1 ત્યારે હોડીમાં બેસીને તે પેલે પાર ગયો, ને પોતાના નગરમાં આવ્યો.
2 અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા, ને ઇસુએ તેઓનો વિશ્વાસ જોઇને પક્ષઘાતીને કહ્યું કે, દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયા છે.
3 ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાએક પોતાના મનમાં કહ્યું કે, એ દુર્ભાષણ કરે છે.
4 ત્યારે ઇસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, તમે તમારા મનમાં શા માટે ભુંડા વિચાર કરો છો?
5 કેમકે એ બેમાનું વધારે સહેલું કયું છે, એ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે ઉઠીને ચાલ?
6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (ત્યારે તે પક્ષઘાતી કહે છે કે) ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા.
7 અને તે ઉઠીને પોતાને ઘેર ગયો.
8 અને તે જોઇને લોકો અચરત થયા, ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કીધી.
9 અને ઇસુએ ત્યાંથી જતાં માત્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો દીઠો; ને તેણે તેને કહ્યું કે, તું મારી પાછળ આવ. ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો.
10 અને એમ થયું કે, ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઇસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા.
11 અને ફરોશીઓએ એ જોઇને તેના શિષ્યોને કહ્યું કે, તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?
12 અને તેણે એ સાંભળીને તેઓને કહ્યું કે, જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જે માંદા તેઓને છે.
13 પણ, યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો શો અર્થ છે, તે જઇને શિખો; કેમકે હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા આવ્યો છું.
14 ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતાં, એનું કારણ શું?
15 ત્યારે ઇસુએ તેઓનને કહ્યું કે, જ્યાં સુધી વાર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દહાડા આવશે કે વાર તેઓની પાસેથી લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 વળી કોરા લુંગડાનું થિંગડું જુના લુંગડામાં કોઇ નથી દેતું, કેમકે તે થિંગડાથી તે લુગડું ખેંચાય છે, ને ફાટ વધતી પડે છે.
17 વળી નવો દ્રાક્ષરસ જુની મસકોમાં કોઇ નથી ભરતું, જો ભરે તો મસકો ફાટી જાય છે, ને દ્રાક્ષરસ વહી જાય છે, ને મસકોનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષરસ નવી મસકોમાં ભરે છે, ને બેહુનું રક્ષણ થાય છે.
18 તે તેઓને આ વાત કહેતો હતો, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેને પગે લાગીને કહે છે કે, મારી દીકરી હવે તો મારી ગઇ હશે, અણ તું અઆવીને તારો હાથ તેના પર મૂક એટલે તે જીવતી થશે.
19 ત્યારે ઇસુ ઉઠીને પોતાના શિષ્યો સુદ્ધાં તેની પાચલ ગયો.
20 અને જુઓ, એક બાયડી બાર વરસથી લોહીવા હતો, ને તેની પાછળ આવીને તેના લુંગડાની કોરને અડકી.
21 કેમકે તેણે પોતાના મનમાં કહ્યું કે, જો હું માત્ર એના લુગદાને અડકું તો સાજી થઇ જઈશ.
22 ત્યારે ઇસુએ પાછો ફરીને તથા તેને જોઇને કહ્યું કે, દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કીધી છે; ને તે બાયડી તેજ ઘડીથી સાજી થઇ.
23 પછી ઇસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકને કલકલાટ કરતા દીઠા.
24 ત્યારે તેણે કહ્યું કે, આધા ખસો; કેમે છોડી મારી નથી ગઇ, પણ ઉંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો.
25 અને લોકોને બહાર કાઢ્યા, ત્યારે તેણે માંહે જઈને તેનો હાથ પકડ્યો; ને તે છોડી ઉઠી.
26 અને તે વાતની ચરચા તે આખા દેશમાં ફેલાઇ ગઇ.
27 અને ઇસુ ત્યાંથી જતો હતો, ત્યારે બે આંધળા તેની પાછળ જઇને બૂમ પાડતાં કહેતા કે, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.
28 અને ઘરમાં તે ગયો, ત્યારે તે આંધળાઓ પાસે આવ્યા, ને ઇસુ તેઓને કહે છે કે, હું એ કરી શકું છું એવો વિશ્વાસ તમે કરો છો શું? તેઓ તેને કહે છે કે, હા પ્રભુ.
29 ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.
30 અને તેઓની આંખો ઉઘડી ગઇ. પછી ઇસુ તેઓને સખત આજ્ઞા આપીને કહે છે કે, જો જો, કોઇ જાણે નહિ.
31 પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી.
32 અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, ભૂત વળગેલા એક મુંગા માણસને તેની પાસે લાવ્યા.
33 અને ભૂત કાઢવામાં આવ્યો ત્યારે તે મુંગો બોલ્યો, ને લોકોએ અચરત થઇને કહ્યું કે, ઇસ્રાએલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.
34 પણ ફરોશીઓએ કહ્યું કે, તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે.
35 અને ઇસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતો, ને રાજ્યની સુવાર્ત્તા પ્રગટ કરો, ને હરેક [પ્રકારનો] રોગ તથા હરેક [પ્રકારની] બીમારી ટાળતો, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો.
36 અને લોકોને જોઇને તેઓ પર તેને દયા આવી, કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા વેરાઈ ગએલા હતા.
37 ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે, ફસલ પુષ્કળ છે ખરી, પણ મજુરો થોડા છે.
38 એ માટે તમે ફસલના ઘણીને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસાલને સારૂ મજુરો મોકલે.