1 ત્યારે ઇસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,

2 શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મુસાના આસન પર બેસે છે;

3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમકે તેઓ કહે છે, પણ કરતાં નથી.

4 કેમકે ભારે અને ઉંચકતા મહા મુસીબત પડે એવા બોજા તેઓ બાંધીને માણસોની ખાંધો પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળીએ તેણે ઉપાડવા ચહાતા નથી.

5 અને લૂ તેઓને જુએ એ હેતુથી તેઓ પોતાના સઘળાં કામ કરે છે; તેઓ પોતાના સ્મરણપત્રોને પહોળાં બનાવે છે, ને પોતાના લુંગડાની કોર વધારે છે.

6 વળી જમણાવારોમાં મુખ્ય જગ્યાઓ, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો,

7 તથા ચૌટાઓમાં સલામો, તથા માણસ તેઓને રાબી કહે એ તેઓ ચાહે છે.

8 પણ તમે રાબી ન કહેવાઓ; કેમકે એકજ તમારો ગુરૂ છે, ને તમે સઘળાં ભાઇ છો.

9 અને પૃથ્વી પર તમે કોઈને તમારો બાપ ન કહો, કેમકે એક જે આકાશમાં, તે તમારો બાપ છે.

10 અને તમે સ્વામી ન કહેવાઓ, કેમકે એક, જે ખ્રીસ્ત, તે તમારો સ્વામી છે.

11 પણ તમારામાં જે મોટો તે તમારો સેવક થાય.

12 અને જે કોઇ પોતાને ઉંચો કરશે, તે નીચો કરાશે; ને જે કોઇ પોતાને નીચા કરશે, તે ઉંચો કરાશે.

13 અને, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે આકાશનું રાજ્ય લોકોની સામે તમે બંધ કરો છો; કેમકે તેમાં તમે પોતે પેસતા નથી, ને જે પેસે છે તેઓને તમે પેસવા દેતાં નથી.

14 [[અને, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે વિધવાઓના ઘરો તમે ખાઇ જાઓ છે, ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો; તે સારૂ તમે વિશેષ દંડ ભોગવશો]].

15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે તમે એક શિષ્ય કરવા સારૂ સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; ને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16 ઓ આંધળા દોરનારાઓ, તમે અફસોસ છે; તમે કહો છો કે, જો કોઇ મંદિરના સમ ખાય, તો તેમાં કંઈ નહિ, પણ જો કોઇ મંદિરના સોનાના સમ ખાય તો તે બંધાયલો છે.

17 ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારૂં મંદિર?

18 અને, જો કોઇ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ, પણ જો કોઇ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.

19 ઓ આંધળાઓ, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી હોમવેદી?

20 એ માટે જે કોઇ હોમવેદીના સમ ખાય છે, તે તેના તથા જે સઘળાં તે પર છે તેના પણ સમ ખાય છે.

21 અને જે કોઇ મંદિરના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.

22 અને જે આકાશના સમ ખાય છે, તે દેવના આસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.

23 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે ફુદનાનો તથા સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની ભારે વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ, તમે પડતાં મુક્યા છે; તમારે આ કરવાં, ને એ ન મુકવા જોઈતાં હતાં.

24 ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઉંટને ગળી જાઓ છો.

25 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે તમે થાળી વાટકો બહારથી શુદ્ધ કરો છો, પણ માંહે જુલમ તથા અન્યાય ભરેલા છે.

26 ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી વાટકો માંહેથી શુદ્ધ કર, કે તે બહારથી પણ શુદ્ધ થઇ જાય.

27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે ધોળેલી કબરના જેવા તમે છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માંહે મુડદાંનાં હાડકાંએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે.

28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ માંહેથી ઢોંગે તથા ભુંડાઇએ ભરેલા છો.

29 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે; કેમકે તમે ભવિષ્યવાદીઓની કબરો બાંધો છો, ને ન્યાયીઓની કબરો સણગારો છો;

30 ને કહો છો કે, જો અમે અમારા બાપદાદાઓના દિવસોમાં હોત તો તેઓની સાથે ભવિષ્યવાદીઓના ખૂનમાં અને ભાગીયાન થાત.

31 એથી તમે પોતે સંબંધી સાક્ષી આપો છો કે ભવિષ્યવાદીઓને મારી નાખનારાઓના દીકરા તમે છો.

32 તો તમારા બાપદાદાઓનું માપ ભરી ડો.

33 ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે શી રીતે બચશો?

34 એ માટે, જુઓ, ભવિષ્યવાદીઓને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાએકને મારી નાખશો, ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાએકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગરે નગર તેઓની પુઠે લાગશો;

35 કે ન્યાયી હાબેલના લોહીથી તે બારખીઆના દીકરા જાખરીઆ, જેણે મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવ્યું હતું, તે તમ પર આવે.

36 હું તમને ખચિત કહું છું કે, એ બધું આ પેઢી પર આવશે.

37 ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, ભવિષ્યવાદીઓને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પત્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

38 જુઓ, તમારે સારૂ તમારું ઘર ઉજડ મુકાયું છે.

39 કેમકે હું તમને કહું છું કે, પ્રભુને નામે જે આવે છે તે અશીર્વાદિત છે, એવું કહેશો ત્યાં સુધી હવેથી તમે મને નહિજ દેખશો.