1 અને તેણે પોતાના શિષ્યોને કહ્યું કે, ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે!

2 કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવાડે, એ કરતાં તેની કોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય, એ તેને માટે સારૂ છે.

3 સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તને ઠપકો દે; ને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર.

4 અને જો તે એક દહાડામાં સાત વાર તારો અપરાધ કરે, ને સાત વાર તારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કર.

5 અને પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, અમારો વિશ્વાસ વધાર.

6 અને પ્રભુએ કહ્યું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, તું ઉખડ, ને સમુદ્રમાં રોપા, તો તે તમારૂં માનત.

7 પણ તમારામાંનો એવો કોના છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, ને તે [ચાકર] ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે, તરત આવીને જમવા બેસ;

8 એ કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું વાળું સિદ્ધ કર, ને કમર બાંધીને હું ખાઈ પી રહું ત્યાં સુધી મારીસેવા કર, ને ત્યાર પછી તું ખાજે પીજે?

9 તે દાસે આજ્ઞા પાળી માટે તે તેનો ઉપકાર માને છે શું?

10 તેં જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમકે જે કરવાની અમારી ફરજ હતી તેજ અમે કર્યું છે.

11 અને એમ થયું કે યરુશાલેમ જતા તે સમરૂનની મધ્યે તથા ગાલીલની મધ્યે થઈને જતો હતો.

12 અને એક ગામમાં તે પેઠો, એટલે દસ કોઢિયા તેને સામા મળ્યા, જેઓએ વેગળા ઉભા રહી.

13 ઘાટો પાડીને કહ્યું કે, ઇસુ સ્વામી, અમારા પર દયા કર.

14 અને તેઓને જોઇને તેણે તેઓને કહ્યું કે, જાઓ, પોતાને યાજકોને દેખાડો. અને એમ થયું કે તેઓ રાસ્તે ચાલતાં શુદ્ધ કરાયા.

15 અને તેઓમાંનો એક, પોતે સાજો થયો છે એ જોઇને, મોટે ઘાટો દેવની સ્તુતિ કરો પાછો ફર્યો.

16 અને તેણે સાષ્ટાંગ દંડવત કરીને તેનો ઉપકાર માન્યો; ને તે સમરૂની હતો.

17 અને ઇસુએ ઉત્તર આપતાં કહ્યું કે, શું દસે જણ શુદ્ધ કરાયા નહોતો? તો બીજાં નવ ક્યાં છે?

18 દેવને મહિમા આપવાને પાછો ફરે, એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહિ શું?

19 અને તેણે કહ્યું કે, ઉઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.

20 અને ફરોશીઓએ તેને પુછ્યું કે, દેવનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, દેવનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું.

21 અને એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમકે જુઓ, દેવનું રાજ્ય તમારામાં છે.

22 અને તેને શિષ્યોને કહ્યું કે, એવા દહાડા આવશે કે માણસના દીકરાના દિવસોમાં એકને તમે જોવા ચહાશો, પણ તમે જોશો નહિ.

23 અને તેઓ તમને કહેશે હે જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતો ના, ને એમની પાછળ ચાલતા ના.

24 કેમકે વીજળી એક દિશાથી ચમકતી આકાશ તળે બીજી દિશા સુધી પ્રકાશે છે, તેં માણસનો દીકરો પોતાનો દિવસમાં થશે.

25 પણ પહેલાં તેને ઘણું સહેવું પડશે, ને આ પેઢીથી નાપસંદ થવું પડશે.

26 અને જેમ નુહના દિવસોમાં થયું, તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.

27 નુહ વહાણમાં પેઠો ને જલપ્રલયે આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ લગી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવાતા હતા.

28 અને તેમજ લુતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા આપતા, રોપતા, બાંધતા હતા;

29 પણ લૂટ સોદમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, નેતેથી બધાનો વિનાશ થયો;

30 જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તેજ પ્રમાણેજ થશે.

31 તે દિવસે જે ધાબા પર હોય, તેનો સામાન ઘરમાં હોય તો તે લેવાં સારૂ તેણે ઉતરવું નહિ, ને જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહિ.

32 લુતના વહુને સંભારો.

33 જે કોઈ પોતાનો જીવ બચાવવા કોશિશ કરશે, તે તેને ખોશે, ને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે.

34 હું તમને કહું છું કે, તે રાત્રે એક ખાટલામાં બે જન હશે; તેઓમાંનો એક લઇ લેવાશે, ને બીજો પડતો મુકાશે.

35 બે બાયડી સાથે દળતી હશે; તેમાંથી એક લઇ લેવાશે, ને બીજી પડતી મુકાશે.

36 ખેતરમાં બે જન હશે, તેઓમાંનો એક લેવાશે, ને બીજો પડતો મુકાશે.

37 અને તેઓએ તેને ઉત્તર આપતા કહ્યું કે, પ્રભુ, ક્યાં? ને તેણે તેઓને કહ્યું કે, જ્યાં મુડદું હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.