1 અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો; ને તેના શિષ્યો તેની પાછળ આવ્યા.

2 અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો; અને ઘણાએ સાંભળીને દંગ થઈને કહ્યું કે, આ સઘળું તેની પાસે ક્યાંથી? ને તેને જે બુદ્ધિ અપાઇ તે કેવી છે! અને એના હાથથી આવાં પરાક્રમી કામો થાય છે,, એ શું?

3 શું એ સુતાર નથી? મરિયમનો દીકરો, યાકુબ તથા યોસી તથા યહુદા તથા સિમોનનો ભાઇ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી અને તેઓએ તેનાથી ઠોકર ખાધી.

4 પણ ઇસુએ તેઓને કહ્યું કે, ભવિષ્યવાદી પોતાના દેશ તથા પોતાનાં સગાં તથા પોતાના ઘર શિવાય [બીજે ઠેકાણે] માન વિનાનો નથી.

5 અને તેણે થોડાંક માંદાઓ પર હાથ મુકીને તેઓને સજા કીધાં; એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો.

6 અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરત થયો. અને આસપાસ ગામેગામ તે બોધ કરતો ફર્યો.

7 અને બાર [શિષ્યો]ને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબે મોકલવા લાગ્યો; ને તેણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;

8 ને તેઓને ફરમાવ્યું કે, માર્ગને સારૂ કેવળ એક લાકડી વિના બીજું કંઈ નહિ; રોટલી નહિ, જોણ્ણું નહિ, પોતાના કમરબંધમાં નાણું નહિ;

9 પણ ચંપલ પહેરવાં, ને બે અંગરખા ન પહેરવા.

10 અને તેણે તેઓને કહ્યું કે, જ્યાં તમે કોઇ ઘરમાં પેસો, ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાંજ રહો.

11 અને જ્યાં કહીં તેઓ તમારો આવકાર નહિ કરે, ને તમારું નહિ સાંભળે, તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે ત્યાંથી જતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.

12 અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કીધો કે, પસ્તાવો કરો.

13 અને તેઓએ ઘણાં ભૂતો કાઢ્યાં, ને ઘણા માંદાઓને તેલ ચોળ્યું, ને તેઓને સાજાં કર્યાં.

14 અને હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું (કેમકે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું), ને તેણે કહ્યું કે, યોહાન બાપ્તિસ્મા કરનાર મુએલાંમાંથી ઉઠ્યો છે, અને એ માટે તેનાથી આ પરાક્રમી કામો કરાય છે.

15 પણ બીજાઓએ કહ્યું કે, તે એલીયાહ છે; ને બીજાઓએ કે, તે ભવિષ્યવાદીઓમાંના કોઈએકના જેવો ભવિષ્યવાદી છે.

16 પણ હેરોદ સાંભળીને કહ્યું કે, એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું, ને મુએલાંમાંથી ઉઠ્યો છે.

17 કેમકે હેરોદે પોતે મોકલીને યોહાનને પકડાવ્યો હતો, અને પોતાના ભાઇ ફિલિપની વહુ હેરોદિયાસને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો; કેમકે તે તેણીને પરણ્યો હતો.

18 કેમકે યોહાને હેરોદને કહ્યું હતું કે, તારા ભાઈની વહુ રાખવી તને યોગ્ય નથી.

19 અને હેરોદિયાસ તે પર અદાવત રાખતી, ને તેને મારી નાખવા ચહાતી, પણ એમ કરી ન શકી.

20 કેમકે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેથી બીતો, ને તેને સંભાળતો, ને તેનું સાંભળીને બહુ ગભરાતો, પણ ખુશીથી તેનું સાંભળતો.

21 અને જયારે જોગવાઈનો દહાડો આવ્યો, ત્યારે હેરોદે પોતાની વરસગાંઠે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારૂ મિજબાની કરી;

22 ને તેજ હેરોદિયાસની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જ્જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, તું જે ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.

23 અને તેણે સમ ખાઈને તેને કહ્યું કે, જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.

24 અને તેણે બહાર જઈને પોતાની માને પુછ્યું કે, હું શું માગું?

25 ને તેણીએ કહ્યું, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું. અને તરત રાજાની પાસે ઉતાવળથી માંહે આવીને તેણીએ માગીને કહ્યું કે, હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું કથરોટમાં હમણાંજ તું મને આપ.

26 અને રાજા બહુ દલગીર થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તેને ના કહેવાને ચાહ્યું નહિ.

