1 અને તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનીકામાં આવ્યા; ત્યાં યહુદીઓનું સભાસ્થાન હતું;
2 અને પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની [સભામાં] ગયો, ને ત્રણ વિશ્રામવાર તેને ધર્મલેખ ઉપરથી તેઓની સાથે વાદવિવાદ કીધો,
3 ને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રીસ્તે સહેવું, તથા મુએલામાંથી પાછા ઉઠવું એ જરૂરનું હતું, ને [એવું પણ કહ્યું કે] જે ઈસુને હું તમે પ્રગટ કરૂ છું તેજ ખ્રિસ્ત છે.
4 ત્યારે તેઓમાંના કેટલાએક તથા ધાર્મિક હેલેનીઓમાંના ઘણા લોક, તથા આબરૂદાર ઘણી બાયડીઓ વાત માનીને પાઉલ તથા સીલાસની સંગતમાં ભળ્યા.
5 પણ યહુદીઓએ અદેખાઈ રાખીને કેટલાક ચકલામાંના બદમાશોને સાથે લીધા, ને ભીડ જમાવીને આખા શહેરને ખભળાવી મુક્યું, ને યાસનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કીધો.
6 પણ તેઓ એઓએ જડ્યા નહિ ત્યારે યાસનને તથા કેટલાએક ભાઈઓને શહેરના આધિકારીઓ પાસે ઘસડી જઈને તેઓએ બૂમ પાડી કે, અ લોક કે જેઓએ જગત ઉથલપાથલ કીધું છે તેઓ અહિં પણ આવ્યા છે.
7 તેઓનો યાસને અંગીકાર કીધો છે; ને તેઓ સઘળા કાઈસરની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઇસુ [નામે] બીજો રાજા છે.
8 અને તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9 ત્યારે તેઓએ યાસનના તથા બીજાઓના જામીન લઈને તેઓને છોડી દીધા.
10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સીલાસને તરત બેરીઆમાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહુદીઓના સભાસ્થાનમાં ગયા.
11 અને થેસ્સાલોનીકાનાલોક કરતા એઓ અધિક ગુણવાન હતા, કેમકે એઓ મનની પુરી આતુરતાથી વાતનો અંગીકાર કરીને, એ વાતો એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મલેખા તપાસતા હતા.
12 એ માટે તેઓમાંના ઘણાઓએ વિશ્વાસ કીધો, ને આબરૂદાર હેલેની બાઈઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ [વિશ્વાસ કીધો].
13 પણ જયારે થેસ્સાલોનીકાના યહુદીઓએ જાણ્યું કે પાઉલ દેવની વાત બેરીઆમાં પણ પ્રગટ કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરીને ખભળાવ્યા.
14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સીલાસ તથા તિમોથી હજી ત્યાં રહ્યા.
15 પણ પાઉલના વળાવાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સીલાસ તથા તિમોથી તેની પાસે બનતી ઉતાવળી આવે, એવી અજ્ઞા એમને સારૂ લઈને તેઓ વિદાય થયા.
16 અને પાઉલ એથેન્સમાં એમની વાત જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઇને તેનો આત્મા બળી ઉઠ્યો.
17 તે માટે તે સભાસ્થાનમાં યહુદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ને ચહુટામાં તેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદ કરતો હતો.
18 ત્યારે એપીકુરી તથા સ્તોઈકી પંડીતોમાંના કેટલાએક તેની સામા થયા, ને કેટલાકે કહ્યું કે, આ બડબડીઓ શું કહેવા માંગે છે? ને બીજા કેટલાકે કહ્યું કે, પારકા દેવોને પ્રગટ કરનાર એ દેખાય છે; કેમકે તે ઇસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.
19 અને તેઓ તેને અરૈઓપાગસમાં લઇ ગયા, ને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20 કેમકે અમારા કાનોમાં તું કેટલીએક નવતર વાતો નાખે છે, માટે એમનો અર્થ અમે જાણવા ચાહીએ છીએ.
21 (હવે, સર્વ આથેનાયીઓ તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવી વાત કહેવી અથવા સંભાળવી તે શિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા ન હતા.)
22 અને પાઉલે અરૈઓપાગસની વચ્ચે ઉભા રહીને કહ્ય કે, આથેન્સના ગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23 કેમકે માર્ગે ચાલતાં ચાલતાં જે [દેવ દેવીઓને] તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ દીઠી, જેનાપર એવો લેખ કોતરેલો હતો કે, અજાણ્યા દેવના માનમાં; માટે જેને તમે જાણ્યા વિન ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24 જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કીધું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી.
25 અને જાણે તેને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેને જોઈએ છે એમ નહિ, કેમકે જીવન તથા શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
26 અને તેણે માણસોને સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીની પીઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કીધી, ને તેણે તેઓને સારૂ નિમેલા સમય તથા તેઓના રેહેઠાણની સીમાઓ ઠરાવી આપી.
27 એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેને માટે ટંટોળીને તેને પામે; પરતું આપણામાંના કોઇથી તે વેગળો નથી.
28 કેમકે આપણે તેનામાં જીવીએ છીએ, ને હાલીએ છીએ, ને હોઈએ છીએ, જેમ તમારા પોતાનાજ કવિઓમાંના કેટલાએક કહ્યું છે કે, આપણે પણ તેના વંશજો છીએ.
29 હવે આપણે દેવના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પત્થરના જેવો છે.
30 એ અજ્ઞાનપણાના સંયો પ્રત્યે દેવે અખાડા કીધા ખરા; પણ હવે સર્વ જગ્યામાં સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.
31 કેમકે તેણે એક દિવસ ડરાવ્યો છે કે જેમાં તે પોતાના ઠરાવેલા માણસ વડે જગતનો ન્યાય ન્યાયીપણાએ કરશે; જે વિષે તેણે તેને મુએલાઓમાંથી પાછો ઉઠાડવાથી સર્વને ખાતરી કરી આપી છે.
32 હવે તેઓએ મુએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, કેટલાએક ઠઠ્ઠા કીધા; પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.
33 એવી રીતે પાઉલ તેઓ મધ્યેથી નીકળી ગયો.
34 પણ કેટલાએક માણસોએ તેની સાથે મળી જઈને વિશ્વાસ કીધો; તેઓમાં દીઓનુસીઅસ અરૈઓપાગસી, તથા દામારીસ નામે એક બાઈ, તથા તેઓની સાથે બીજા પણ હતા.