2 અને જે સર્વ સંકટમાં હતા, તથા જે સર્વ દેવાદાર હતા, તથા જે સર્વ અસંતોષી હતા, તેઓ તેની પાસે એકઠા થયા; ને તે તેઓનો સરદાર બન્યો; ને ત્યાં તેની સાથે આસરે ચારસેં માણસો હતા.
3 અને દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પેહમાં ગયો; ને તેણે મોઆબના રાજાને કહ્યું કે, દેવ મારા હકમાં શું કરવાનો છે એ મારા જાણવામાં આવે, ત્યાં સુધી કૃપા કરીને મારા બાપને તથા મારી માને અહીં આવીને તારી પાસે રહેવા દે.
4 અને તે તેઓને મોઆબના રાજાની હજુરમાં લાવ્યો; ને દાઉદ ગઢમાં રહેતો હતો તેટલો બધો વખત તેઓ તેની સાથે રહ્યાં.
5 અને ગાદ ભવિષ્યવાદીએ દાઉદને કહ્યું કે, ગઢમાં ન રહેતો; અહીંથી નિકળીને યહુદાહના દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં આવ્યો.
6 અને શાઉલે સાંભળ્યું કે દાઉદ તથા તેની સાથેના માણસો છતા થયા છે; આ વેળાએ શાઉલ તો ગિબઆહમાં, રામાહમાંના આમલીના ઝાડ તળે, પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, ને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઉભા હતા.
7 અને શાઉલે પોતાની આસપાસ ઉભેલી પોતાના ચાકરોને કહ્યું કે, હે બિન્યામીનીઓ, તમે સાંભળો; શું યિશાઈનો દીકરો તમ પ્રત્યેકને ખેતરો તથા દ્રાક્ષવાડીઓ આપશે, શું તે તમ સર્વેને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે;
8 કે તમ સર્વેએ મારી વિરુદ્ધ ફિસાદ રચ્યો છે, ને મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે ત્યારે મને ખબર આપનાર કોઇ નથી, ને મારે લીધે દલગીર થનાર કોઇ નથી, અથવા મારા દીકરાએ મારા ચાકરને મારી વિરુદ્ધ આજની પેઠે સંતાઈ રહેવાને ઉસકેર્યો છે તેની મને ખબર આપનાર તમારામાંનો કોઇ નથી?
9 ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઉભો હતો, તેણે ઉત્તર આપીને કહ્યું કે, મેં યિશાઈના દીકરાને નોબમાં અહીટૂબના દીકરા અહીમેલેખ પાસે આવતો જોયો હતો.
10 અને એણે તેને સારૂ યહોવાહની સલાહ પુછી, ને તેને ભાથું આપ્યું, ને તેને ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી.
11 ત્યારે રાજાએ અહીટૂબના દીકરા અહીમેલેખ યાજકને, તથા તેના બાપના આખા ઘરનાં યાજકો જે નોબમાં હતા, તેઓને તેડાવ્યા; ને તે સર્વે રાજા પાસે આવ્યા.
12 અને શાઉલે કહ્યું, હે અહીટૂબના દીકરા, હમણાં સાંભળ. અને તેણે ઉત્તર આપ્યો, હે મારા મુરબ્બી, હું હાજર છું.
13 અને શાઉલે તેને કહ્યું કે, યિશાઈનો દીકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની માફક મારે સારૂ સંતાઈ રહે, તે માટે તે તેને રોટલી તથા તરવાર આપીને, તથા તેને સારૂ દેવની સલાહ પુછીને, તમે, એટલે તેં તથા તેણે, મારી વિરુદ્ધ ફિતૂર કેમ રચ્યું છે?
14 ત્યારે અહીમેલેખ રાજાને ઉત્તર આપ્યો કે, દાઉદ કે જે રાજાનો જમાઇ છે, ને તારી રાજ્યસભામાં દાખલ કરાએલો છે, તે તારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તારા બધા ચાકરોમાં કોણ છે વારૂ?
15 શું મેં આજજ તેને સારૂ દેવની સલાહ પૂછવાનું શરૂ કીધું છે? એ મારાથી દૂર થાઓ; રાજાએ પોતાના ચાકરને માથે કે મારા બાપના ઘરનાં કોઈને માથે એ અપરાધ મુકવો નહિ; કેમકે એ સર્વ બાબતો વિષે તારો ચાકર કંઈ પણ વત્તું કે ઓછું જાણતો નથી.
16 ત્યારે રાજાએ કહ્યું કે, હે અહીમેલેખ તું તારા બાપના આખા ઘર સુધા ખચિત માર્યો જશે;
17 અને રાજાએ પોતાની આસપાસ ઉભા રહેલા અંગરક્ષકોને કહ્યું કે, ફરીને યહોવાહના યાજકોને મારી નાખો, કેમકે તેઓનો હાથ પણ દાઉદ સાથે છે, ને તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા તેમ છતાં, તેઓએ મને તેની ખબર ન આપી. પણ રાજાના ચાકરો યહોવાહના યાજકો ઉપર તુટી પડવા સારૂ પોતાના હાથ લાંબા કરવાને રાજી નહોતા.
18 ત્યારે રાજાએ દોએગ્નેકહ્યુ કે, તું પાછો ફરીને યાજકો ઉપર તુટી પદ. અને દોએગ અદોમી પાછો ફર્યો, ને યાજકો ઉપર તુટી પડીને તે દિવસે તેણે સણનો એફોદ પહેરેલો પંચાશી પુરૂષોને મારી નાખ્યા.
19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું, એટલે પુરૂષો તથા સ્ત્રીઓને, બાળકો તથા ધાવણાનો, અને બળદો તથા ગધેડાં તથા ઘેટાંનો તેણે તરવારની ધારથી સંહાર કીધો.
20 અને અહીટૂબના દીકરા અહીમેલેખનો અબ્યાથાર નામનો એક દીકરો બચી ગયો, ને દાઉદ પાછળ નાસી ગયો.
21 અને અબ્યાથારે દાદુદને ખબર આપી કે, શાઉલે યહોવાહના યાજકોને મારી નાખ્યા છે.
22 અને દાઉદે આબ્યાથારને કહ્યું કે, તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથીજ હું જાણતો હતો કે તે શાઉલને જરૂર કહી દેશે. તારા બાપના ઘરનાં સર્વ માણસોના મોતનું કારણ હુંજ થયું છું.
23 તું મારી સાથે રહે; બીશ નહિ; કેમકે જે તારો જીવ લેવા શોધે છે તે મારો જીવ લેવા શોધે છે; કેમકે મારી સાથે તું સહીસલામતીમાં રહેશે.