1 તે દહાદાઓમાં જયારે ફરી અતિ ઘણા લોક હતા, ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,

2 લોક પર મને દયા આવે છે, કેમકે હમણાં ત્રણ દહાડાથી તેઓ મારી જોડે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી;

3 ને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થશે; વળી તેઓમાંના કેટલાએક આધેથી આવ્યા છે.

4 તેના શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે, અહીં રાનમાં ક્યાંથી કોઇ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?

5 ને તેણે તેઓને પુછ્યું કે, તમારી પાસે કેટલી રોટલીઓ છે? ને તેઓએ કહ્યું, સાત.

6 અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો; ને સાત રોટલીઓ લઈને તેણે સ્તુતિ કરીને ભાંગી, ને પિરસવા સારૂ પોતાના શિષ્યોને આપી; ને તેઓએ લોકને પિરસી.

7 અને તેઓના પાસે થોડી નાની માછલીઓ પણ હતી; ને તેણે તેમના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પિરસવાનું કહ્યું.

8 અને તેઓ ખાઈને ધરાયા; ને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલીઓ ઉઠાવી.

9 અને [ખાનારા] આસરે ચાર હજાર હતા; ને તેણે તેઓને વિદાય કીધા.

10 અને તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને તે દાલમાનુથાની સીમોમાં આવ્યો.

11 અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેનું પરીક્ષણ કરતાં તેની પાસે આકાશમાંથી નિશાણી માગીને તેની સાથે વિવાદ કરવા લાગ્યા.

12 અને પોતાના આત્મામાં ઉંડો નિસાસો મુકીને તે કહે છે, આ પેઢી નિશાણી કેમ માગે છે? હું તમને ખચિત કહું છું કે, આ પેઢીને કંઇજ નિશાણી અપાશે નહિ.

13 અને તેઓને મુક્યા પછી હોડી પર ફરી ચઢીને તે પેલે પાર ગયો.

14 અને તેઓ રોટલી લાવવાને વિસરી ગયા હતા; ને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.

15 અને તેનને તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.

16 અને તેઓએ માહોમાંહે સંવાદ અરીને કહ્યું કે, આપણી પાસે રોટલી નથી.

17 અને ઇસુ એ જાણીને તેઓને કહે છે કે, તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારા હૃદય કઠણ થયા છે?

18 તમને આંખો છતાં શું તમે નથી દેખાતા? અને કાનો છતાં, શું તમે નથી સાંભળતા? ને શું યાદ નથી રાખતાં?

19 જયારે પાંચ હજારને સારૂ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓ તેને કહે છે કે, બાર.

20 અને જયારે ચાર હજારને સારૂ સાત, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? ને તેઓએ કહ્યું કે, સાત.

21 અને તેણે તેઓને કહ્યું શું તમે હજી નથી સમજતા?

22 અને તે બેથેસૈદામાં આવે છે. અને તેઓ તેની પાસ એક આંધળાને આવે છે, ને તેણે અડકવા સારૂ તેઓ તેને વિનંતી કરે છે.

23 અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઇ ગયો, ને તેની આંખોમાં થુંકીને ને તેના પર હાથ મુકીને તેને પુછ્યું કે, તું કંઈ જુએ છે?

24 ને ઉંચું જોઇને તેણે કહ્યું કે, હું માણસોને દેખું છું; કેમકે તેઓને ઝાડોના જેવા ચાલતાં દેખું છું.

25 ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મુક્યા, ને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને સઘળું સ્પષ્ટ રીતે દીઠું.

26 અને તેણે તેને ઘેર મોકલતાં કહ્યું કે, ગામમાં પણ પેસતો ના.

27 અને ઇસુ તથા તેના શિષ્યો કાઈસારીઆ ફીલિપીના ગામોમાં ગયા; ને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પુછતાં કહ્યું કે, હું કોણ છે, એ વિષે માણસો શું કહેછે?

28 ને તેઓએ તેને કહ્યું કે, [કોઇ કહે છે કે તું] યોહાન બાપ્તિસ્મા કરનાર છે; ને કોઇ કે તું એલીયાહ, ને કોઇ કે તું ભવિષ્યવાદીઓમાંનો એક છે.

29 અને તેણે તેઓને પુછ્યું, પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો? પીતર ઉત્તર આપતાં તેને કહે છે કે, તું તો ખ્રીસ્ત છે.

30 અને તેણે તેઓને તાકીદ કીધી કે, મારે વિષે તમારે કોઈને કહેવું નહિ.

31 અને તે તેઓને શિખવવા લાગ્યો કે, માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દહાડા પછી પાછા ઉઠવું એ જરૂરનું છે.

32 અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો. અને પીતર તેને એક બાજુએ લઈને તેને ઠપકો આપવા લાગ્યો;

33 પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઇને પીતરને ઠપકો આપતાં કહ્યું કે, શેતાન, મારી પછવાડે જા; કેમકે તું દેવની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર ચિત્ત લગાડે છે.

34 અને તેણે પોતાના શિષ્યો સુદ્ધાં લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, જો કોઇ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું.

35 કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે, તે તેને ખોશે; અને જે કોઇ મારે લીધે તથા સુવાર્ત્તાને લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.

36 કેમકે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?

37 વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે?

38 કેમકે આ આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઇ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.