1 અને ત્યાંથી ઉઠીને તે યહુદાહની સીમોમાં યરદનને પેલે પાર આવે છે; ને ફરી ઘણા લોક આવીને તેની પાસે એકઠા થાય છે; ને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો.
2 અને ફરોશીઓએ પાસે આવીને તેનું પરીક્ષણ કરતાં તેને પુછ્યું કે, શું પુરૂષને પોતાની સ્ત્રીને મુકી દેવી ઉચિત છે?
3 પણ તેણે ઉત્તર આપીને તેઓને કહ્યું કે, મુસાએ તમને શી આજ્ઞા આપી હતી?
4 ને તેઓએ કહ્યું કે, ફારગતી લખીને મુકી દેવાની મુસાએ રજા આપી.
5 પણ ઇસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠણતાને લીધે મુસાએ તમારે સારું એ આજ્ઞા લખી;
6 પણ ઉત્પત્તિના આરંભથી દવે તેઓને એક પુરૂષ તથા એક સ્ત્રી બનાવ્યાં.
7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મુકીને પોતાની વહુને વળગી રહેશે;
8 ને તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યારપછી બે નથી, પણ એક દેહ છે;
9 તો દેવે જે જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.
10 અને ઘરમાં તેના શિષ્યોએ ફરી તેજ બાબત વિષે તેને પુછ્યું.
11 અને તે તેઓને કહે છે કે, જે કોઇ પોતાની વહુને મુકી દે, ને બીજીને પરણે, તે તેણીની વિરુદ્ધ છિનાળું કરે છે;
12 ને જો વહુ પોતાના વરને મુકી દે, ને બીજાને પરણે, તો તે છિનાળું કરે છે.
13 અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે; ને શિષ્યોએ તેઓને ધમકાવ્યા.
14 પણ ઇસુ તે જોઇને નાખુશ થયો, ને તેણે તેઓને કહ્યું કે, બાળકોને મારી પાસે આવવા ડો, ને તેઓને વારો મા; કેમકે દેવનું રાજ્ય એવાંઓનું છે.
15 હું તમને ખચિત કહું છું કે, જે કોઇ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશેજ નહિ.
16 અને તેણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મુકીને તેઓને આશીર્વાદ દીધો.
17 અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો, ત્યારે એક જન તેની પાસે દોડતો આવ્યો, ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકીને પુછ્યું કે, ઓ ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું?
18 અને ઇસુએ તેને કહ્યું કે, તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે દેવ, તે વિના કોઇ ઉત્તમ નથી.
19 તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠી શાહેદી ન પુરવી, ઠગાઇ ન કરવી, માબાપનું સન્માન કરવું.
20 પણ તેણે તેને કહ્યું કે, ઓ ઉપદેશક, એ સર્વ [આજ્ઞાઓ] તો હું નાનપણથી પાળતો આવ્યો છું.
21 અને તેની તરફ જોઇને ઈસુને તેના પર હેતુ આવ્યું, ને તેણે તેને કહ્યું કે, તું એક વાત સંબંધી અધુરો છે; તારૂં જે છે તે જઈને વેચ, ને દરિદ્રીઓને આપ, ને આકાશમાં તને દોલત મળશે; ને આવ, મારી પાછળ ચાલ.
22 પણ તે વાતને લીધે તેનું મ્હો ઉતરી ગયું, ને ઉદાસ થઇને તે ચાલ્યો ગયો, કેમકે તેની સંપત ઘણી હતી.
23 અને ઇસુ આસપાસ જોઇને પોતાના શિષ્યોને કહે છે કે, જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરૂં પડશે!
24 ને તેની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઇસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે, છોકરાં દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરૂં છે!
25 દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઉંટને જવું સહેલ છે.
26 અને તેઓએ ઘણી અચરતી પામીને માહોમાંહે કહ્યું, તો કોણ તારણ પામી શકે?
27 ઇસુ તેઓની તરફ જોઇને કહે છે કે, માણસોને એ અશક્ય છે, પણ દેવને નથી, કેમકે દેવને સર્વ શક્ય છે.
