1 અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો. અને અતિ ઘણા લોક એકઠા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠો; ને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા.

2 અને દૃષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કીધો; ને પોતાના બોધમાં તેઓને કહ્યું,

3 સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4 અને એમ થયું કે, તે વાવતો હતો ત્યારે રસ્તાની કોરે કેટલાંક [બી પડ્યાં; ને પક્ષીઓ આવીને તે ખાઇ ગયાં.

5 અને બીજાં પત્થરવાળી ભોંયમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; ને ભોંય ઉંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યાં;

6 ને સુરજ ઉગ્યો ત્યારે તેઓ ચિમળાઈ ગયાં; ને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયાં.

7 અને બીજા કાંટાનાં જાળાંમાં પડ્યાં; ને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; ને તેઓએ ફળ ન આપ્યું.

8 અને બીજાં સારી ભોંયમાં પડ્યાં; ને તેઓએ ઉગનારૂં તથા વધનારૂં ફળ આપ્યું, ત્રીસગણું તથા સાઠગણું તથા સોગણું ફળ આપ્યું.

9 અને તેણે તેઓને કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

10 અને જયારે તે એકાંત હતો ત્યારે બાર [શિષ્યો] સુદ્ધાં જેઓ તેની પાસે હતાં, તેઓએ તેને આ દૃષ્ટાંતો વિષે પુછ્યું.

11 અને તેણે તેઓનને કહ્યું કે, દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દૃષ્ટાંતોમાં અપાય છે;

12 એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; ને સાંભળતા સાંભળે, પણ સમજે નહિ; રખે કદાપિ તેઓ ફરે, ને તેઓને [[પાપની] માફી મળે.

13 અને તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દૃષ્ટાંતો કેમ સમજશો?

14 વાવનાર વચન વાવે છે.

15 રસ્તાની કોરપરનાં એ છે કે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાએલું હતું તે લઇ જાય છે.

16 અને એમજ જેઓ પત્થરવાળી ભોંયમાં વવએલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત હરખથી તેને માની લે છે;

17 અને તેઓ પોતામાં જડ હોતી નથી, પણ થોડી વાર તકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

18 અને બીજાં જેઓ કાંટાઓમાં વવાએલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું,

19 પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે; ને એ નિષ્ફળ થાય છે.

20 અને જેઓ સારી ભોંયમાં વવાએલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે ને તેનું ગ્રહણ કરે છે, ને ત્રીસગણું તથા સાઠગણું ફળ આપે છે.

21 અને તેણે તેઓને કહ્યું કે, શું માપ તળે અથવા ખાટલા તળે મુકવા સારૂ દીવો લાવે છે? શું દીવી પર મુકવા સારૂ નહિ?

22 કેમકે જે કંઈ છાનું છે તે એ માટે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ સારૂ કે પ્રગટમાં આવે.

23 જો કોઈને સાંભળવાને કાન છે તો તેણે સાંભળવું.

24 અને તેણે તેઓને કહ્યું કે, તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેથી તમને માપી અપાશે; ને તમને વધતું અપાશે;

25 ક્મકે જેની પાસે છે તેને અપાશે, ને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઇ લેવાશે.

26 અને તેણે કહ્યું કે, દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે, ને રાત દહાડો ઉંઘે તથા જાગે, અણ તે બી ઉગે ને વધે,

27 પણ શી રીતે એ તે જાણતો નથી.

28 ભોંય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પુરા દાણા.

29 પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે; કેમકે કાપણીનો વખત થયો છે.

30 અને તેણે કહ્યું કે, દેવનું રાજ્ય શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ?

31 તે રાઈના દાણાના જેવું છે; એ ભોંયમાં વવાય છે ત્યારે ભોંયનાં સર્વ બી કરતાં નાનું છે;

32 પણ તે વાવ્યા પાહી ઉગી નીકળે છે, ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વસો કરી શકે છે.

33 અને એવાં ઘણાં દૃષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતાં હતા તેમ તો તેઓને વચન કહેતો હતો.

34 અને દૃષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતો નહોતો; પણ પોતાના શિષ્યોને એકાંતે તે સઘળી વાતનો ખુલાસો કરતો.

35 અને તે દહાડે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, આપણે પેલે પાર જઈએ.

36 અને લોકને મુકીને તે હતો એમ ને એમ તેઓ તેણે પોતાની સાથે હોડીમાં લઇ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.

37 એ પવનનું મોટું તોફાન થયું; ને મોજાંઓ હોડીમાં એવાં ઉછળી આવ્યાં કે તે ભરાઇ જવા લાગી.

38 અને તે ડબુસાએ ઓસીકા પર [માથું ટેકીને] ઉંઘતો હતો; ને તેઓ તેને જગાડીને તેને કહે છે કે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તને શું કંઇ ચિંતા નથી?

39 અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઇ.

40 અને તેણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત છો? તમને હજુએ વિશ્વાસ નથી?

41 ને તેઓ બહુ બીધા, તથા માહોમાંહે બોલ્યા કે, આ તે કોણ છે? કેમકે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે.