1 અને તેણે ઉંચે જોયું તો શ્રીમંતોને [ધર્મ] ભંડારમાં પોતાનાં દાન નાખતા દીઠા.

2 અને એક દરિદ્રી વિધવાન તેમાં બે દમડી નાખતી દીઠી,

3 ને તેણે કહ્યું કે, હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ સઘળો કરતા વધારે નાખ્યું છે.

4 કેમકે એ સહુએ પોતાના વધારામાંથી દનોમાં કંઈ નાખ્યું, પણ એણીએ પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.

5 અને સુંદર પત્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિષે કેટલાએક વાત કરતા હતા, ત્યારે તેણે કહ્યું કે,

6 આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જેમાં અહીં પાડી નંખાશે નહિ એવો એક પત્થર બીજા પર રહેવા દેવાશે નહિ.

7 અને તેઓએ તેને પુછ્યું કે, ઉપદેશક, તો એ ક્યારે થશે? ને જયારે આ વાતો પુરી થવાની હશે ત્યારે શું ચિન્હ થશે?

8 ને તેણે કહ્યું કે, કોઈ તમને નાં ભુલાવે માટે સાવધાન રહો; કેમકે મારે નામે ઘણા આવીને કહેશે કે, તે હું છું, ને, સમય પાસે આવ્યો છે; તમે તો તેઓની પછવાડે જશો મા.

9 અને જયારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો મા, કેમકે આ બધું પ્રથમ થવું જોઈએ; પણ એટલેથી અંત નથી.

10 ત્યારે તેણે તેઓને કહ્યું કે, પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્ય વિરુદ્ધ ઉઠશે;

11 આને મોટા ધરતીકંપો [થશે], તથા ઠામેઠામ દુકાળો તથા મરકીઓ થશે; ને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં ચિન્હો થશે.

12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, ને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના[ના અધિકારીઓને] હવાલે કરશે, ને રાજાઓ તથા હાકેમોની આગળ લઇ જશે.

13 એ તમારે સારૂ સાક્ષીરૂપ થઇ પડશે.

14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે પ્રત્યુત્તર કેવી રીતે દેવો તે વિષે આગળથી ચિંતા ન કરવી.

15 કેમકે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી અથવા સામો થઇ નહિ શકશે.

16 પણ માબાપથી તથા ભાઇઓથી તથા સંગાથી તથા મિત્રોથી પણ તમે પરસ્વાધીન કરશો; ને તમારામાંના કેટલાએકને તેઓ મારી નંખાવશે.

17 અને મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.

18 પણ તમારા માથાનો એમ નિમાળો પણ નાશ પામશે નહિ.

19 તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.

20 પણ જયારે યરૂશાલેમ ફોજોથી ઘેરાએલું જેશો ત્યારે જાણજો કે તેનો ઉજડ થવાનો [સમય] પાસે આવ્યો છે.

21 ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; ને જેઓ તેની મધ્યે હોય તેઓએ બહાર નીકળી જવું; ને જો સીમમાં હોય તેઓએ [શહેર]માં આવવું નહિ.

22 ક્મકે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે જે લખ્યું છે, તે બધું પુરૂં થાય.

23 તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ઘવડાવતી હશે તેઓને અફસોસ છે! કેમકે દેશ પર મોટો વિપત્તિ, ને આ લોક પર કોપ આવી પડશે.

24 અને તેઓ તારવારની ધારથી માર્યા જશે, ને ગુલામ થઈને બધા દેશોમાં લઇ જવાશે; ને વિદેશીઓના સમયો પુરા થશે, ત્યાં લગી યરૂશાલેમ વિદેશીઓથી ખુંદી નંખાશે.

25 અને સુરજ તથા ચંદ્ર તથા તારાઓમાં ચિન્હો થશે; ને પૃથ્વી ઉપર દેશજાતિઓ, સમુદ્ર તથા ચંદ્ર તથા મોજાંઓની ગર્જનાથી અકળાઈને, ગભરાશે;

26 પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે; કેમકે આકાશમાંનાં પરાક્રમો હલાવાશે.

27 અને ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળમાં આવતો જોશે.

28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથા ઉંચા કરો, કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.

29 અને તેણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ ઝાડોને જુઓ.

30 હવે તેઓ જયારે ફુટવા માંડે છે ત્યારે તમે તે જોઇને પોતાની મેળે જાણો છો કે ઉનોળો પાસે છે.

31 તેમજ તમે પણ આ સઘળા થતાં જુઓ, તારે જાણજો કે દેવનું રાજ્ય પાસે છે.

32 હું તમને ખચિત કહું ચુ કે, સઘળાં પુરા થશે ત્યાં લગી આ પેઢી ટળી જશે નહિ.

33 આકાશ તથા પૃથ્વી જતી રહેશે, પણ મારી વાતો જતી નહિ રહેશે.

34 પણ તમે પોતા વિષે સાવધાન રહો, રખે કદાપિ અતિશય ખાધાથી કે પીધાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, ને તે દિવસ તમારા પર ફંદાની પેઠે ઓચિંતો આવી પડશે.

35 કેમકે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર એમજ આવી પડશે.

36 પણ હર વખત જાગતા રહો, ને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઉભા રહેવાને તમે પ્રબળ થાઓ.

37 અને રોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો, ને રાત્રે નીકળીને જૈતુન નામે પહાડ પર રહેતો હતો.

38 અને બધા લોક તેનું સાંભળવા સારૂ પરોઢિયે તેની પાસે મંદિરમાં આવતા હતા.