28 અને પીતર તેને કહેવા લાગ્યો, જો, અમે બધું મુકીને તારી પાછળ આવ્યા છીએ.
29 ઇસુએ કહ્યું કે, હું તમને ખચિત કહું છું કે, જે કોઇએ મારે લીધે તથા સુવાર્ત્તાને લીધે ઘરને, કે ભાઈઓને, કે બેનોને, કે માને, કે બાપને, કે છોકરાંને, કે ખેતરોને મુક્યાં,
30 તે હમણાં આ કાળમાં સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને, સતાવણી સુદ્ધાં, તથા આવતા કાળમાં અનંતજીવન, પામ્યા વગર રહેશે નહિ.
31 પણ ઘણા જે પહેલાં તેઓ છેલ્લા, ને જે છેલ્લા તેઓ પહેલાં થશે.
32 અને યરૂશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; ને ઇસુ તેઓની આગળ ચાલતો હતો; ને તેઓ અચંબો પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. ને તે ફરી બાર [શિષ્યો] ને પાસે તેડીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો કે,
33 જુઓ, આપણે યરૂશાલેમમાં જઈએ છીએ; ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે; ને તેં તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપશે;
34 ને તેની મશ્કરી કરશે, ને તેના પર થુંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે; ને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે.
35 અને ઝબદીના દીકરા યાકુબ તથા યોહાન તેની પાસે આવીને કહે છે કે, ઉપદેશક, અમારી ઈચ્છા છે કે, અમે જજે કાંઇ માગીએ તે તું અમારે વાસ્તે કરે.
36 ને તેણે તેઓને કહ્યું કે, તમારી શું ઈચ્છા છે? હું તમારે વાસ્તે શું કરું?
37 ત્યારે તેઓને તેણે કહ્યું કે, તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે, ને એક તારે ડાબે હાથે બેસીએ, એવું અમને આપ.
38 પણ ઇસુએ તેઓને કહ્યું કે, તમે જે માગો છો, તે તમે જાણતા નથી. જે વાટકો હું પીઉં છું તે શું તમે પી શકો છો? ને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઇ શકો છો?
39 અને તેઓએ તેને કહ્યું કે, અમે તેમ કરી શકીએ છીએ. પણ ઇસુએ તેઓને કહ્યું કે, જે વાટકો હું પીઉં છું તે તમે પીશો, ને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો;
40 પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવું, એ મારું કામ નથી, પણ જેઓએ સારું તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે.
41 અને [બાકીના] દસ એ સાંભળીને યાકુબ તથ યોહાન સંબંધી નાખુશ થવા લાગ્યા.
42 પણ ઇસુ તેઓને પાસે તેડીને કહે છે કે, તમે જાણો કે કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ઘણીપણું કરે છે, ને તેઓના જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.
43 પણ તમારામાં એમ નથી, પણ તમારામાં જે કોઇ મોટો થવા ચાહે, તે તમારો સેવક થશે;
44 ને જે કોઇ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થશે.
45 કેમકે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.
46 અને તેઓ યરેખોમાં આવે છે; ને યરેખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણા લોક નીકળતા હતા, એટલે તીમાયનો દીકરો બારતીમાય જે આંધળો ભીખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો.
47 અને ઇસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કેહવા લાગ્યો કે, ઓ ઇસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર.
48 અને ઘણાએ તેને ધમકાવ્યો કે, તું ચુપ રહે; પણ તેણે વિશેષ બૂમ પાડતાં કહ્યું કે, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર.
49 અને ઇસુએ ઉભા રહીને કહ્યું કે, તેને બોલાવો; ને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે કે, હિમ્મત રાખ, ઉઠ, ને તને બોલાવે છે.
50 અને પોતાનું લુગડું નાખી દઈને તે ઉઠ્યો, ને ઈસુની પાસે આવ્યો.
51 અને ઇસુએ તેને ઉત્તર આપીને કહ્યું કે, હું તને શું કરૂં, એ વિષે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેને કહ્યું કે, સ્વામિ, હું દેખતો થાઉં.
52 અને ઇસુએ તેને કહ્યું કે, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે, અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.