1 હવે સરૂયાહનો દીકરો યોઆબ સમજી ગયો કે, રાજાનું મન આબ્શાલોમની તરફ છે.
2 અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને તેડાવીને તેને કહ્યું કે, કૃપા કરીને તું શોક કરનારનો વેશ ધારણ કરીને, ને શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતાં મારી ગએલાને કાજે ઘણા દિવસથી શોક કરનાર સ્ત્રીની જેવી તું થા;
3 ને રાજા પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર; ને શી વાત કરવી એ યોઆબે તેના મ્હોમાં મુકી.
4 અને તકોઆની સ્ત્રીએ રાજાની સાથે વાત કરતી વેળાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે, હે રાજા, સાહ્ય કર.
5 અને રાજાએ તેને કહ્યું કે, તને શું દુઃખ છે? ને તેણીએ ઉત્તર આપ્યો કે, હું ખરેખર એક વિધવા સ્ત્રી છું, ને મારો પતિ મારી ગયો છે.
6 અને તારી દાસીને બે દીકરા હતા, ને તે બન્ને ખેતરમાં વઢી પડ્યા; ને તેઓને છુટા પાડનાર કોઇ નહોતું, તેથી એકે બીજાને મારીને ઠાર કર્યો.
7 અને જો, આખું કુટુંબ તારી દાસી વિરુદ્ધ ઉઠ્યું છે, ને તેઓએ કહ્યું કે, જેણે પોતાના ભાઇને મારી નાખ્યો છે, તેને અમારે સ્વાધીન કર, કે જે તેના ભાઇને તેણે મારી નાખ્યો, તેના જીવને લીધે અમે તેને મારી નાખીએ, ને એમ વારસનો નાશ કરીએ. એમ તેઓ મારો બાકી રહેલો અંગારો હોલવી નાખશે, ને મારા વરનું નામ કે શેષ ધરતી ઉપર રહેવા દેશે નહિ.
8 અને રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, તું તારે ઘેર જા, ને તારા વિષે હું હુકુમ આપીશ.
9 અને તકોઆની સ્ત્રીએ રાજાને કહ્યું કે, હે મારા મુરબ્બી રાજા, આ અન્યાય મારા પર તથા મારા બાપના ઘર પર હોજો; ને રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષી રહેજો.
10 અને રાજાએ કહ્યું, જે કોઇ તને કાંઈ કહે, તેને મારી પાસે લાવજે, ને તે ફરીથી તને અડકશે નહિ.
11 ત્યારે તેણીએ કહ્યું કે, રાજા કૃપા કરી પોતાના દેવ યહોવાહનું સ્મરણ કર, કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહિ તો તેઓ મારા દીકરાનો નાશ કરશે. અને તેણે કહ્યું કે, જીવતા યહોવાહનો સમ, તારા દીકરાનો એક વાળ પણ ભૂમિ પર નહિજ પડશે.
12 ત્યારે તે સ્ત્રી કહ્યું કે, કૃપા કરી તારી દાસીને એક વાત મારા મુરબ્બી રાજાને કહેવા દે. અને તેણે કહ્યું,બોલી જા.
13 અને તે સ્ત્રીએ કહ્યું, ત્યારે દેવના લોક વિરુદ્ધ એવી યુક્તિ તે કેમ રચી છે? કેમકે એ વચન ઉચ્ચારતાં રાજા એક અપરાધી જેવો ઠરે છે, શા માટે કે રાજા પોતાના દેશનિકાલ કીધેલા માણસને પાછો ઘેર તેડાવતો નથી.
14 કેમકે આપણે મરવું એ આવશ્ય છે, ને જમીન ઉપર ઢળેળું પાણી જે ફરીથી એકઠું કરી લેવાતું નથી, તેના જેવા છીએ; ને દેવ કોઈનો જીવ લેતો નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે જે કાઢી મુકાએલો, તે તેનાથી વિયોગી ન રહે.
15 માટે મારા મુરબ્બીને એ વાત કહેવાને હું આવી છું, એનું કારણ એ કે લોકોએ મને બીવડાવી છે; ને તારી દાસીએ કહ્યું કે, હવે હું રાજા સાથે વાત કરીશ; કદાપિ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળિભૂત કરે.
16 કેમકે રાજા સાંભળીને, જે માણસ મને તથા મારા દીકરાને દેવના વારસામાંથી નષ્ટ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી પોતાની દાસીને છોડાવશે.
17 પછી તારી દાસીએ કહ્યું કે, કૃપા કરીને, મારા મુરબ્બી રાજાનું વચન દિલાસરૂપ થાઓ; કેમકે મારા મુરબ્બી રાજા સારા નરસાની પરીક્ષા કરવામાં દેવના દૂત જેવો છે; અને તારો દેવ યહોવાહ તારી સાથે થાઓ.
