1 અને ત્યાર પછી એમ થયું કે, દાઉદે યહોવાહની સલાહ પુછી કે, શું હું યહુદાહના કોઇ નગરમાં જાઉં? ને યહોવાહે તેને કહ્યું કે, જા. અને દાઉદે કહ્યું કે, હું ક્યાં જાઉં? અને તેણે કહ્યું કે, હેબ્રોનમાં.
2 તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓને, એટલે યિઝ્રએલી અહીનોઆમને તથા નાબાલ કાર્મેલીને વિધવા અબીગાઈલને, લઈને ત્યાં ગયો.
3 અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સુદ્ધાં દાઉદ લઇ ગયો, ને તેઓ હેબ્રોનના નગરોમાં રહ્યા.
4 અને યહુદાહના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહ્દાહના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કીધો. અને તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યાં કે, શાઉલને દાટનારાઓ એ યાબેશ-ગિલઆદના માણસો હતા.
5 અને દુઆડે યાબેશ-ગિલઆદના માણસો પાસે હલકારા મોકલીન તેઓને કહાવ્યું કે, યહોવાહ તમને આશિષ ડો, કેમકે તમે તમારા ઘણી શાઉલ ઉપર કૃપા કરીને તેને દાટ્યો.
6 અને હવે યહોવાહ તમારા પર કૃપા તથા સત્યતા દેખાડો; ને તમે એમ કૃત્ય કર્યું છે; માટે હું પણ તમારી કૃપાનો બદલો આપીશ.
7 માટે હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમકે તમારો ઘણી શાઉલ મરણ પામ્યો છે; ને વળી યહુદાહના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કીધો છે.
8 હવે શાઉલનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશબોશેથને લઇ માહનાઈમમાં જતો રહ્યો હતો;
9 અને તેણે તેને ગિલઆદ પર, તથા અશૂરીઓ પર, તથા યિઝ્રએલ પર, તથા એફ્રાઈમ પર, તથા બિન્યામીન પર, તથા સર્વ ઇસ્રાએલ પર રાજા કીધો.
10 શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇસ્રાએલ પર રાજ્ય કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ્ય કીધું. પણ યહુદાહનું કુળ દાઉદના અધિકાર તળે રહ્યું.
11 અને દાઉદે સાત વર્ષ ને છ માસની મુદત સુધી હેબ્રોનમાં યહુદાહના કુળ ઉપર રાજ્ય કીધું.
12 અને નેરનો દીકરો આબ્નેર, તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઈમથી નિકળીને ગિબઓનમાં ગયા.
13 અને સરૂયાહનો દીકરો યોઆબ, તથા દાઉદના ચાકરો ચાલી નિકળીને ગિબઓનના તળાવ પાસે તેઓને મળ્યા; ને તેઓની એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પારે બેઠી.
14 અને આબ્નેરે યોઆબને કહ્યું કે, કૃપા કરીને જુવાનોને ઉઠીને આપણી આગળ ગમત કરવા દે; ને યોઆબે કહ્યું કે, તેઓ છો ઉઠે.
15 ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તથા શાઉલના દીકરા ઇશ-બોશેથ તરફથી બાર, અને દાઉદના ચકારોમાંથી બાર.
16 અને તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર પોતાના સાથીની કૂખમાં ભોકી દીધી, ને તે બધા સાથે નીચે ઢાળી પડ્યા; માટે તે જગ્યાનું નામ હેલ્કાથ-હાસ્સુરીમ પાડ્યું, ને તે ગિબઓનમાં છે.
17 અને તે દિવસે યુદ્ધ ઘણું ઉગ્ર મચ્યું; ને આબ્નેર તથા ઇસ્રાએલના માણસો દાઉદના ચાકરો આગળ પરાજિત થયા.
18 અને સરૂયાહના ત્રણ દીકરાઓ, યોઆબ તથા અબીશાય તથા અસાહેલ ત્યાં હતા, ને અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.
19 અને અસાહેલ અબ્નેરની પાછળ લાગ્યો; ને આબ્નેરની પાછળ દોડવાથી જમણે કે ડાબે વાળ્યો નહિ.
20 ત્યારે આબ્નેરે પાછળ નજર કરીને કહ્યું કે, અસાહેલ, એ શું તું છે? ને તેણે ઉત્તર આપ્યો કે, કે, હા, હું છું.
21 અને આબ્નેરે તેને કહ્યું કે, તારી જમણી કે ડાબી બાજુએ વળી જા, ને જુવાનોમાંથી એકને પકડીને તેનો શસ્ત્ર લે; પણ અસાહેલ તેની પૂઠેથી મરડાયો નહિ.
22 અને આબ્નેરે અસાહેલને ફરીથી કહ્યું કે, મારી પૂઠે લાગવાથી તું આડો અવળો ફરી જા; શા સારૂ મારે હાથે મરવા માગે છે? ને એમ થાય તો મારૂં મ્હો હું તારો ભાઇ યોઆબને શી રીતે દેખાડું?
23 પણ તેણે બાજુ પર વળી જવાનું માન્યુંજ નહી, માટે આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના કરવા પેટમાં એવો માર્યો કે, ભાલો તેની પૂઠ પાછળ પૂટ્યો, ત્યાંજ પડીને મુઓ. અને એમ થયું કે, અસાહેલ પડીને મુઓ હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા, તેઓ ત્યાંજ ઉભા રહ્યા.
24 પણ યોઆબ તથા અબીશાય આબ્નેરની પછવાડે લાગ્યા, ને તેઓ આમ્માહ પર્વત, જે ગિબઓનના રાનના માર્ગ ઉપર ગીઆહ આગળ છે, ત્યાં પહોંચ્યા, ત્યારે સૂર્ય અસ્ત થયો.
25 અને બિન્યામીન પુત્રો આબ્નેરની પાછળ એકઠા થયા, ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર ઉપર ઉભા રહ્યા.
26 ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું કે, શું તરવાર સદા સંહાર કરશે? શું તું જાણતો નથી કે એનો પરિણામ તો કડવાસરૂપ થશે? ત્યારે લોકોને પોતાના ભાઇઓની પૂઠે લાગવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?
27 ને યોઆબે કહ્યું કે, જીવતા દેવના સમ, જો તું બોલ્યો ન હોત તો નિશ્ચય સવારે લોકો ચાલ્યા ગયા હોત ને પ્રત્યેક માણસ પોતાના ભાઈની પાછળ લાગત નહિ.
28 પછી યોઆબે રણશિંગડુ વગાડ્યું, ને સર્વ લોક ઉભા રહ્યા, ને ઇસ્રાએલની પાછળ લાગવાથી અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.
29 અને આબ્નેર તથા તેના માણસો આખી રાત અરાબાહમાં ચાલ્યા, ને યરદન ઉતરીને આખું બિથ્રોન ઓળંગીને, માહનાઈમમાં પહોંચ્યા.
30 અને યોઆબ આબ્નેરની પૂઠે લાગવાથી પાછો ફર્યો, ને તેણે સર્વ લોકોને એકઠા કર્યા, ત્યારે અસાહેલ ઉપરાંત ઓગણીસ માણસ ઓછા માલમ પડ્યા.
31 પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા હતા કે, ત્રણસેં ને સાઠ માણસો મરી ગયા.
32 અને તેઓએ અસાહેલને ઉંચકી જઈને તેને બેથલેહેમ મધ્યે તેના બાપની કબરમાં દાટ્યો. અને યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલીને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા.