1 અને એમ થયું કે વિશ્રામવારે તે ખેતરોમાં થઈને જતો હતો, ને તેના શિષ્યો કણસલાં તોડતા, ને હાથે મસળીને ખાતા હતા.
2 પણ ફરોશીઓમાંના કેટલાએક કહ્યું કે, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો?
3 ને ઇસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કીધું તે પણ તમે શું વાંચ્યું નથી,
4 કે તે દેવના ઘરમાં ગયો, ને અર્પેલી રોટલી જે યાજક શિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે તેણે લઈને ખાધી, ને પોતાના સાથીઓને પણ આપી?
5 ને તેણે તેઓને કહ્યું કે, માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.
6 અને એમ થયું કે એક બીજે વિશ્રામવારે તેણે સભાસ્થાનમાં જઈને બોધ કીધો, ને ત્યાં એક માણસ હતો જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
7 અને વિશ્રામવારે તે સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેને જોયાં કરતા હતા એ માટે કે તેના પર દોષ મૂકવાને તેઓને લાગ મળે.
8 પણ તેણે તેઓના વિચાર જાણીને જે માણસનો હાથ સુકાઈ ગયલો હતો તેને કહ્યું કે, ઉઠ ને વચમાં ઉભો રહે. અને તે ઉઠીને વચમાં ઉભો રહ્યો.
9 ત્યારે ઇસુએ તેઓને કહ્યું કે, હું તમને પુછું છું, વિશ્રામવારે સારૂં કરવું કે માઠું કરવું, જીવને બચાવવો કે તેનો નાશ કરવો, કયું ઉચિત છે?
10 ને તે સઘળા પર ચોતરફ નજર ફેરવીને તેણે તે માણસને કહ્યું કે, તારો હાથ લાંબો કર. અને તેણે તેં કીધું, એટલે તેનો હાથ સાજો થયો.
11 પણ તેઓ ગાંડા જેવા બની ગયા, ને એક બીજાને કહેવા લાગ્યા કે, ઇસુ વિષે આપણે શું કરીએ?
12 અને તે દહાડાઓમાં એમ થયું કે તે નીકળીને પ્રાર્થના કરવા પહાડ પર ગયો; ને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી.
13 અને દહાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કીધા, જેઓને તેણે પ્રેરીતો પણ કહ્યા;
14 એટલે, સીમોન જેનું નામ તેણે પીતર પણ પાડ્યું તેને, તથા તેના ભાઈ આંદ્રયાને, અને યાકુબને તથા યોહાનને, અને ફિલિપને તથા બારથલમીને,
15 અને માત્થીને તથા થોમાને, અને અલ્ફીના [દીકરા] યાકુબને, તથા સીમોન જેણે જેલોટીસ કહેતા હતા તેને,
16 અને યાકુબના [ભાઈ] યહુદાને, અને યહુદા ઇસકારીઓત જે વિશ્વાસઘાતી હતો તેને.
17 અને તે તેઓની સાથે ઉતરીને મેદાનમાં ઉભો રહ્યો, ને તેના શિષ્યોનો મોટો જથો તથા આખા યહુદાહમાંના તથા યરૂશાલેમમાંના, ને સૂર તથા સીદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય [હતો], કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારૂ આવ્યા હતા;
18 ને અશુદ્ધ આત્માઓથી જેઓ પીડાતા હતા તેઓ સાજા કરાયા.
19 અને સઘળા લોકે તેને અદાક્વાને કોશિશ કીધી; કેમકે તેનામાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
20 અને તેણે પોતાનો શિષ્યો તરફ પોતાની આંખો ઉંચી કરીને કહ્યું કે, ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે, કેમકે દેવનું રાજ્ય તમારૂં છે.
21 ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે, કેમકે તમે તૃપ્ત થશો. ઓ હમણાંનો રડનારાઓ, તમને ધન્ય છે, કેમકે તમે હસશો.
22 જયારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, ને તમને જુદા કાઢશે, ને તમને મહેણાં મારશે, ને તમારૂં નામ ભુંડું માનીને તમને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.
23 તે દહાડે તમે આનંદ કરો, ને [ખુશાલીમાં] કુદો; કેમકે જુઓ, આકાશમાં તમારૂં ફળ ઘણું છે; કેમકે તેજ પ્રમાણે તેઓના બાપદાદાઓએ ભવિષ્યવાદીઓને કીધું.
