1 અને જયારે તેઓ યારૂશાલેમની નજદીક આવ્યા, ને જૈતુનના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઇસુએ બે શિષ્યને મોકલતાં

2 કહ્યું કે, તમે સામા ગામમાં જાઓ, ને બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું તરત દેખશો; તેઓને છોડીને મારી પાસે લાવો.

3 અને જો કોઇ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે.

4 હવે આ એ માટે થયું કે, ભવિષ્યવાદીએ જે કહ્યું હતું તે પુરૂં થાય કે,

5 સીઓનની દીકરીને એમ કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર,એટલે ગધેડાના વછેરા પર, સવાર થઈને [આવે છે].

6 ત્યારે શિષ્યોએ જઈને ઇસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કીધું;

7 અને તેઓ ગધેડીને બચ્ચાં સુદ્ધાં લાવ્યા, ને પોતાના લૂગડાં તેઓ પર નાખ્યાં; અને તે તેઓ પપર સવાર થયો.

8 અને લોકોમાંના ઘણાખરાએ પોતાના લૂગડાં રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9 અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે બૂમ પાડતાં કહ્યું કે, દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે અશીર્વાદિત છે; પરમ ઉંચામાં હોસાના.

10 અને તે જયારે યરૂશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભળી ઉઠીને કહ્યું કે, એ કોણ છે?

11 ત્યારે લોકે કહ્યું કે, ઇસુ ભવિષ્યવાદી જે ગાલીલના નાઝારેથનો તે એ છે.

12 પછી ઇસુ દેવના મંદિરમાં ગયો, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેણે કાઢી મૂક્યા; ને નાણાવટીઓના બાજટ, તથા કબૂતર વેચનારાઓના આસનો ઉંધા વાળ્યાં.

13 અને તેઓને કહ્યું કે, મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂટારાઓનું કોતર કીધું છે.

14 અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા, ને તેણે તેઓને સાજા કીધા.

15 પણ જે ચમત્કારો તેણે કીધા, તથા જે છોકરાં મંદિરમાં મોટે ઘાંટે દાઉદના દીકરાને હોસાના કહેતાં હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ દીઠાં, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.

16 અને તેને કહ્યું કે, એઓ શું કહે છે, તે તું સાંભળે છે? ત્યારે ઇસુ તેઓને કહે છે કે, હા, બાળકોના તથા ધાવણાંઓના મ્હોથી તેં સ્તુતિ પુરી કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?

17 પછી તે તેઓને મૂકીને નગર બહાર બેથાનીઆમાં ગયો, ને ત્યાં તેણે વાસો કીધો.

18 હવે સવારે તે પાછો નગરમાં આવતો હતું ત્યારે ભૂખ્યો થયો.

19 અને એક અંજીરીને રસ્તાની કોરે જોઇને તે તેની પાસે આવ્યો, પણ તેના પર એકલાં પાતરાં વગર કંઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે, હવેથી તારા પર કદી ફળ ન લાગો; ને એકદમ તે અંજીરી સુકાઈ ગઇ

20 અને તે જોઇને શિષ્યોએ અચરત થઈને બોલ્યા કે, અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઇ?

21 ત્યારે ઇસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, જો તમને વિશ્વાસ હોય ને સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલુંજ નહિ પર જો તમે આ પહાડને કહેશો કે, તું ઉંચકાઈ જા ને સમુદ્રમાં નંખા, તો તેમજ થશે.

22 અને જે કંઇ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું પામશો.

23 પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે, તું કયા અધિકારથી એ કામો કરે છે? ને એ અધિકાર તને કોણે આપ્યો?

24 ત્યારે ઇસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, હું પણ તમને એક વાત પુછીશ, તે જો તમે કહેશો તો હું કયા અધિકારીથી એ કામો કરું છું, તે પણ તમને કહીશ.

25 યોહાનનું બાપ્તિસ્મા ક્યાંથી હતું? આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ માહોમાંહે વિચારીને કહ્યું, જો અપને કહીએ કે આકાશ્થીતો તે આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કીધો નહિ?

