1 અને તે યેરેખોમાં પેસીને તેમાં થઈને જતો હતો.

2 અને જુઓ, જાખી નામે એક પુરૂષ હતો; ને તે મુખ્ય દાણી હતો, ને શ્રીમંત હતો.

3 અને તેણે ઇસુને જોવા કોશિષ કીધી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે જોઈ શક્યો નહિ, કેમકે તે ઠીંગણો હતો.

4 અને આગળ દોડી જઈને તેને જોવા સારૂ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; કેમકે તે રસ્તે થઈને તે જવાનો હતો.

5 અને તે જગ્યાએ આવીને ઉંચું જોઇને તેને કહ્યું કે, જાખી, તું જલદી ઉતરી આવ, કેમકે મારે આજ તારે ઘેર ઉતરવાનું છે.

6 અને તે જલદી ઉતરી આવ્યો, ને તેણે આનંદથી તેનો આવકાર કીધો.

7 અને સઘળાએ તે જોઇને કચકચ કરીને કહ્યું કે, તે પાપી માણસને ત્યાં પરોણો રહેવા ગયો છે.

8 અને જાખીએ ઉભા રહીને પ્રભુને કહ્યું કે, પ્રભુ, જો, હું મારો સંપતનો અરધો ભાગ દરિદ્રીઓને આપું છું; ને જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું ચોગણું પાછું આપું છું.

9 અને ઇસુએ તેને કહ્યું કે, આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે.

10 કેમકે ખોવાયેલું શોધવા તથા તારવા સારૂ માણસનો દીકરો આવ્યો છે.

11 અને તેઓ આ વાતો સાંભળતા હતા, ત્યારે તેણે એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમકે તે યરૂશાલેમ પાસે આવ્યો હતો, ને તેઓ એમ ધારતા હતા કે, દેવનું રાજ્ય હમણાંજ પ્રગટ થશે.

12 માટે તેણે કહ્યું કે, એક કુલીન માણસ પોતાને સારૂ રાજ્ય મેળવીને પાછા આવવા[ના ઈરાદાથી] દૂર દેશ ગયો.

13 અને તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દસ મહોર આપી, ને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તનો વહીવટ કરો.

14 પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, ને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ચાહતા નથી.

15 અને એમ થયું કે તે રાજ્ય લઈને પાછો આવ્યો, ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.

16 ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, સાહેબ, તારી એક મહોરે બીજી દસ મહોરે બીજી દસ મહોર પેદા કીધી છે.

17 અને તેણે તેને કહ્યું કે, શાબાશ, ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.

18 અને બીજાએ આવીને કહ્યું કે, સાહેબ, તારી એક મહોરે પાંચ મહોર પેદા કીધી હે.

19 અને તેણે તેને પણ કહ્યું કે, તું પણ પાંચ શહેરનો ઉપરી થા.

20 અને બીજાએ આવીને કહ્યું કે, સાહેબ, જો, તારી મહોર આ રહી, મેં રૂમાલમાં ઘાલીને તેને રાખી મુકી હતી,

21 કારણ એ હું તારાથી બીધો, કેમકે તું કઠણ માણસ છે; જે તું મુક્યું ન હોય તે તું ઉઠાવે છે, ને જે તું વાવ્યું ન હોય તે તું કાપે છે.

22 તેને તેને કહ્યું, ઓ ભુંડા ચાકર, તારા પોતાના મ્હોથી હું તારો ન્યાય કરીશ; હું કઠણ માણસ છું, જે મુક્યું ન હોય, તે હું ઉઠાવું છું, ને જે વાવ્યું ન હોય તે કાપું છું, તું એમ જાણતો હતો;

23 માટે સાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સુદ્ધાં મારું વસુલ કરત?

24 પછી જે પાસે ઉભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઇ લો, ને જેની પાસે દસ મહોર છે તેને આપો.

25 અને તેઓએ તેને કહ્યું કે, સાહેબ, તેની પાસે તો દસ મહોર છે!

26 હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઇ લેવાશે.

27 પરંતુ આ મારા વૈરીઓ જેઓ ચહાતા નહોતા કે હું તેઓ પર રાજ્ય કરું, તેઓને અહીં લાવો, ને મારી આગળ મારી નાખો.

28 અને એમ કહ્યા પછી તે યરૂશાલેમને માર્ગે તેમની આગળ ચાલ્યો.

29 અને એમ થયું કે તે બેથફાગી તથા બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો, ત્યારે તેણે સીશ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા કે,

30 સામેના ગામમાં જાઓ, ને તેમાં પેસતાંજ એક [ગધેડાનું] વછેરુ બાંધેલું તમને મળશે, જે પર કોઈ માણસ કડી બેઠું નથી; તેને છોડી લાવો.

31 અને જો કોઈ તમને પુછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેનો ખપ છે.

32 અને જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમજ તેઓને મળ્યું.

33 ને તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના ઘણીઓએ તેઓને કહ્યું કે, તમે વછેરું કેમ છોડો છો?

34 અને તેઓએ કહ્યું કે, પ્રભુને તેનો ખપ છે.

35 અને તેઓ તેને ઇસુની પાસે લાવ્યા, ને વછેરા પર પોતાના લુગડાં નાખીને ઇસુને તેના પર બેસાડ્યો.

36 અને તે જતો હતો ત્યારે તેઓએ પોતાનાં લુગડાં માર્ગમાં પાથર્યાં.

37 અને તે નજદીક, જેતુન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યો, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને મોટે ઘાંટે દેવની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો કે,

38 પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા પરમ ઉંચામાં મહિમા!

39 અને લોકોમાંથી કેટલાએક ફરોશીઓએ તેને કહ્યું કે, ઉપદેશક, તારા શિષ્યોને ધમકાવ.

40 અને તેણે ઉત્તર આપતાં કહ્યું કે, હું તમને કહું છું કે જો એઓ છાના રહે તો પત્થરા પોકારી ઉઠશે.

41 અને તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઇને તે તેને લીધે રડ્યો, ને કહ્યું કે,

42 જો તેં, હા તેં, શાંતિને લગતાં જે વાનાં તે આજે જાણ્યાં હોત તો કેવું સારૂં! પણ હમણાં તેઓ તારી આંખોથી સંતાએલાં છે.

43 કેમકે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, ને તને ઘેરો ઘાલશે, ને ચારો તરફ તને સંકડાવશે.

44 અને તેઓ તને તથા તારી મધ્યે તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, ને તેઓ તારામાં એક પત્થર પર બીજો પત્થર રહેવા દેશે નહિ, કેમકે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.

45 અને તે મદિરમાં ગયો ને વેચનારાઓને માંહેથી કાઢી મુકવા લાગ્યો,

46 ને તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લુટારાઓનું કોતર કીધું.

47 અને તે રોજ મંદિરમાં બોધ કરતો હતો, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકના મુખીઓ તેને મારી નાખવાની કોશિશ કરતા હતા;

48 અને શું કરવું તે તેઓને સુઝ્યું નહિ; કેમકે બધા લોક એકાગ્ર ચિત્તે તેનું સાંભળતા હતા.