1 હવે જે પ્રેરીતો તથા ભાઈઓ યહુદાહમાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ દેવની વાતનો અંગીકાર કીધો છે.
2 અને પીતર યરુશાલેમ આવ્યો, ત્યારે સુનતીઓએ તેની સાથે વાદ કરતા કહ્યું કે,
3 તે બેસુનતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ખાધું.
4 ત્યારે પીતર વાત કરવા લાગ્યો ને તેઓને વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
5 હું જોપ્પાં શહેરમાં પ્રાથના કરતો હતો, ત્યારે મને મૂર્છા આવી, ને મેં દર્શનમાં એક વાસણ, જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખુણાથી લટકાવેલી હોય તેવું આકાશમાંથી ઉતરતું જોયું; ને તે મારી પાસે આવ્યું.
6 તેના પર એકી નજરે જોઇને મેં ધ્યાન આપ્યું, to પૃથ્વી પરનાં ચોપગાં પ્રાણીઓ તથા રાની પશુઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓ, તથા આકાશનાં પક્ષીઓ મેં દીઠાં.
7 અને વળી મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, પીતર, ઉઠ, મારીને ખા.
8 પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ, કેમકે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ મારા મ્હોમાં કદી પેઠી નથી.
9 પણ તેના ઉત્તરમાં આકાશમાંથી બીજી વાર વાણી થઇ કે, દેવે જે શુદ્ધ કીધું છે, તેને તું નાપાક ન ગણ.
10 અને એમ ત્રણ વાર થયું; પછી બધા આકાશમાં ખેંચી લેવામાં આવ્યાં.
11 અને જુઓ, તેજ વેળાએ કાઈસારીઆથી મારી મોકલેલા ત્રણ માણસો જે ઘરમાં મે હતા તેની આગળ આવી ઉભા.
12 અને આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા.અને આ છ ભાઈ પણ મારી સાથે આવ્યા; ને અમે તે માણસના ઘરમાં ગયાં;
13 ત્યારે તેણે અમને ખબર આપી કે મેં મારા ઘરમાં દૂત ઉભેલો જોયો, જેણે મને કહ્યું કે, જોપ્પામાં [માણસ] મોકલી સીમોન જેનું બીજું નામ પીતર છે, તેને તેડાવ;
14 તે તને એવી વાતો કહેશે કે તેથી તું તારા આખા ઘરનાં સુદ્ધાં તારણ પામશે.
15 ને હું બોલવા લાગ્યો કે તરત જેમ આપણા પર પવિત્ર આત્મા ઉતર્યો હતો, તેમ તેઓ પર પણ તે ઉતર્યો.
16 ત્યારે પ્રભુની કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીએ બાપ્તિસમાં કીધું ખરૂં, પણ તમે પવિત્ર આત્માએ બાપ્તિસમાં પામશો.
17 એ માટે જ્યારે આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કીધો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવુજ દાન દેવે તેઓને પણ આપ્યું, તો હું કોણ હતો, કે દેવને અટકાવું?
18 ને તેઓ આ વાતો સાંભળીને ચાના રહ્યા, ને દેવને મહિમા આપતા કહ્યું કે, દેવે વિદેશીઓને પણ પશ્ચાતાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.
19 અને સ્તેફનના સબંધમાં જે સતાવણી થઇ તેથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફેનીકે તથા કુપરસ તથા અંત્યોખ લગી ગયા, પણ તેઓએ યહુદીઓ વગર કોઈને વા પ્રગટ કીધી ન હતી.
20 પણ તેઓમાંના કેટલાક કુપરસ તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને હેલેનીઓની આગળ પણ પ્રભુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.
21 અને પ્રભુની હાથ તેઓની સાથે હતો, ને ઘણા વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
22 અને તેઓ વિષેના સમાચાર યરુશાલેમની મંડળીને કાને આવ્યા; અને તેઓએ બર્નાબાસને અંત્યોખ લગી મોકાયો;
23 ને ત્યાં આવ્યો, ત્યારે દેવની કૃપા જોઇને આંનદ પામ્યો; ને તેણે તેઓ સર્વને મનના નિશ્ચયથી પ્રભુને વળગી રેહ્વાનો બોધ કીધો;
24 કેમકે તે સારો માણસ હતો, ને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપુર હતો, ને ઘણા લોક પ્રભુની [મંડળીમાં] ઉમેરાયા.
25 અને [બર્નાબાસ] શાઉલની શોધ કરવા સારૂ તાર્સસ ગયો;
26 અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખમાં લાવ્યો. અને એમ થયું કે, તેઓએ એક આખું વરસ મંડળીની સાથે એકઠા મળીને ઘણા લોકોને બોધ કીધો; ને શિષ્યો પહેલવહેલાં અંત્યોખમાં ખ્રીસ્તી કહેવાયા.
27 હવે એ દિવસોમાં ભવિષ્યવાદીઓ યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
28 અને તેઓમાંના અગાબસ નામે એક ઉભો થઈને આત્માંવડે સુચવ્યું કે, આખા જગતમાં મોટો દુકાળ પડશે; અને કલાદીઅસના દિવસોમાં તેમજ થયું.
29 ત્યારે શિષ્યોએ ઠરાવ્યું કે, આપણે ડાર્ક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહુદાહમાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.
30 અને તેઓએ તેમ કીધું, ને બર્નાબાસ તથા શાઉલની હસ્તક વડીલો પર તે મોકલી.