2 સૈન્યનો યહોવાહ એમ કહે છે કે, અમાલેકે ઇસ્રાએલને મિસરમાંથી નિકળીને જતાં જે કીધું, એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.
3 તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પુરો વિનાશ કર; તેમના પર દયા આણીશ નહિ; પણ પુરૂષ તથા સ્ત્રી, ને બાળકો તથા ધાવણા, બળદ તથા ઘેટાં, ઉંટ તથા ગધેડા, એ સર્વને મારી નાખ.
4 અને શાઉલે લોકોને બોલાવીને ટલાઈમમાં તેઓની ગણત્રી કીધી, તો પાયદળ બે લાખ, ને યહુદાહના માણસો દસ હજાર થયા.
5 અને શાઉલ અમાલેકના નગર પાસે જઈને નીચાણમાં સંતાઈ રહ્યો.
6 આને શાઉલે કેનીઓને કહ્યું કે, અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરૂં માટે તેઓમાંથી નિકળીને તમે જતા રહો; કેમકે ઇસ્રાએલપુત્રો જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા; તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નિકળી ગયા.
7 અને શાઉલે હવીલાહથી તે મિસર સામેના શૂર સુધી અમલેકીઓને માર્યા.
8 અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકનો તેણે તરવારની ધારથી પુરો વિનાશ કર્યો.
9 પણ શાઉલે તથા લોકોએ અગાગને, તથા ઘેટાં, તથા બળદો તથા પુષ્ટ જાનવરો, એઓમાંથી ઉત્તમ ઉત્તમને, તથા હલવાનોને, તથા સારી સારી બી વસ્તુઓને બચાવી, ને તેઓનો વિનાશ કીધો નહિ; પણ પ્રત્યેક જે નકામી નાખી દેવાની ચીજ, તેનો પુરો વિનાશ તેઓએ કીધો.
10 ત્યારે યહોવાહનું વચન શમૂએલની પાસે એ પ્રમાણે આવ્યું કે,
11 શાઉલને રાજા ઠરાવ્યો છે એ વિહે મને અનુતાપ થાય છે; કેમકે મારૂં પાછળ ચાલવું મુકી દઈને તે પાછો ફરી ગયો છે, ને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી. શમૂએલને ગુસ્સો ચઢ્યો ને આખી રાત યહોવાહની વિનંતી કીધી.
12 ને સવારે શાઉલને મળવાને શમૂએલ પરોઢીએ ઉઠ્યો; અને શમૂએલને એવી ખબર મળી કે શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, ને જુઓ, તેણે પોતાને સારૂ એક કીર્તિ સ્મારક ઉભો કીધો છે, ને ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને ગિલ્ગાલમાં ઉતરી પાડ્યો છે.
13 અને શામૂએલ શાઉલ પાસે આવ્યો; ને શાઉલે તેને કહ્યું, યહોવાહ તમારૂં ભલું કરો, મેં યહોવાહની આજ્ઞા પુરી કીધી છે.
14 અને શમૂએલે કહ્યું, ત્યારે આ બેં બેં કરવી જે મારે કાને પડે છે, ને બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શો છે?
15 ને શાઉલે કહ્યું કે, તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે અને લોકોએ ઉત્તમ ઘેટાં તથા બળદો તારા દેવ યહોવાહ આગળ યજ્ઞ કરવા સારૂં બચાવ્યાં, ને બાકીનાંઓનો અમે પુરા વિનાશ કીધો છે.
16 ત્યારે શમૂએલે શાઉલને કહ્યું કે, ઉભો રહે, ને આજ રાત્રે યહોવાહે મને જે કહ્યું છે તે હું તને કહું, ને તેણે તેને કહ્યું, કહે
17 અને શમૂએલે કહ્યું, તું પોતાની દૃષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇસ્રાએલના કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? ને યહોવાહે તને ઇસ્રાએલના રાજા તરીકે અભિષિક્ત કીધો;
18 ને યહોવાહે તને સ્વારીએ મોકલીને કહ્યું કે, જા, ને તે પાપિષ્ટ અમાલેકીઓનો પુરેપુરો વિનાશ કર; ને તેઓની નાશ થાય ત્યાં સુધી તેઓ સાથે લડાઇ કર.
19 તો યહોવાહની વાણી તે કેમ માની નહિ, પણ લૂટ પર ઘસી ગયો, ને યહોવાહની દૃષ્ટિમાં ભુંડું કર્યું?
20 ને શાઉલે શમૂએલને કહ્યું, મેં યહોવાહની વાણી માની છે, ને જે માર્ગે યહોવાહે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું; ને અમાલેકીઓનો પુરો વિનાશ કરીને રાજા અગાગને લાવ્યો છું.
21 પણ સમર્પિત વસ્તુઓમાંથી લૂટને સારૂ ઉત્તમ ઘેટાં, તથા બળદો લોકોએ તારા દેવ યહોવાહની આગળ ગિલ્ગાલમાં યજ્ઞ કરવા સારૂ લીધાં.
22 અને શમૂએલે કહ્યું કે, પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલો રાજી યહોવાહ થાય છે, તેટલો દહનીયાર્પણો તથા યજ્ઞોથી થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારૂ છે; ને ઘેટાંના મેદ કરતાં સાંભળવું સારૂ છે.
23 કેમકે દંગો એ જાદુગીરીના પાપ જેવો છે, ને હઠીલાઈ દુષ્ટપણા તથા મૂર્તિપૂજા જેવું છે; તે યહોવાહનો શબ્દ નકાર્યો છે, માટે તેણે પણ તને રાજા હોવાથી નકાર્યો છે.
24 અને શાઉલે શામૂએલને કહ્યું, મેં પાપ કીધું છે, કેમકે મેં યહોવાહની વાતોનું તથા તારી વાતોનું ઉલ્લંઘન કીધું છે; કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.
25 તો કૃપા કરી મારા પાપની ક્ષમા કર, ને પાછો ફરીને મારી સાથે ચાલ, કે હું યહોવાહનું ભજન કરૂં.
26 અને શમૂએલે શાઉલને કહ્યું કે, હું પાછો ફરીને તારી સાથે નહિ આવું, કેમકે તે યહોવાહનો શબ્દ નકાર્યો છે. અને યહોવાહ તને ઇસ્રાએલ ઉપર રાજા હોવાથી નકાર્યો છે.
27 અને શમૂએલ જવાને પીઠ ફેરવી, ત્યારે તેણે તેના ઝબાની કોર પકડી, ને તે ફાટી.
28 આને શમૂએલ તેને કહ્યું કે, યહોવાહે આજ ઇસ્રાએલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો પડોસી જે તારા કરતો સારો છે તેને આપ્યું છે.
29 અને વળી ઇસ્રાએલનું સામર્થ્ય તે જુઠું બોલશેજ નહિ, ને અનુતાપ કરશેજ નહિ; કેમકે તે માણસ નથી કે અનુતાપ કરે.
30 ત્યારે તેણે કહ્યું કે, મેં પાપ કીધું છે; તો પણ કૃપા કરી હાલ મારા લોકોનાં વડીલો આગળ, તથા ઇસ્રાએલ આગળ મારૂં માન રાખ, ને તારા દેવ યહોવાહનું હું ભજન કરૂં, માટે પાછો ફરીને મારી સાથે આવ.
31 તેથી શમૂએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો; ને શાઉલે યહોવાહનું ભજન કીધું.
32 ત્યારે શમૂએલે કહ્યું, અમાલેકીઓના રાજા અગાગને મારી પાસે લાવો; ને અગાગ તેની પાસે ખુશીથી આવ્યો. અને અગાગે કહ્યું કે, નિશ્ચે મરણની વેદનાની બીક વિતી ગઇ છે.
33 અને શમૂએલે કહ્યું, જેમ તારી તરવારે સ્ત્રીઓને પુત્રહીન કીધી છે, તેમ તારી મા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે. અને શમૂએલે ગિલ્ગાલમાં યહોવાહ આગળ અગાગને કાપીને ટુકડા કીધા.
34 ત્યારે શમૂએલ રામાહમાં ગયો; ને શાઉલ પોતાને ઘેર શાઉલના ગિબઆહમાં ગયો.
35 અને શમૂએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહિ; તો પણ શમૂએલ શાઉલને સારૂ શોક કરતો હતો; ને શાઉલને ઇસ્રાએલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે યહોવાહને અનુતાપ થયો.