1 હવે દાઉદ કીશના પુત્ર શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે; ને તેઓ તેને યુદ્ધમાં સાહ્ય કરનાર શૂરવીરોમાંના હતા.
2 તેઓ ધનુર્ધારીઓ હતા ને જમણે તથા ડાબે હાથે ગોફણથી પત્થર ફેંકી શકતા હતા, તથા ધનુષ્યથી બાણ મારી શકતાં હતા; તેઓ બિન્યામીની શાઉલાના ભાઈઓમાંના હતા.
3 મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, એઓ ગિબઆથી શમાઆહના દીકરા હતા; ને આઝમાવેથના પુત્રો યઝીએલ તથા પેલેટ; ને બરાખાહ, તથા યેહૂ આનથોથી;
4 ને ત્રીસમાં પરાક્રમી તથા ત્રીસનો ઉપરી યિશ્માયાહ ગિબઓની, ને યિર્મેયાહ તથા યાહઝીએલ, તથા યોહાનાન, તથા યોઝાબાદ ગદેરાથી;
5 એલઉઝાય, તથા યરીમોથ, તથા બઆલ્યાહ, તથા શમાર્યાહ, તથા સફાટયાહ હરૂફી;
6 એલ્કાનાહ, તથા યિશશીયાહ, તથા અઝારએલ, તથા યોએઝેર, તથા યશોબઆમ, એ કોરાહિઓ;
7 ને ગદોરના યારોહામના પુત્રો યોએલાહ તથા ઝબાદ્યાહ.
8 અને ગાદીઓમાંથી શૂરવીર તથા યુદ્ધને સારૂ કેળવાયલા, ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, ને સિંહના મ્હો જેવા મુખવાળા, ને પર્વત પરના હરણો જેવા ચપળ પુરૂષો જૂદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા;
9 તેઓમાં મુખ્ય એઝેર, બીજો ઓબાદ્યાહ, ત્રીજો અલીઆબ;
10 ચોથો મિશ્માન્નાહ, પાંચમો યિર્મેયાહ;
11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ;
12 આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ;
13 દસમો યિર્મેયાહ, અગિયારમો માખ્બાન્નાય.
14 ગાદના પુત્રોમાંના એઓ સૈન્યના સરદારો હતા, જે સૌથી નાનો તે સોની બરાબર હતો, ને સૌથી મોટો તે હજારની બરાબર હતો.
15 પહેલાં માસમાં યરદન પોતાના સઘળા કાંઠા પર છલી ગઇ હતી તે વખતે જે તેની પાર ગયા તે એ છે; ને તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચ પ્રદેશમાં સર્વને નસાડી મુક્યા.
16 અને બિન્યામીનના તથા યહુદાહના પુત્રોમાંના કેટલાક ગઢમાં દાઉદની પાસે આવ્યા.
17 અને દાઉદ નીકળીને તેઓ સામે ગયો, ને તેઓને ઉત્તર આપીને કહ્યું કે, જો તમે મને સહાય કરવા સારૂ સલાહ શાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારૂં હ્રદય તામારી સાઠ એક ગાંઠ થશે; પણ મારા હાથમાં કંઈ અન્યાય ન છતાં, જો તમે મને મારા વૈરીઓને સ્વાધીન કરવા સારૂ આવ્યા હો, તો આપણા પિતૃઓનો દેવ તે જોઇને તેને માટે શિક્ષા કરો.
18 ત્યારે ત્રીસના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો; ને તેણે કહ્યું કે, યીશાયના પુત્ર દાઉદ, અમે તારા, તથા તારી કુમકે છીએ; તને શાંતિ, શાંતિ થાઓ, તથા તારા સહાયકારીઓને શાંતિ થાઓ, કેમકે તારો દેવ તારો સહાયકારી છે. ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કીધો, ને તેઓને ટોળીઓના સરદારો ઠરાવ્યા.
19 વળી જયારે તે પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શેહમાંના પણ કેટલાએક દાઉદની તરફ ફુટી આવ્યા, પણ તેઓએ તેમની સહાય કીધી નહિ; કેમકે પલિસ્તીઓના સરદારોએ માહોમાંહે સલાહ લીધા પછી એમ કહીને તેને વિદાય કીધો, કે તે પોતાના ઘણી શાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે.
20 તે સિકલાગમાં જતો હતો, ત્યારે મનાશ્શેહમાંના આદનાહ તથા યોઝાબાદ તથા યદીઅએલ તથા મીખાએલ તથા યોઝાબાદ તથા અલીહૂ તથા સિલ્લ્થાય, એ મનાશ્શેહના સહસ્રાધિપતિઓ તેની તરફ ફુટી આવ્યા.
