1 પણ અઠવાડિયાને પહેલે દહાડે પ્રભાતે, જે સુગંધિઓ તેઓએ સિદ્ધ કરી હતી, તે લઈને તેઓ કબરે આવી.
2 અને તેઓએ કબર પરથી પત્થર ગબડાવી દીધેલો દીઠો.
3 અને તેઓ માંહે પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહિ.
4 અને એમ થયું કે, એ સંબંધી તેઓ ગુંચવણમાં પડી હતી, ત્યારે, જુઓ, ચળકતાં લુગડાં પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા.
5 અને તેઓએ બીને જમીન સુધી પોતાનાં માથા નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, મુએલાંઓમાં જીવતાને કેમ શોધો છો?
6 તે અહીં નથી, પણ ઉઠ્યો છે; યાદ કરો કે તે ગાલીલમાં હતો,
7 ત્યારે તેણે તમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ આવશ્યનું છે.
8 અને તેની વાતો તેઓને યાદ આવી.
9 અને કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર [શિષ્યોને] તથા બીજા સર્વને એ બધી વાતો કહી.
10 જાવે જેઓએ આ વાત પ્રેરીતોને કહી તે મરિયમ માગદાલેણ તથા યોહાન્ના તથા યાકુબની [મા] મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી.
11 અને એ વાતો તેઓને પોકળ લાગી, ન તેઓએ તેનું માન્યું નહિ.
12 પણ પીતર ઉઠીને કબરે દોડી ગયો; ને નીચા વળીને માંહે જોયું તો તેણે લુગડાં એકલા પડેલા દીઠાં; ને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે અચરત થતો પોતાને ઘેર ગયો.
13 અને, જુઓ, તેજ દહાડે તેઓમાં બે, એમ્માસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાઉં આઘું છે, ત્યાં જતા હતા.
14 અને આ બધી બનેલી બિનાઓ વિષે તેઓ એક બીજાની સાથે વાત કરતા હતા.
15 અને એમ થયું કે તેઓ એક બીજાની સાથે વાત કરતા તથા માહોમાંહે સવાલ પુછતા હતા, ત્યારે ઇસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો.
16 પણ તેઓની આંખો બંધાઈ હતી કે તેઓ તેણે ઓળખે નહિ.
17 અને તેણે તેઓને કહ્યું કે, તમે ચાલતાં ચાલતાં એક બીજાની સાથે શું વાત કરો છો? ને તેઓ ઉદાસ થઈને ઉભા રહ્યા.
18 અને કલીઓપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, શું, યરુશાલેમમાં રહેનારાઓમાંનો એકલો તુંજ આ દિવસોમાં બનેલી બિનાઓ આથી જાણતો?
19 ને તેણે તેઓને કહ્યું કે, કંઈ બિનાઓ? ને તેઓએ તેણે કહ્યું કે, ઇસુ નાઝારી, જે દેવની આગળ તથા સઘળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી ભવિષ્યવાદી હતો, તે સંબંધીની બિનાઓ;
20 વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેને મરણદંડ ભોગવવા સારૂ પરસ્વાધીન કર્યો, ને તેને વધસ્તંભે જડાવ્યો.
21 પણ અમે આશા રાખતા હતા કે, જે ઇસ્રાએલને ઉદ્ધાર આપવાનો હતો તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજે દહાડો થયો.
22 વળી અમારામાંની કેટલીએક બાયડીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું,
23 એટલે તેઓએ તેનું શબ દીઠો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને દૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવતો છે.
24 અને આમારી સાથેના કેટલાએક કબર આગળ ગયા, ને જેમ બાયડીએ કહ્યું હતું તેમજ તેઓને માલમ પડ્યું; પણ તેને તેઓએ જોયો નહિ.
25 અને તેણે તેઓને કહ્યું કે, ઓ અણસમજુઓ, તથા જે ભવિષ્યવાદીઓએ કહ્યું છે, તે સર્વ પર વિસ્વાસ કરવામાં મંદબુદ્ધિના;
26 શું ખ્રીસ્તે એ બધું સહેવું ને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?
27 ને મુસાથી તથા સઘળા ભવિષ્યવાદીઓથી માંડીને તેણે બધા ધર્મલોખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
28 અને જે ગામ તેઓ જતા હતા તેની નજદીક તેઓ પહોંચ્યા, ત્યારે તેણે જાને કે આગળ જવાનું કર્યું.
29 અને તેઓએ તેને આગ્રહ કરીને કહ્યું કે, અમારી સાથે રહે; કેમકે સાંજ થવા આવી છે ને દહાડો નમી ગયો છે. અને તેઓની સાથે રહેવા સારૂ તે માંહે ગયો.
30 અને એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠો, ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, ને તેઓને આપી.
31 અને તેઓની આંખો ઉઘડી, ને તેઓએ તેણે ઓળખ્યો; ને તેઓની દ્રષ્ટિમાંથી લોપ થઇ ગયો.
32 અને તેઓ એક બીજાને કહ્યું કે, જયારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો, ને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?
33 અને તેજ ઘડી તેઓ ઉઠીને યરુશાલેમ ભણી પાછા વાળ્યા, ને અગિયાર [શિષ્યો]ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલા દીઠા,
34 કે જેઓ કહેતા હતા કે, પ્રભુ ખરેખર ઉઠ્યો છે, ને સીમોનને દેખાયો છે.
35 ત્યારે તેઓએ માર્ગમાં બનેલી બિના તથા રોટલી ભાંગતાં તે તેઓથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું.
36 અને તેઓ એ વાતો કહતા હતા, ત્યારે [ઇસુ] પોતે તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે, તમને શાંતિ થાઓ.
37 પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
38 અને તેણે તેઓને કહ્યું કે, તમે કેમ ગભરાઓ છો, ને તમારાં મનમાં તર્કવિતર્ક કેમ થાય છે?
39 મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમકે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.
40 અને એ કહ્યા પછી તેણે હાથ તથા પગ તેઓને દેખાડ્યા.
41 અને તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, ને અચરત થતા હતા, ત્યારે તેણે તેઓને કહ્યું કે, તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?
42 ને તેઓએ તેને શેકેલી માછલીનો કકડો આપ્યો,
43 અને તેણે તે લઈને તેઓની આગળ ખાધો.
44 અને તેણે તેઓને કહ્યું કે, હું તમારી સાથે હતો, ત્યારે મ્મે એ વાતો તમને કહી હતી કે, જે મુસાના નિયમશાસ્ત્રમાં તથા ભવિષ્યવાદીઓમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પુરું થવું જોઈએ.
45 ત્યારે ધર્મલેખો સમજવા સારૂ તેણે તેઓનાં મન ખોલ્યાં.
46 અને તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે, કે ખ્રીસ્તે દુઃખ સહન કરવું, ને ત્રીજે દહાડે મુએલાંઓમાંથી પાછા ઉઠવું જોઈએ;
47 અને યરુશાલેમથી માંડીને સઘળા પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.
48 એ વાતના સાક્ષીઓ તમે છો.
49 અને, જુઓ, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું; પણ તને ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.
50 અને બેથાનીઆની સામે તે તેઓને બહાર લઇ ગયો; અને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો.
51 અને એમ થયું કે તે તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છુટો પડ્યો, ને આકાશમાં લઇ જવાયો.
52 અને તેનું ભજન કરીને તેઓ બહુ હરખ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
53 અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા રહેતા હતા.