24 પણ તમ શ્રીમંતોને અફસોસ છે! કેમકે તમે તમારો દિલાસો પામ્યા છો.
25 ઓ હમણાંના ઘરાએલાઓ, તમને અફસોસ છે! કેમકે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે! કેમકે તમે શોક કરશો ને રડશો.
26 જયારે સઘળાં માણસો તમારૂં સારૂં કહેશે ત્યારે તમને અફસોસ છે!કેમકે તેઓના બાપદાદાઓએ જુઠા ભવિષ્યવાદીઓને તેમજ કીધું.
27 પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વેરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,
28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારૂં અપમાન કરે છે તેઓને સારૂ પ્રાર્થના કરો.
29 જે કોઈ તને એક ગાલ પર મારે, તેની આગળ બીજો પણ ધર; વળી જે તારો અંગરખો લઇ લે, તેનાથી તારું બદન પણ પાછું રાખીશ નહિ.
30 જે કોઈ તારી પાસે માગે, તેને આપ; ને જે કોઈ તારો માલ લઇ જાય તેની પાસેથી તું પાછો માગીશ નહિ.
31 આને જેમ તમે ચાહો કે માણસો તમને કરે તેમજ તમે પણ તેઓને કરો.
32 અને તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓ પર જો તમે પ્રીતિ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનારાઓ પર પ્રીતિ રાખે છે.
33 અને જે તમારૂં સારૂં કરે છે તેઓનું સારૂં જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમકે પાપીઓ પણ એમજ કરે છે.
34 ને જેની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમકે તેટલું પાછું લેવાં સારૂં પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
35 પણ તમે તમારા વેરીઓ પર પ્રીતિ રાખો, ને તેઓનું સારૂ કરો, ને કદી નિરાશ ન થતાં ઉછીનું આપો; ને તમને પણ ઘણું ફળ થશે, ને તમે પરાત્પરના દીકરા થશો; કેમકે અનુપકરીઓ પર તથા ભુંડાઓ પર તે માયાળુ છે.
36 માટે જેમ તમારો બાપ દયાળુ છે, તેં તમે દયાળુ થાઓ.
37 અને કોઈનો ઇન્સાફ ન કરો, ને તમારો ઇનસાફ નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો, ને તમે દોષિત નહિ ઠરાવાશો. છોડો ને તમે છોડાશો;
38 આપો ને તમને અપાશે; સારૂં માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમકે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.
39 અને તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, શું આંધળા આંધળાને દોરી શકે? શું બેહુ ખાડામાં પડશે નહિ?
40 શિષ્ય પોતાના ગુરુ કરતા મોટા નથી, પણ પ્રત્યેક જન સંપૂર્ણ થયા પછી પોતાના ગુરુ સરખો થશે.
41 અને તું તારી પોતાની આંખમાંનો ભારોટીઓ ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે?
42 અથવા તારી પોતાની આંખમાંનો ભારોટીઓ ન જોતાં તું તારા ભાઈને કેમ કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીઓ કાઢ, ને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.
43 કેમકે કોઈ સારા ઝાડને નઠારું ફળ આવતું નથી; ને વળી કોઈ નઠારા ઝાડને સારૂં ફળ આવતું નથી.
44 કેમકે હરેક ઝાડ પોતાનાં ફળથીજ ઓળખાય છે; કેમકે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી, ને ઉંટકટારી પરથી દ્રાક્ષ વીણતા નથી.
45 સારૂં માણસ પોતાના મનનાસારા ભંડારમાંથી સારૂ કાઢે છે; ને ભુંડું માણસ પોતાના મનના ભુંડા ભંડારમાંથીભુંડું કાઢે છે; કારણ કે મનના ભરપુરપણામાંથી તેનું મ્હોડું બોલે છે.
46 અને તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, ને જે હું કહું છું તે નથી?
47 હરેક જે મારી પાસે આવે છે, ને મારી વાતો સાંભળે છે તથા પાળે છે, તે કોના જેવા છે, એ હું તમને બતાવીશ.
48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઉંડું ખોદ્યું ને ખડક પર પાયો નાખ્યો; ને જયારે રેલ આવી, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, અને તે તેને હલાવી ન શક્યો, કેમકે તે સારૂં બાંધેલું હતું.
49 પણ જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવા છે, જેણે પાયા વિના ભોંય પર ઘર બાંધ્યું; તેને નદીનો સપાટો લાગ્યો, ને તે તરત પડી ગયું; ને તે ઘરનો ભરે નાશ થયો.