21 અને તેઓએ ભટકતાં ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી; કેમકે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યના સરદારો હતા.
22 કેમકે તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જ્યાં સુધી કે તે સૈન્ય દેવના સૈન્ય જેવા મોટું થયું.
23 અને સૈન્યને સારૂ સજ્જ થયલા જે લોકો યહોવાહના વચન પ્રમાણે શાઉલનું રાજ્ય દાઉદની તરફ ફેરવી નાખવા સારૂ તેની પાસે હેબ્રોનમાં આવ્યા, તેઓના ઉપરીઓની સંખ્યા આ છે;
24 એટલે, યહુદાહના પુત્રો, ઢાલ તથા બરછી ધારણ કરીને, સૈન્યને માટે સજ્જ થયલા, છ હજાર ને આઠસે હતા.
25 શિમઓનના પુરૂષોમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરૂષો સાત હજાર ને એકસો.
26 લેવીના પુત્રોમાંથી ચાર હજાર ને છસેં.
27 અને હારૂનના ઘરનો આગેવાન યહોયાદા હતો, ને તેની સાથે ત્રણ હજાર ને સાતસે હતા;
28 ને સાદોક એક જુવાન તથા શૂરવીર પુરૂષ, તથા તેના બાપના ઘરના બાવીસ સરદાર.
29 આને બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર; કેમકે હજી સુધી તેઓનો વિશેષ ભાગ શાઉલના ઘર પ્રત્યે વફાદાર રહેલો હતો.
30 અને એફ્રાઈમના પુત્રોમાંથી વીસ હજાર ને આઠસે, એઓ પોતાના બાપના ઘરમાં નામીચા શૂરવીર પુરૂષો હતા.
31 અને મનાશ્શેહના અર્ધા કુળમાંથી અરાઢ હજાર, કે જેઓ દાઉદને રાજા કરવા સારૂ આવવાને નામવાર નોંઘાયેલા હતા.
32 અને યિસ્સાખારના પુત્રોમાંથી, તે સમયે ઇસ્રાએલે શું કરવું તેવા સમજનારા માણસો તેઓના મુખ્યો બસેં હતા, ને તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન હતા.
33 ઝબૂલૂનમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધવ્યૂહ રચી શકે એવા પચાસ હજાર; ને તેઓના યુદ્ધવ્યૂહમાં વ્યવસ્થા કરી શકે એવા તથા બે મનવાળા નહિ, એવા હતા.
34 અને નાફતાલીમાંથી એક હજાર સરદાર, ને તેઓની સાથે ઢાલ બરછીવાળા સાડત્રીસ હજાર હતા.
35 અને દાનીઓમાંથી યુદ્ધવ્યૂહ રચી શકે એવા અઠ્ઠાવીસ હજાર ને છસેં હતા.
36 અને આશેરમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા યુદ્ધવ્યૂહ રચી શકે એવા ચાળીસ હજાર હતા.
37 અને યરદનને પેલે પાર રેઉબેનીઓમાંથી તથા ગાદીઓમાંથી તથા મનાશ્શેહના અર્ધ કુળમાંથી યુદ્ધને માટે સૈન્યના સર્વ પ્રકારનાં શાસ્ત્ર સહિત, એક લાખ ને વીસ હજાર હતા.
38 એ સર્વ લડવૈયા તથા યુદ્ધવ્યૂહ રચી શકે એવા પુરૂષો, દાઉદને સર્વ ઇસ્રાએલ ઉપર રાજા કરવા સારૂ, સંપૂર્ણ અંતઃકરણથી હેબ્રોનમાં આવ્યા; ને દાઉદને રાજા કરવા સારૂ બાકીના સર્વ ઇસ્રાએલ પણ એક એક મનના હતા.
39 અને તેઓ ખાતાં તથા પીતા ત્રણ દિવસ સુધી ત્યાં દાઉદની સાથે રહ્યા, કેમકે તેઓના ભાઈઓએ તેઓને સારૂ તૈયારી કરેલી હતી.
40 અને વળી જેઓ તેઓની પાસેના હતા, એટલે યિસ્સાખાર તથા ઝબુલૂન તથા નાફતાલી સુધીના હતા, તેઓ ગધેડાં પર, તથા ઉંટો પર, તથા ખચ્ચરો પર, તથા બળદો પર, રોટલી, એટલે મેંદાનો ખોરાક, અંજીરના ચકતાં, લાવ્યા હતા; કેમકે ઇસ્રાએલમાં આનંદોત્સવ હતો.