18 ત્યારે રાજાએ ઉત્તર આપીને તે સ્ત્રીને કહ્યું કે, જે કંઈ વાત હું તને પુછું, તેમાંનું કંઈ કૃપા કરીન મારાથી છુપાવીશ નહિ. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે, મારા મુરબ્બી રાજા, બોલો ત્યારે.
19 અને રાજાએ કહ્યું, અસારવ કામમાં યોઆબનો હાથ તારી સાથે છે કે? ને તે સ્ત્રી ઉત્તર આપ્યો કે, મારા મુરબ્બી રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારા મુરબ્બી રાજા બોલ્યો છે, તેથી કોઇ જમણી કે ડાબી ગમ ફરી શકતું નથી; કેમકે તારા ચાકર યોઆબે મને આજ્ઞા આપી, ને તેણે આ સર્વ વાતો તારી દાસીના મ્હોમાં મુકી;
20 ને એ વાતને જુદું ડોળ આપવા માટે તારા ચાકર યોઆબે એ કામ કીધું છે; ને પૃથ્વી પર જે સર્વ છે તે જાણવામાં મારો મુરબ્બી દેવના દૂત જેવો જ્ઞાની છે.
21 અને રાજાએ યોઆબને કહ્યું કે, જો, મેં એમ તો કર્યું છે; માટે જઈને જુવાન આબ્શાલોમને પાછો તેડી લાવ.
22 અને યોઆબે સાષ્ટાંગ પ્રણામ દંડવત કીધા, ને રાજાને ધન્યવાદ આપ્યો; ને યોઆબે કહ્યું કે, હે મારા મુરબ્બી રાજા, આજ તારો ચાકર જાણે છે કે, હું તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમકે રાજાએ પોતાના ચાકરની વિનંતી સ્વીકારી છે.
23 અને યોઆબ ઉઠીને ગશૂર જઈને આબ્શાલોમને યરૂશાલેમ તેડી લાવ્યો.
24 અને રાજાએ કહ્યું કે, તે પાછો ફરીને પોતાને ઘેર જાય, પણ મારૂં મ્હો ન જુએ; ને આબ્શાલોમ વળીને પોતાને ઘેર ગયો, ને રાજાનું મ્હો જોવા પામ્યો નહિ.
25 હવે સર્વે ઇસ્રાએલમાં કોઇ પણ માણસ સૌંદર્યની બાબતે આબ્શાલોમના જેવા પ્રશંસાયોગ્ય નહોતો; તેના પગના તળિએથી તે તેના માથાની તાલ સુધી તેના અંગમાં કંઈ એબ ન હતી.
26 અને જયારે તે પોતાનું માથું મૂંડાવતો, હવે દર વર્ષની અંતે તે તેને મૂંડાવતો, વાળના ભાર તેના પર થતો માટે તે મૂંડાવતો હતો; ત્યારે તે પોતાના માથાના વાળ તોલતો, ને તેનું વજન રાજાના તોલતો, ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસેં શેકેલ થતું.
27 અને આબ્શાલોમને ત્રણ દીકરા તથા તામાર નામની એક દીકરી થયાં હતાં; તે સ્ત્રી સુંદરમુખી હતી.
28 અને આબ્શાલોમ યારૂશાલેમના પુરાં બે વર્ષ રહ્યો, તેમ છતાં તેણે રાજાનું મ્હો દીઠું નહિ.
29 ત્યારે આબ્શાલોમે યોઆબને રાજા પાઈ મોકલવા સારૂ તેડાવ્યો; પણ તે તેની પાસે આવવા ચાહતો નહોતો; ને તેણે ફરીથી બીજીવાર માણસ મોકલ્યું, પણ તે આવ્યો નહિ.
30 માટે તેણે પોતાના ચાકરોને કહ્યું કે, જુઓ, યોઆબનું ખેતર મારી ખેતરની પાસે છે, ને તેમાં તેના જવ છે; તમે જઈને તેમાં આગ મુકો. અને આબ્શાલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મુકી.
31 ત્યારે યોઆબ ઉઠીને આબ્શાલોમ પાસે તેને ઘેર ગયો, ને તેને કહ્યું કે, તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મુકી?
32 ને આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, જો, મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે, અહીં આવ, એ માટે કે હું તને રાજા પાસે મોકલીને કહેવડાવું કે, હું ગશૂરથી શા માટે આવ્યો છું?હું હજી ત્યાંજ રહ્યો હોત તો મને વધારે હિત થાત; તો હવે મને રાજનું મ્હો જોવા દે; ને મારામાં અન્યાય હોય તો તે મને બેલાશક મારી નાખે.
33 માટે યોઆબે રાજા પાસે જઈને તેને ખબર આપી;ને તેણે આબ્શાલોમને બોલાવ્યો,ત્યારે તે રાજા પાસે આવ્યો, ને રાજાની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, ને રાજાએ આબ્શાલોમને ચુંબન કીધું.