1 અને ઇસુએ એ સર્વ વાતો પુરી કીધી ત્યારે એમ થયું કે તેણે પોતાના શિષ્યોને કહ્યું,

2 તમે જાણો છો કે બે દહાડા પછી પાસ્ખા પર્વ છે; અને માણસના દીકરો વધસ્તંભે જડાવા સારૂ પરસ્વાધીન કરાય છે.

3 ત્યારે મુખ્ય યાજકો તથા લોકોનાં વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીના એકઠા થયા.

4 અને ઇસુને કપટથી પકડીને મારી નાખવ માટે મનસુબો કીધો.

5 પણ તેઓએ કહ્યું કે, પર્વમાં નહિ, રખે લોકોમાં ગડબડ થાય.

6 અને ઇસુ બેથાનીઆમાં સીમોન કોઢીઆના ઘરમાં હતો.

7 ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક બાયડી તેની પાસે આવી, ને તે જમવા બેઠો હતો ત્યારે તેના માથા પર તેણીએ તે રેડ્યું.

8 પણ તેનાં શિષ્યોએ તે દીઠું ત્યારે તેઓને ગુસ્સે થઈને કહ્યું કે, એ નુકસાન શા માટે?

9 કેમકે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત, ને દરિદ્રીઓને અપાત.

10 ત્યારે ઇસુએ એ જાણીને તેઓને કહ્યું કે, એ બાયડીને તમે કેમ સતાવો છો? કેમકે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કીધું છે.

11 કેમકે દરિદ્રી સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

12 તેણે એ અત્તર મારી શરીર પર રેડ્યું એ તો મારા દટાવાણી તૈયારીને સારૂ તેણે કીધું.

13 હું તમને ખચિત કહું છું કે, આ સુવાર્ત્તા આખા જગતમાં જ્યાં કહીં પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કીધું છે તે પણ એના સંભારણાને સારૂ કહેવાશે.

14 ત્યારે યહુદા ઇસકારીઓત કહેવાએલા તે બારમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને

15 કહ્યું કે, તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? ને તેઓને તેને ત્રીસ રૂપીઆ તોળી આપ્યા.

16 અને ત્યારથી તેણે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કીધો.

17 અને બેખમીર રોટલીના [પર્વને]] પહેલે દહાડે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, મે તારે વાસ્તે પાસ્ખા કાવાની ક્યાં તૈયારી કરીએ? તારી શી ઈચ્છા છે?

18 ત્યારે તેણે કહ્યું કે, નગરમાં ફલાણી પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધાં તારે ઘેર પાસ્ખા પાળીશ.

19 અને ઇસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓને કીધું, ને પાસ્ખા તૈયાર કીધું.

20 અને સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે જમવા બેઠો.

21 અને તેઓ જમતા હતા ત્યારે તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.

22 ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા, ને તેઓમાંનો હરેક તેને કહેવા લાગ્યો કે, પ્રભુ, શું તે હું છું?

23 અને તેણે ઉત્તર દેતાં કહ્યું કે, જેણે મારી સાથે થાળીમાં હાથ ઘાલ્યો છે તેજ મને પરસ્વાધીન કરશે.

24 માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે; જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે સારૂ હોત.

25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહુદાએ ઉત્તર દેતાં કહ્યું, રાબી, શું તે હું છું? તેણે તેને કહે છે કે, તેં પોતેજ કહ્યું.

26 અને તેઓ ભોજન કરતાં હતા ત્યારે ઇસુએ ર્રોટલી લઈને, તથા આશીર્વાદ માગીને ભાંગી, ને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, એ મારું શરીર છે.

27 અને તેણે વાટકો લઇને તથા સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, તમે સહુ એમાંનું પીઓ.

28 કેમકે એ [નવો] કરારનું મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.

29 અને હુતામને કહું છું કે, હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો પીશે, તે દહાડા સુધી દ્રાક્ષરસ હવેથી હું પીનારજ નથી.

30 અને તેઓ ગીત ગાયા પછી જૈતુનના પહાડ પર બહાર ગયા.

31 ત્યારે ઇસુ તેઓને કહે છે કે, તમે સહુ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો; કેમકે એમ લખ્યું છે કે હું ઘેટાંપાળકને મારીશ, ને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.

32 પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.

33 ત્યારે પીત્તરે ઉત્તર દેતાં તેને કહ્યું કે, જો બધા તારા સંબંધી ઠોકર ખાશે, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ.

34 ઇસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.

35 પીતર તેને કહે છે કે, જો તારી સાથે મારે મરવું પડે તોપણ હું તારો નકાર નહિજ કરીશ.

36 ત્યારે ઇસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક ઠેકાણે આવે છે, ને શિષ્યોને કહે છે કે, હું પણે જઈને પ્રાર્થના કરૂં ત્યાં સુધી તમે અહીં બેસો.

37 અને પીતરને તથા ઝબદીના બે દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો;

38 ત્યારે તે તેઓને કહે છે કે, મારો જીવ મારવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.

39 પછી તેણે થોડે આધે જઈને ઉંધે મ્હોડે પડીને પ્રાર્થના કરતાં કહ્યું કે, ઓ મારા બાપ, જો બની શકે તો આ વાટકો મારાથી દૂર કર; તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.