27 અને તરત રાજાએ સિપાઈને મોકલીને એનું માથું લાવવાનો હુકમ કર્યો, ને તેણે જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું;

28 ને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું; ને છોકરીએ પોતાની માને તે આપ્યું.

29 અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા, ને તેનું ધડ લઇ ગયા, ને કબરમાં મુક્યું.

30 અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થાય છે, ને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શિખવ્યું હતું, તે બધું તેને કહ્યું.

31 અને તેણે તેઓને કહ્યું કે, તમે પોતે ઉજડ ઠેકાણામાં એકાંત આવો, ને થોડો વિસામો લો; કેમકે આવનારા ને જનારા ઘણા હતા; ને તેમને ખવાનો પર અવકાશ મળતો નહોતો.

32 અને તેઓ હોડીમાં બેસીને ઉજડ ઠેકાણે એકાંત ગયા.

33 અને લોકોએ તેઓને જતા દીઠા, ને ઘણાએ તેને ઓળખ્યો, ને સઘળાં શહેરમાંથી પગે દોડીને ત્યાં એકઠા થયા, ને તેઓની આગળ જઈ પહોંચ્યા.

34 અને તેણે નીકળીને અતિ ઘણા લોકનેજોયા; ને તેણે તેઓ પર કરૂણા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; એ તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યો.

35 અને જયારે દહાડો ઘણો નમી ગયો ત્યારે તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે, આ ઠેકાણું ઉજડ છે; ને દહાડો ઘણો નમી ગયો છે;

36 તેઓને વિદાય કર, એ માટે કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને સારૂ કંઈ ખાવાનું વેચાતું લે.

37 પણ તેણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓ તેણે કહે છે કે, શું અમે જઈને બસેં દીનારની રોટલીઓ લઈને તેઓને ખવાડીએ?

38 પણ તે તેઓને કહે છે કે, તમારી પાસે કેટલી રોટલીઓ છે? જઈને જુઓ, ને ખબર કાઢ્યા પછી તેઓ કહે છે કે, પાંચ તથા બે માછલી.

39 અને તેણે તેઓને હુકમ કર્યો ક, સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.

40 અને તેઓ સો સો તથા પચાસ પચાસ હારબંધ બેઠો.

41 અને તેણે પાંચ રોટલી તથા બે માછલી લઈને આકાશ તરફ જોઇને આશીર્વાદ માગ્યો; ને રોટલીઓ ભાંગીને તેઓને પિરસવા સારૂ પોતાના શિષ્યોને આપી; ને બે માછલી સહુને વહેંચી આપી.

42 અને સહુએ ખાધું, ને તૃપ્ત થયા;

43 અને તેઓએ ટુકડાની બાર ટોપલી ભરીને ઉઠાવી, ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું.

44 અને જેઓએ રોટલીઓ ખાધી તેઓ આસરે પાંચ હજાર પુરુષ હતા.

45 અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીનને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં પોતાની આગળ પેલે પાર બેથસૈદાએ મોકલ્યા.

46 અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો.

47 અને સાંજ પાડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; ને તે એકલો જમીન પર હતો.

48 અને તેઓ હલ્લેસાં મારતાં હેરાન થાય છે કેમકે પવન તેઓની સામો છે, એ જોઇને, આસરે રાતને ચોથે પોહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું કર્યું.

49 અને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઇને ધાર્યું કે, એ તો આભાસ છે, ને બૂમ પાડી;

50 કેમકે સહુ તેને જોઇને ગભરાયા. અને તરત તે તેઓની સાથે બોલ્યો, ને તેઓને કહે છે કે, હિમ્મત રાખો, હું છું, બિહો મા.

51 અને તે તેઓની પાસે હોડી પર ગયો, ને પવન થંભ્યો; ને તેઓ અતિશય વિસ્મિત થયા;

52 કેમકે તેઓ રોટલી સંબંધી ન સમજ્યા, પણ તેઓનાં મન કઠણ હતાં.

53 અને તેઓ પાર જઈને ગેન્નેસારેત દેશમાં આવ્યા, ને કિનારે લંગર કર્યું.

54 અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે તરત લોકોએ તેને ઓળખ્યો,

55 ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને જ્યાં તેઓએ સાંભળ્યું કે તે છે, ત્યાં માંદાઓને ખાટલામાં ઘાલીને લાવવા લાગ્યા.

56 અને જ્યાં તે ગામો કે શહેરો કે પરાંઓમાં પેઠો, ત્યાં તેઓએ માંદાઓને ચૌટાંઓમાં રાખ્યા, ને તેને વિનંતી કીધી કે, તેઓને માત્ર તારા લુંગડાની કોરને અડકવા દે; જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા.