1 અને તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પીલાતની પાસે લઇ ગયો.
2 અને તેઓ તેના પર એવો તહોમત મુકવા લાગ્યા કે, અને એવું માલમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, ને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત રાજા છું.
3 અને પીલાતે તેણે પુછ્યું, શું તું યહુદીઓનો રાજા છે? ને તેણે તેને ઉત્તર આપતા કહ્યું, તું કહે છે.
4 અને પીલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.
5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ગાલીલથી માંડીને અહીં લગી આખા યહુદાહમાં તે બોધ કરીને લોકને ઉશ્કેરે છે.
6 પણ પીલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પુછ્યું કે, શું, આ માણસ ગાલીલનો છે?
7 અને તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેને હેરોદની પાસે મોકલ્યો; [હેરોદ] પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.
8 હવે હેરોદ ઈસુને જોઇને ઘણો હરખાયો; કેમકે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણા દહાડાથી તે તેને જોવા ઈચ્છતો હતો; ને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા તે રાખતો હતો.
9 અને તેણે તેને ઘણી ઘણી વાતો પુછી, પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહિ.
10 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના ઉપર જુસ્સાથી તહોમત મુકતા ઉભા હતા.
11 અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેનો તુચ્છકાર કરીને તથા ઠઠ્ઠા કરીને ભપકાદાર વસ્ત્ર તેને પહેરાવીને પીલાતની પાસે તેણે પાછો મોકલ્યો.
12 અને તેજ દહાડે પીલાત તથા હેરોદ એક બીજાના મિત્ર થયા; આગળ તો તેઓ એક બીજા પર વેર રાખતા હતા.
13 ને પીલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને
14 તેઓને કહ્યું કે, આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં, જે વાતોનું તમે તેના પર તહોમત મુકો છો તે સંબંધી કંઈ અપરાધ આ માણસમાં મને જણાયો નહી;
15 ને તેમજ હેરોદને પણ નહિ; કેમકે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; ને જુઓ, મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી.
16 માટે હું તેણે કંઈ શિક્ષા કરીને છોડી દઈશ.
17 [[હવે તે પર્વે તેને તેઓને સારૂ કોઈએકને છોડી દેવો પડતો હતો]]
18 પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે, એને લઇ જા, ને બારાબાસને અમારે વાસ્તે છોડી દે.
19 એ તો શહેરમાં કંઇ દંગો તથા હત્યા કરવાને લીધે બંદીખાનામાં નંખાયો હતો.
20 ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પીલાત ફરીથી તેઓની સાથે બોલ્યો.
21 પણ તેઓએ પોકારીને કહ્યું કે, એને વધસ્તંભે જડાવ, વધસ્તંભે જડાવ.
22 અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, શા વાસ્તે? તેણે શું ભુંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઇ જણાયું નથી; માટે હું તેણે કંઇ શિક્ષા કરીને છોડી દઈશ.
23 પણ તેઓએ મોટે ઘાટે હઠેઠથી માગ્યું કે તેને વધસ્તંભે જડાવ. અને તેઓના ઘાંટા આખર ફાવ્યા.
24 અને પીલાતે હુકમ કીધો કે તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.
25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ બંદીખાનામાં નંખાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઇસુને તેઓની ઈચ્છાને સ્વાધીન કીધો.
26 અને તેઓ તેણે લઇ જતા હતા ત્યારે સીમોન કરીને કુરેનેનો એક માણસ જે સીમમાંથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, ને તેની ખાંધે વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઉંચકીને તે ઈસુની પાછળ ચાલે.
27 અને લોકો તેમ રડનારી તથા વિલાપ કરનારી બાયડીઓ સંખ્યાબંધ તેની પાછળ ચાલતાં હતાં
28 પણ ઇસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, યરુશાલેમની દીકરીઓ, મારે લીધે રડો મા, પણ પોતાને લીધે તથા પોતાનાં છોકરાંને લીધે રડો.
29 કેમકે જુઓ, એવા દિવસો આવે છે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ વાંઝણી છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, ને જેઓએ કદી ઘવાડ્યું નથી, તેઓને ધન્ય છે.
30 ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે, અમારા પર પડો; ને ટોકરાઓને કે, અમને ઢાંકી નાખો.
31 કેમકે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરવામાં આવશે?
32 અને બીજા બે માણસ, જે ગુન્હેગાર હતા, તેઓને મારી નાખવા સારૂ તેની સાથે લઇ જતા હતા.
33 અને ખોપરી નામની જગ્યાએ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુન્હેગારોમાંના એકને જમણી તરફ, ને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા.
34 અને ઇસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમકે જે તેઓ કરે છે તે તો જાણતા નથી. અને તેનાં લૂગડાં પોતામાં વહેચીએ તેઓએ ચિઠ્ઠીઓ નાખી.
35 અને લોક જોતા ઉભા હતા. અને અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે, તેણે બીજાઓને બચાવ્યા; જો એ દેવનો ખ્રિસ્ત, [એટલે] તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.
36 અને સિપાઈઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા, ને પાસે આવીને સીરકો આપવા લાગ્યા,
37 ને કહ્યું કે, જો તું યહુદીઓનો રાજા છે તો પોતાને બચાવ.
38 અને તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, આ યહુદીઓનો રાજા છે.
39 અને તેની સાથે ટાંગેલ ગુન્હેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.
40 પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, તું તેજ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું દેવથી પણ બીતો નથી?
41 અને આપણે તો વાજબી રીતે [ભોગવીએ છીએ], કેમકે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ; પણ એણે કંઈ ખોટું કર્યું નથી.
42 અને તેણે કહ્યું કે, હે ઇસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે તું મને સંભારજે.
43 અને તેણે તેને કહ્યું કે, હું તને ખચિત કહું છું કે, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ.
44 અને હમણાં લગભગ બપોર થયા હતા, ને ત્રીજા પહોર લગી સુરજ[નું તેજ] ઘેરાઇ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો.
45 વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો.
46 અને ઇસુએ મોટી બૂમ પાડી, ને કહ્યું કે, ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું; ને તેણે એમ કહીને પ્રાણ છોડ્યો.
47 અને જે થએલું હતું તે જોઇને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, ખરેખર આ તો ન્યાયી માણસ હતો.
48 અને જે લોક એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઇને, પોતાની છાતી કુટતા પાછા ગયા.
49 અને તેના સઘળા ઓળખીતાઓ તથા જે બાયડીઓ ગાલીલમાંથી તેની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઉભાં રહીને આ જોતા હતાં.
50 અને, જુઓ, યુસફ નામે એક ન્યાયસભાસદ, જે સારો તથા ન્યાયી માણસ હતો,
51 તે યહુદીઓના એક શહેર આરીમથાઈનો હતો, તેણે તેઓના મનસુબા તથા કામમાં સમ્મતિ આપી નહોતી. અને તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો.
52 તેણે પીલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું.
53 અને તેણે તેને ઉતારીને સણને લુગડે વિટાળ્યું, ને તેને ખડકમાં ખોદેલી કબરમાં મુક્યું, જ્યાં કદી કોઈને મુક્યો નહોતો.
54 અને સિદ્ધિકરણો દિવસ હતો, ને વિશ્રામવાર નજદીક આવ્યો હતો.
55 અને જે બાયડીઓ તેની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેનું શબ શી રીતે મુકાયું હતું તે જોયું.
56 અને તેઓએ પાછા આવીને સુગંધિ તથા અત્તર સિદ્ધ કર્યા અને આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.