો કંઈ જાણતો નહોતો; કેવળ યોનાથાન તથા દાઉદ તે બાબત વિષે જાણતા હતા.
40 અને યોનાથાને પોતાનાં શસ્ત્રો પોતાના છોકરાને આપીને તેને કહ્યું કે, તેમને નગરમાં લઇ જા.
41 અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુએથી ઉભો થયો, ને સાષ્ટાંગ દંડવત કરીને ત્રણ વાર પ્રણામ કીધા; ને તેઓએ એકબીજાની સાથે રડ્યા, ને આખરે દાઉદનું રડવું વધારે થયું.
42 અને યોનાથાને દાઉદને કહ્યું કે, શાંતિએ જા, કેમકે આપણ બન્નેએ યહોવાહને નામે સમ ખાધા છે કે, આપણે યહોવાહને સદાકાળ સુધી મારી તથા તારી વચ્ચે, ને મારા સંતાન તથા તારા સંતાનની વચ્ચે રાખીશું. અને તે ઉઠીને વિદાય થયો; ને યોનાથાન નગરમાં ગયો.