26 અને જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણે બીએ છીએ, કેમકે સહુ યોહાનને ભવિષ્યવાદી મને છે.

27 પછી તેઓએ ઇસુને ઉત્તર દેતાં કહ્યું કે, અમે નથી જાણતા. તેણે પણ તેઓને કહ્યું કે, હું કયા અધિકારથી એ કામો કરૂં છું તે હું પણ તમને નથી કહેતો.

28 પણ તને શું ધારો છો? એક જણને બે દીકરા હતા, ને તેણે પહેલા પાસે આવીનને કહ્યું કે, દીકરા, તું આજ દ્રાક્ષવાડીમાં જઈને કામ કર.

29 ત્યારે તેણે ઉત્તર દેતાં કહ્યું કે, હું નથી જવાનો; તોપણ પછી તે પસ્તાઇને ગયો.

30 અને બીજા પાસે આવીને તેણે તેમજ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દેતાં કહ્યું, સાહેબ, હું જાઉં છું, તોપણ તે ગયો નહિ.

31 તો તે બન્નેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કીધું? તેઓ કહે છે કે, પહેલાએ;ઇસુ તેઓને કહે છે કે, હું તમને ખચિત કહું છું કે, દાણીઓ તથા કસબેણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે.

32 કેમકે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કીધો,; પણ દાણીઓએ તથા કસબેણોએ તેના પર વિશ્વાસ કીધો; ને એ જોયા પછી પણ તમે પસ્તાવો કીધો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.

33 એક બીજું દૃષ્ટાંત સાંભળો, એક ઘરઘણી હતો જેણે દ્રાક્ષવાડી રોપી, ને તેની આસપાસ વાડ કીધી, ને તેમાં દ્રાક્ષકુંડ ખોદ્યો, ને બુરૂજ બનાવ્યો, ને ખેડુતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.

34 અને ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારૂ પોતાના ચાકરોને તે ખેડુતોની પાસે મોકલ્યા.

35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, ને બીજાને મારી નાખ્યો, ને ત્રીજાને પત્થરે માર્યો.

36 વળી તેણે પહેલાં કરતાં વધારે બીજા ચાકરોને બોલ્યા, પણ તેઓએ તેઓને તેમજ કીધું.

37 પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, તેઓ મારા દીકરાની અદબ રાખશે.

38 પણ ખેડૂતોએ દીકરાને જોઇને મહોમાંહે કહ્યું કે, એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ, ને એનો વારસો લઈએ.

39 ત્યારે તેઓએ તેને પકડ્યો, ને દ્રાક્ષવાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો.

40 એ માટે જયારે દ્રાક્ષવાડીનો ઘણી આવશે ત્યારે એ ખેડુતોને તે શું કરશે?

41 તેઓ તેને કહે છે કે, તે દુષ્ટોનો પુરો નાશ તે કરશે; ને બીજા ખેડુતો જેઓ ઋતુએ ફળો તેણે પહોંચાડશે, તેઓને દ્રાક્ષવાડી ઇજારે આપશે.

42 ઇસુ તેઓને કહે છે કે, જે પત્થરનો નકાર ઘર બાંધનારાઓએ કીધી, તેજ ખૂણાનો મુખ્ય પત્થર થયો. એ પ્રભુથી બન્યું, ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે, એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું?

43 એ માટે હું તમને કહું છું કે, દેવનું રાજ્ય તમારી પાસેથી લઇ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.

44 અને આ પત્થર પર જે પડશે, તેના ટુકડે ટુકડા થઇ જશે, પણ જે પર તે પડશે, તે તેનો ભુકો કરી નાખશે.

45 અને મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેના દૃષ્ટાંતો સંભાળીને જાણ્યું કે તે અમારા સંબંધી કહે છે.

46 પણ જયારે તેઓએ તેને પકડવાને કોશિશ કીધી ત્યારે લોકોથી તેઓ બીધા, કેમકે લોકો તેને ભવિષ્યવાદી માનતા હતા.