1 અને એમ થયું કે અપોલસ કરીંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, ને કેટલાએક શિષ્યોને જોઇને
2 તેઓને કહ્યું કે, તમે વિશ્વાસ કીધો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? અને તેઓએ તેને કહ્યું કે, ણા, પવિત્ર આત્મા [અપાયો] છે એ અમે સાંભળ્યું પણ નથી.
3 અને તેણે કહ્યું કે, ત્યારે તમે કોનું બાપ્તિસમાં પામ્યા? ને તેઓએ કહ્યું કે, યોહાનનું બાપ્તિસમાં.
4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહને પશ્ચાતાપનું બાપ્તિસમાં કીધું ખરૂં, ને લોકોને કહ્યું કે, મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઇસુ પર તમારે વિશ્વાસ કરવો.
5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસમાં લીધું.
6 અને પાઉલે તેઓ પર હાથ મુક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યા, ને તેઓ [બીજી ભાષાઓ બોલ્યા, તથા ભવિષ્ય કહ્યા.
7 અને તેઓ સહુ મળીને બારેક પુરુષ હતા.
8 પછી સભાસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સીધી હિમ્મતથી વાત કરી, ને વાદ કરીને દેવના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
9 પણ કેટલાએક [મનમાં] કઠણ થઈને, તથા [વાતનો] અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કીધી, ત્યરે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદાં કીધા, ને તુરાનસની શાળામાં રોજ વાદ કરતો રહ્યો.
10 અને વર્ષ બે સુધી એમ થયા કીધું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા હેલેનીઓએ પણ પ્રભુની વાત સાંભળી.
11 અને દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કીધા કે,
12 તેના શરીર ઉપરથી રૂમાલો તથા લુગડાં કાઢીને માંદાઓની પાસે લાવતા, એટલે તેઓના રોગ દૂર થતા, ને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા.
13 પણ કેટલાક ભટકતા યહુદી ભુવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ ઉપર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યાં કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેની દુવાઈ હું તમને દઉં છું.
14 ને સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એમ કરતા હતા.
15 પણ અશુદ્ધ આત્મા ઉત્તર દેતા એમ કહ્યું કે, ઇસુ વિષે હું જાણું છું, ને પાઉલને હું ઓળખું છું, પણ તમે કોણ છો?
16 ને જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓ પર કુદી પડ્યો, ને બન્નેને હરાવીને તેઓ પર એવો જાય પામ્યો કે તેઓ નાગા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી નાઠા.
17 અને એફેસસમાં જે યહુદીઓ તથા હેલેનીઓ રહેતા હતા તેઓ સર્વને એ માલમ પડ્યું, ને તે સર્વને ભય લાગ્યું, ને પ્રભુ ઈસુનું નામ મોટું મનાયું.
18 અને વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, ને પોતાના કૃત્યો કબૂલ કરીને કહી દેખાડ્યાં.
19 અને જાદુ કરનારાઓમાંના ઘણાએ પોતાના પુસ્તકો એકઠા કરીને સર્વના દેખતાં બાલી નાખ્યા; ને તેઓનું મૂલ ગણી જોતાં તે પચાસ હજાર આર્ધા થયું.
20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી વધીને પ્રબળ થઇ.
21 અને એ થયા પછી પાઉલે માકેદોનિયા તથા આખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કરીને કહ્યું કે, મારા ત્યાં ગયા પછી રૂમ પણ મારે જોવું જોઈએ.
22 અને તેને પોતાને સહાય કરનારાઓમાંના બેને એટલે તીમોથી તથા એરાસ્તસને માકેદોનિયામાં મોકલ્યા, ને પોતે કેટલાએક દિવસ આસિયામાં રહ્યો.
23 અને તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ઘાંઘળ મચી.
24 કેમકે દેમેત્રિઅસ નામે એક સોની જે આર્તેમિનાં રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ભાઈઓ, તમે જાણો છો કે એ ધંધાથી આપણને દ્રવ્ય મળે છે.
26 અને તમે જુઓ છો અને સાંભળો છો કે, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, એ પાઉલે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને, બહુ લોકોને ફેરવી નાખ્યા છે;
27 અને તથી આપણો એ ધંધો વખોડવામાં આવે એવો ભય છે, એટલુંજ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખા આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણવાનો ને તેનો મહિમા નાશ થવાનો સંભવ છે.
28 અને તેઓ એ સાંભળીને ક્રોધ ભરાયા, ને બૂમ પાડીને કેહેવા કાગ્યા કે, એફેસીઓની આર્તેમિસને જય!
29 અને આખું શહેર એ ગડબડાટથી ભરાઈ ગયું; ત્યારે તેઓ માકેદોનિયાના ગાયસ તથા આરીસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથી હતા, તેઓને પકડીન એકમતે અખાડામાં દોડી ગયા.
30 અને જયારે પાઉલ લોકોની ભીડની અંદર પેસવું ચાહ્યું, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 અને આસિયાના મુખ્ય અધિકારીઓમાંથી કેટલાએક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવી મોકલ્યું કે, તારે અખાડામાં જવાનું સાહસ કરવું નહિ.
32 ત્યારે કેટલાએક કંઈ બૂમ પાડતા, ને કેટલાએક કંઈ બૂમ પાડતા, કેમકે સભામાં ગડબડ થઇ હતી, ને પોતે શા માટે એકઠા થયા છે, એ તેઓમાંના ઘણાખરા જાણતા પણ ન હતા.
33 અને તેઓએ આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢ્યો, ને યહુદીઓ તેને આગળ હડસેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઈસરો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
34 પણ તે યહુદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સઘળા આસરે બે કલાક સુધી એક ઘાટે બૂમ પાડી કે, એફેસીઓની આર્તેમિસને જાય!
35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ઓ એફેસી લોકો, કયું માણસ નહિ જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવની તાતા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
36 એ વાતોથી ઉલટું કોઇથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, ને કંઈ અવિચારી કૃત્ય કરવું નહિ.
37 કેમકે તમે આ માણસોને અહીં લાવ્યા છો, કે જેઓ મંદિરોના લૂંટનારા નથી, ને આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
38 એ રારું જો દેમેત્રિઅસ તથા તેની સાથીના કારીગરોને કોઈના પર કાંઈ દાવો હોય to અદાલત ખુલ્લી છે, ને અધિકારીઓ પણ છે, માટે તેઓ એક બીજા પર ફરિયાદ માંડે.
39 પણ જો કંઈ બીજી બાબતો વિષે તમે દાદ માંગતા હો, to કાયદેસર નિમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
40 કેમકે આજે વગર કારણે હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
41 અને તેણે એ વાતો કહીને સભાને બરખાસ્ત કરી.