2 અને શાઉલે પોતાને સારૂ ઇસ્રાએલમાંથી ત્રણ હજાર માણસોને ચુંટી કાઢ્યા; તેમાંના બે હજાર શાઉલ સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વતમાં હતા; ને એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબઆહમાં હતા; ને બાકીનાં લોકોને તેણે પોતાના તંબુએ મોકલ્યા.
3 અને યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેબામાં હતું તે માર્યું, ને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. અને શાઉલે આખા દેશમાં રણશિંગડું વગડાવીને કહાવ્યું કે, હેબ્રીઓ, સાંભળો.
4 અને શાઉલે પલિસ્તીઓનું થાણું માર્યું છે, ને પલિસ્તીઓ ઇસ્રાએલને પણ ધિક્કારપાત્ર ગણે છે, એવું સર્વ ઇસ્રાએલીઓએ સાંભળ્યું, ને લોકો શાઉલ પાછળ ગિલ્ગાલમ એકઠા થયા.
5 અંને ત્રીસ હજાર રથો, ને છ હજાર સ્વારો, ને સંખ્યામાં સમુદ્રની રેતી પ્રમાણે લોકોને લઈને પલિસ્તીઓ ઇસ્રાએલ સામે લડવાને એકઠા થયા; ને તેઓએ આવીને બેથ-આવેનની પૂવ ગમ મિખ્માશમાં છાવણી કીધી.
6 અને ઇસ્રાએલી માણસોએ જોયું કે, અમે સંકટમાં આવી પડ્યા છીએ, કેમકે લોકો દુઃખિત હતા, ત્યારે ગુફાઓમાં, ને ઝાડીઓમાં, ને ખડકોમાં, ને કોતરોમાં, ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.
7 હવે કેટલાક હેબ્રીઓ યરદન ઉતરીને ગાદ તથા ગિલઆદ દેશમાં ગયા હતા; પણ શાઉલ હજી સુધી ગિલ્ગાલમાં હતો, ને સર્વ લોક તેની પાછળ કાંપતા કાંપતા ચાલતા હતા.
8 અને શમૂએલના કીધેલા પ્રમાણે તેણે સાત દિવસ વાટ જોઈ; પણ શમૂએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, ને લોકો તેની પાસેથી વિખેરાઈ જતાં હતા.
9 અને શાઉલે કહ્યું કે, દહીનીયાર્પણો તથા શાંત્યર્પણો અહીં મારા પાસે લાવો. અને તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.
10 અને એમ થયું કે, તે દહનીયાર્પણ કરી રહ્યો, કે તુરંત, જુઓ, શમૂએલ આવ્યો, ને શાઉલ તેને મળીને સલામ કરવા સારૂ સામો ગયો.
11 અને શમૂએલે કહ્યું, તે શું કીધું છે? ને શાઉલે કહ્યું કે, મેં જોયું કે, લોકો મારી પાસેથી વિખેરાઈ ગયા છે, ને ઠરાવેલી મુદ્દતની અંદર તું આવ્યો નહિ, ને પલિસ્તીઓ મિખ્માશ પાસે એકઠા થયા છે;
12 તે માટે મેં કહ્યું કે, હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે, ને મેં યહોવાહની કૃપા વિનવી નથી; તેથી મારૂં મન દુખવીને મેં દહનીયાર્પણ કીધું છે.
13 અને શમૂએલે શાઉલને કહ્યું, તે મૂર્ખાઈ કીધી છે; તારા દેવ યહોવાહે જે અજ્ઞા તને આપી, તે તેં માંની નથી; નહિ તો હમણાં યહોવાહે ઇસ્રાએલ ઉપર તારૂં રાજ્ય સદા સ્થાપ્યું હોત.
14 પણ હવે તારૂં રાજ્ય જારી રહેશે નહિ; યહોવાહે પોતાને મનગમતો માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાહે પોતાના લોક પર રાજા તરીકે તેની નિમણુક કીધી છે; કેમકે યહોવાહે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી.
15 અને શમૂએલ ઉઠ્યો, ને ગિલ્ગાલથી બિન્યામીનના ગિબઆહમાં ગયો; ને શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણત્રી કીધી, તેઓ આસરે છસેં માણસ હતા.
16 અને શાઉંલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોક હાજર હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા; પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી કીધી.
17 અને પલિસ્તીઓની છાવણીમાંથી લુટારાની ત્રણ ટોળીઓ બહાર નીકળી, એક ટોળી ઓફાહને માર્ગે શૂઆલ દેશ તરફ વળી;
18 ને બીજી ટોળી બેથ-હેરોનના માર્ગ ઉપર વળી; ને બીજી એક ટોળી, જે સીમા સબોઈમના નીચાણની સામે અરણ્ય તારફ છે, તેને માર્ગે વળી.
19 હવે ઇસ્રાએલના આખા દેશમાં કોઇ લુહાર મળતો નહોતો; કેમકે પલિસ્તીઓએ કહ્યું હતું કે, રખે હેબ્રીઓ પોતાન માટે તરવાર કે ભાલા બનાવે.
20 પણ સર્વ ઇસ્રાએલ પોતાની કોશો, ને પોતાના ફાળદાંતા ને પોતાની કુહાડીઓ, ને પોતાની કોદાળીઓ ટીપાવવાને પલિસ્તીઓ પાસે જતા.
21 તો પણ કોદાળીઓ, ને ફાળદાંતા, ને સેંતલા ને કુહાડીઓને વાસ્તે તથા આરો બેસાડવાને વાસ્તે તેઓની પાસે કાનસ હતી.
22 તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વ લોક શાઉલ તથા યોનાથાનની સાથે હતા, તેઓના હાથમાં તરવાર કે ભાલા દેખાતા નહોતા; પણ શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા.
23 અને પલિસ્તીઓનું લશ્કર બહાર નિકળીને મિખ્માશના ઘાટ આગળ ગયું.