40 પછી શિષ્યોની પાસે તે આવે છે, ને તેઓને ઉંઘતા દેખીને પીતરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?

41 તમે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.

42 વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કહ્યું, ઓ મારા બાપ, જો આ વાટકો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઇ ન શકે તો તારી ઈચ્છા થાય.

43 ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઉંઘતા દીઠા; કેમકે તેઓની આંખો [ઉંઘતી] ભારે થઇ હતી.

44 અને તે ફરીથી તેઓને મુકી ગયો, ને ત્રીજી વાર તેજ વાત કહેતાં તેણે પ્રાર્થના કીધી.

45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે, હવે ઉંઘ્યા કરો, ને આરામ લો; જુઓ, ઘડી પાસે આવી છે, ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે.

46 ઉઠો આપણે જઈએ; જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે.

47 અને તે હજી બોલતો હતો, એટલામાં જુઓ, તે બારમાંનો એક, એટલે યહુદા, આવ્યો; ને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોનાં વડીલોની પાસેથી ઘણા લોક તરવારો તથા સોટા લઈને આવ્યા.

48 હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, હું જેને ચુમીશ તેજ તે છે; તેને પકડી લેજો.

49 અને તરત તેણે ઇસુની પાસે આવીને કહ્યું, રાબી સલામ' ને તેને ચુમ્યો;

50 ને ઇસુએ તેને કહ્યું કે, મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર. ત્યારે તેઓએ પાસે આવીને, ઇસુ પર હાથ નાખીને, તેને પકડી લીધો.

51 પછી જુઓ, ઇસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી, ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.

52 ત્યારે ઇસુ તેને કહે છે કે, મારી તરવાર તેનાં મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જે સઘળાં તરવાર પકડે છે તેઓ તરવારથી નાશ પામશે.

53 શું તું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો બાપની પાસે માગું, તો તે હમણાંજ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે મોકલી દેશે નહિ?

54 તો જે ધર્મલેખો [માં લખેલું છે] કે એવું થવું જોઈએ, તે કેમ પુરૂં થશે?

55 તેજ વેળા ઇસુએ લોકોને કહ્યું કે, તમે તરવારો તથા સોટા લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો; ને તમે મને પકડ્યો નહતો;

56 પણ ભવિષ્યવાદીઓના લેખો પુરા થાય માટે આ બધું થયું છે. ત્યારે બધા શિષ્યો તેને મુકીને નાઠા.

57 પછી જેઓએ ઇસુને પકડ્યો હતો, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાફાયા પ્રમુખ યાજકની પાસે તેને લઇ ગયા.

58 અને પીતર આઘો આઘો તેની પાછળ પ્રમુખ યજાકની કચેરી સુધી ચાલ્યો, ને માંહે જઈને પરિણામ જોવાને ભાલદારોની સાથે બેઠો.

59 અને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઇસુને મારી નાખવાને, તેની વિરુદ્ધ જુઠી શાહેદી શોધી;

60 અને જો કે ઘણા જુઠા સાક્ષી આવ્યા, તોપણ તે ન જડી; પણ પાછળથી બે આવીને

61 બોલ્યા કે, એણે કહ્યું, હું દેવના મંદિરને પાડી નાખવાને તથા ત્રણ દહાડામાં તેને પાછું બાંધવાને સમર્થ છું.

62 ત્યારે પ્રમુખ યાજાકે ઉભા થઈને તેને કહ્યું, શું તું કંઈ ઉત્તર નથી દેતો? એઓ તારી વિરુદ્ધ શી શાહેદી આપે છે.

63 પણ ઇસુ છાનો રહ્યો. ત્યારે પ્રમુખ યાજાકે તેને કહ્યું, હું તને જીવતા દેવના સમ ઘાલું છું કે, દેવનો દીકરો જે ખ્રીસ્ત તેજ તું છે કે નહિ, એ અમને કહે.

64 ઇસુ તેને કહે છે કે, તેંજ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે દેખશો.

65 ત્યારે પ્રમુખ યાજકે પોતાના લૂગડાં ફાડીને કહ્યું કે, એણે દુર્ભાષણ કર્યું છે; આપણને બીજા શાહેદીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.

66 તમે શું ધારો છો? ને તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, એ મરણજોગ છે.

67 ત્યારે તેઓએ તેના મ્હો પર થુંકીને તેને મુક્કી મારી; ને બીજાઓએ તેને થબડાકો મારતાં

68 કહ્યું કે, ઓ ખ્રીસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ.

69 અને પીતર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે, તું પણ ગાલીલના ઇસુ જોડે હતો.

70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, જે તું કહે છે તે હું જાણતો નથી.

71 અને તે બહાર પરશાળમાં ગયો ત્યારે બીજીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, એ પણ ઇસુ નાઝારીની જોડે હતો.

72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કીધો કે, તે માણસને હું ઓળખતો નથી.

73 અને થોડી વાર પછી પાસે ઉભેલાઓએ આવીને પીતરને કહ્યું કે, ખેરખર તું પણ તેઓમાંનો છે, કેમકે તારી બોલીથી તું જણાય આવે છે.

74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, હું તે માણસને ઓળખતો નથી. અને તરતજ મરઘો બોલ્યો.

75 અને જે વાત ઇસુએ પીતરને કહી હતી કે, મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.