1 અને હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને તેડાવીને તેઓને બોધ કીધો, અને તેમનાથી વિદાયગીરી લઈને માકેદોનિયામાં જવા સારૂ તે નીકળ્યો.

2 અને તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો બોધ આપ્યા પછી તે હેલાસમાં આવ્યો.

3 અને તે ત્યાં ત્રણ મહિના રહ્યા, પછી સુરિયા જવા સારૂ જળ માર્ગે ઉપાડવાની તૈયારીમાં હતો, ત્યારે યહુદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે માકેદોનિયામાં થઈને પાછા જવાનો ઠરાવ કીધો.

4 અને પુહસનો [દીકરો] બેરીઆનો સોપાતર; ને થેસ્સાલોનીકીઓમાંના અરીસ્તાર્ખસ તથા સકુંદસ; ને દેર્બેનો ગાયસ, ને તોમોથી; ને આસિયાના તુખીકાસ તથા ત્રોફીમસ, એઓ તેની સાથે આસિયા લગી ગયા.

5 પણ તેઓ આગળ જઈને ત્રેઆસમાં અમારી વાટ જોતા હતા.

6 અને બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફીલીપીથી નીકળ્યા, ને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, ને સાત દિવસ ત્યાં રહ્યા.

7 અને અઠવાડિયાને પહેલે દિવસે અમે રોટલી ભાંજવાને એકઠા થયા હતા, ત્યારે પાઉંલે, પોતે બીજે દિવસે નીકળવાનો હોવાથી, [શિષ્યો]ની સાથે સંભાષણ કીધું, ને મધરાત સુધી પોતાની વાત ચાલુ રાખી.

8 અને જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા હતા.

9 અને બારીમાં બેઠેલો યુતુખસ નામે એકક જુવાન ભા ઊંઘમાં ઘેરાઈ ગયો હતો, ને પાઉલ ઘણી વાર લગી ભાષણ કરતો હતો માટે ઊંઘમાં ઘેરાય ગયેલા હોવાથી તે [જુવાન] ત્રીજા માળથી હેઠેળ પડ્યો, ને તેને મુએલો ઉપાડ્યો.

10 ત્યારે પાઉલ નીચે ઉતરીને તેના પર પડ્યો ને તને કોટે વળગીને તેને કહ્યું કે, ઘભરાઓ મા, કેમકે તે હજી જીવતો છે.

11 અને ઉપર આવીને તે હજી રોટલી ભાંજીને ખાધી, ને તેઓની સાથે ઘણી વાર સુધી, એટલે છેક પોહો ફાટતાં સુધી, વાત કીધી, ત્યાર પછી તે વિદાય થયો.

12 અને તેઓ તે તે જુવાનને જીવતો લાવ્યો, ને તેથી ઘણો આંનદ પામ્યા.

13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જાવને ઉપડી ગયા, અને ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઈરાદો હતો, કેમકે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેને એ ગોઠવણ કીધી હતી.

14 અને આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મીતુલેનેમાં આવ્યા.

15 અને ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઅસની સામે પહોંચ્યા, ને બીજે દિવસે સામોસ પહોંચ્યો, ને તેં બીજે દિવસે, [[ત્રોગુલિયામાં કંઇક થોભ્યા પછી]] અમે મીલેતસમાં આવ્યા.

16 કેમકે આસિયામાં વખત ગાળવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મુકીને હંકારી જવાનું ઠરાવ્યું હતું, કેમકે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે to પચાસમાં પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.

17 પછી તેણે મીલેતસમાં એફેસસમાં [સંદેશી] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.

18 અને તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મુક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારામાં શા રીતે વર્ત્યો છું, એ તમે પોતે જાણો છો;

19 કે મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, તથા જે સંતાપ યહુદીઓના કાવતરાંથી મારા પર આવી પડયા તે સહીને હું પ્રભુની સેવા કરતો હતો.

20 અને જે કંઈ વાત લાભકારક હોય તે તમને જણાવવા મેં આચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરેઘેરે તમને બોધ કીધો;

21 અને દેવ પ્રત્યે પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી શાહેદી મેં યહુદીઓને તથા હેલેનીઓને આપી.

22 અને હવે જુઓ, હું આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં શું શું મારા પર આવી પડશે એ હું જાણતો નથી;

23 માત્ર એટલુંજ [ જાણું છું] કે, હરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી શાહેદી આપે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.

24 પણ હું મારો જીવ વહાલો જાણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મરી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની શાહેદી આપવાની જે સેવા પ્રભુ ઈસુથી મને મળી છે તે હું પુરી કરું.

25 અને હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું દેવનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માનો કોઈ પણ] મારું મ્હો ફરી નહિ દેખશે.

26 તે સારૂ આજ હું તમને શાહેદી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.

27 કેમકે દેવનો પુરો મનોરથ તમને જણાવવાને મેં આચકો ખાધો નથી.

28 તને પોતા સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સબંધી સાવધાન રહો, એ માટે કે દેવની મંડળી જે તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પલાણ કરો.

29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળા પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં પેસશે;

30 અને તમારા પોતા મધ્યેથી પણ કેટલાએક માણસો ઉઠીને શિષ્યોને પોતાની પછવાડે ખેંચી લઇ જવા માટે અવળી વાતો બોલશે.

31 માટે જાગતો રહો, ને યાદ રાખો કે ત્રણ વરસ લગી રાત દિવસ આંસુઓ સુદ્ધાં દરેકને બોધ કરવામાં હું ચુક્યો નહિ.

32 અને હવે હું તમને દેવને તથા તેની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયાલાઓમાં તમને વરસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.

33 મેં કોઈના રૂપાનોકે સોનાનો કે વસ્ત્રનો લોભ કીધો નથી.

34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.

35 મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે કે, એવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, ને પ્રભુ ઈસુની વચન જે તેણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.

36 અને એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણ ટેકવીને તે સર્વની સાથે પ્રાથના કરી.

37 અને તેઓ સઘળા બહુ રડ્યા, ને પાઉલની કોટે વળગીને તેઓએ તેને ચુંબન કીધું.

38 અને તમે મારું મ્હો ફરી જોનાર નથી એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. અને તેઓ તેને વહાણ લગી વળાવવા ગયા.