1 અને તેઓએ દૃષ્ટાંતમાં કહેવા કાગ્યો કે, એક માણસે દ્રાક્ષવાડી રોપી, ને તેની આસપાસ વાડ કરી, ને દ્રાક્ષરસનો કુંડ ખોદ્યો, ને બુરૂજ બાંધ્યો, ને ખેડુતોને તે ઇજારે આપી, ને પરદેશ ગયો.

2 અને મોસમે તેણે ખેડુતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડુતો પાસેથી દ્રાક્ષવાડીનાં ફળનું કંઈ લે;

3 પણ તેઓએ તેને પકડીને માર્યો, ને ખાલી હાથે પાછો મોકલ્યો.

4 અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો, ને તેનું માથું તેઓએ ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મેલ્યો.

5 અને તેણે બીજો મોકલ્યો, ને તેને તેઓએ મારી નાખ્યો; ને બીજા ઘણા મોકલ્યા, ને તેઓએ કેટલાકને કોરડા માર્યા, ને કેટલાકને મારી નાખ્યા.

6 હવે એક બાકી હતો, જે તેનો વહાલો દીકરો હતો, એને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે, તેઓ મારા દીકરાની અદબ રાખશે.

7 પણ તે ખેડૂતોએ માહોમાંહે કહ્યું કે, એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ, તો વારસો આપણો થશે.

8 અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો, ને દ્રાક્ષવાડીમાંથી બહાર ફેંકી દીધો.

9 એ માટે દ્રાક્ષવાડીનો ઘણી શું કરશે? તે આવશે, ને એ ખેડૂતોનો નાશ કરશે, દ્રાક્ષવાડી બીજાઓને આપશે.

10 શું તમે આ લેખ નથી વાંચ્યો કે, જે પત્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, તેજ ખુણાના મથાળાનો [પત્થર] થયો;

11 એ પ્રભુથી થયું, ને આપણી નજરમાં આશ્ચર્યકારક છે.

12 અને તેઓએ તેને પકડવાને શોધ કીધી; પણ તેઓ લોકથી બીધા; કેમકે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર આ દૃષ્ટાંત કહ્યું; ને તેઓ તેને મુકીને ચાલ્યા ગયા.

13 અને તેઓ તેની પાસે કેટલાએક ફરીશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે.

14 અને તેઓ આવીને તેને કહે છે કે, ઉપદેશક, અને જાણીએ છીએ કે, તું ખરો છે, ને કોઈનો દરકાર કરતો નથી, કેમકે માણસોનું મ્હો તું રાખતો નથી, પણ સત્યતાથી દેવનો માર્ગ શિખવે છે. કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?

15 આપીએ કે ન આપીએ? પણ તેણે તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.

16 અને તેઓ લાવ્યા. અને તે તેઓને કહે છે કે, અ સુરત તથા લેખ કોનાં છે? અને તેઓએ તેણે કહ્યું કે, કાઈસારનાં.

17 અને ઇસુએ ઉત્તર આપીને તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, ને જે દેવનાં તે દેવને ભરી આપો. અને તેઓ તેનાથી ઘણો અચંબો પામ્યા.

18 અને સદુકીઓ જે કહે છે કે, પુનરૂત્થાન નથી, તેઓ તેની પાસે આવે છે; ને તેઓએ તેને પુછીને કહ્યું કે,

19 ઉપદેશક, મુસાએ અમારે વાસ્તે લખ્યું કે, જો કોઈનો ભાઇ નછોરવો મારીને વહુને મુકે, તો તેનો ભાઇ તેની વહુને લે, ને પોતાના ભાઇને સારૂ સંતાન ઉપજાવે.

20 હવે સાત ભાઇ હતા; ને પહેલો વહુ પરણીને સંતાન વિના મરી ગયો.

21 પછી બીજાએ તેને લીધી, ને તે મારી ગયો; ને તે પણ કંઈ સંતાન મુકી ગયો નહિ; ને એ પ્રમાણે ત્રીજાએ પણ;

22 ને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે બાયડી પણ મારી ગઇ.

23 હવે પુનરૂત્થાનમાં, તે તેઓમાંના કોણની વહુ થશે? કેમકે સાતેની તે વહુ થઇ હતી.

24 ઇસુએ તેઓને કહ્યું કે, શું તમે એ કારણથી ભૂલ નથી કરતાં, કે તમે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ જાણતાં નથી?

25 કેમકે મુએલામાંથી ઉઠનારાં પરણતાં પરણાવતાં નથી, પણ આકાશમાંના દૂતોના જેવા હોય છે.

26 પણ મુએલાં લોક પછી ઉઠે છે, તે સંબંધી, શું તમે મુસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, દેવે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહીમનો દેવ તથા ઇસ્હાકનો દેવ તથા યાકુબનો દેવ છું.

27 તે મુએલાંઓનો દેવ નથી, પણ જીવતાંઓનો દેવ છે. તમે મોટી ભૂલ કરો છો.

28 અને શાસ્ત્રીઓમાંના એક પાસે આવીને તેઓની તકરાર સાંભળી, ને તેણે તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેને પુછ્યું કે, સહુ અજ્ઞાઓમાં પહેલી કંઈ છે?

29 ઇસુએ તેને ઉત્તર આપ્યો કે, પહેલી એ છે કે, ઓ ઈસ્રાએલ, સાંભળ, પ્રભુ આપણો દેવ તે પ્રભુ એકજ છે;

30 તે તારા આખા હૃદયથી, ને તારા આખી જીવથી, ને તારા આખી બુદ્ધિથી, ને તારા આખા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.

31 અને બીજી એ છે, કે જેમ તું તારા પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોસી પર પ્રીતિ કર. એઓ કરતાં બીજી કોઇ મોટી આજ્ઞા નથી.

32 અને શાસ્ત્રીએ તેને કહ્યું કે, ખરેખર ઉપદેશક, તેં ઠીક કહ્યું છે કે, તે એકજ છે, ને તે વિના બીજો કોઇ નથી;

33 ને આખા હૃદયથી તથા આખી સમજણથી તથા આખા સામર્થ્યથી, તેના પર પ્રીતિ કરવી, તથા પતા પર તેવી પોતાના પડોસી પર પ્રીતિ કરવી, તે સર્વ સકળ દહનીયાર્પણ તથા યજ્ઞ કરતાં અધિક છે.

34 અને તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઇને ઇસુએ તેને કહ્યું કે, તું દેવના રાજ્યથી વેગળો નથી. અને ત્યાર પછી કોઇએ તેને પૂછપરછ કરવાની હિમ્મત ન ધરી.

35 અને મંદિરમાં બોધ કરતાં ઇસુએ ઉત્તર આપીને કહ્યું કે, શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રીસ્ત દાઉદનો દીકરો છે?

36 કેમકે દૌડે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારૂં પાયાસન કરૂં, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.

37 દાઉદ પોતે તેને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેમ છે? ને બધા લોક ખુશીથી તેનું સાંભળ્યું.

38 અને તેણે બોધ કરતાં તેઓને કહ્યું કે, શાસ્ત્રીઓથી સાવધાન રહો;; તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચૌટાંઓમાં સલામો,

39 તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે.

40 એઓ વિધવાઓના ઘર ખાઇ જાય છે, ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓને વિશેષ સજા મળશે.

41 અને તેણે ખજાનાની સામે બેસીને, લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું, ને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા.

42 અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી, એટલે એક અધેલો નાખ્યો.

43 અને તેણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે, ભંડારમાં એ સર્વ નાખનારાં કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે.

44 કેમકે તે સઘળાંએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું; પણ એણીએ પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ, એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.